VCE કર્મીઓને સરકારનું લોલિપોપ, સી આર પાટીલની અંગત બાંહેધરી બાદ આંદોલન સમેટાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 16:17:44

ગુજરાત સરકાર સામે વિવિધ કર્મચારી સંગઠનોએ મોરચો માંડ્યો છે. વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી સરકાર પર પણ આ કર્મચારીઓ આંદોલનોની આગને ઠારવા માટે ઉપરથી ખુબ જ દબાણ છે. કર્મચારી સંગઠનો માટે સરકાર પાસેથી તેમની માંગણી સંતોષાવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે. રાજ્ય સરકારના પ્રધાનો તેમના વિભાગ અંતર્ગત આવતા કર્મચારીઓને મનાવવામાં લાગ્યા હતા. આ દરમિયાન બહું ગાજેલું વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE)કર્મીઓનું આંદોલન પણ સમેટાઈ ગયું છે.


ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની બાંહેધરી બાદ નિર્ણય


રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી વધુ એક હડતાળનો અંત આવ્યો છે. રાજ્યમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE) કર્મીઓની હડતાળ સમેટાઈ ગઈ છે. ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સાથે  VCEના કર્મીઓના આગેવાનોએ બેઠક કરી હતી. બંને નેતાઓને કર્મીઓને આંદોલન સમેટી લેવા માટે આગ્રહ કર્યો હતો. અંતે પાટીલે બાંહેધરી આપ્યા બાદ VCEના કર્મઓના સંગઠનના પદાધિકારીઓએ આંદોલન સમેટી લેવાનો નિર્ણય કર્યો હતો.


કોણ છે VCE કર્મીઓ?


રાજ્યના તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી ફરજ બજાવતા હોય છે. ગુજરાતમાં 10,000થી વધુ VCE(ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક) ગ્રામ પંચાયતોમાં કમિશન આધારિત કામ કરે છે. જેમાં તેઓ મહેસુલ, અન્ન પુરવઠા, પંચાયત, ચૂંટણી સહિતની કામગીરી કરતા હોય છે પરંતુ તેઓને પગારની જગ્યાએ 1 રૂપિયો કમિશન મળતુ હોવાથી તેઓ પગાર સહિતની માગને લઈ હડતાળ અને આંદોલનો કરી રહ્યા હતા. તેમના આંદોલનના પગલે ગામડાંઓમાં રાજ્યસ્તરની સરકારી વહીવટી કામગીરી ખોરવાઇ હતી. 


VCE કર્મીઓની માંગ શું છે?


કમિશન પ્રથા પોલિસી હટાવી ફિક્સ વેતનથી કાયમી નિમણૂક

સરકારી લાભો આપી સમાન કામ સમાન વેતન

VCEને રક્ષણ આપવામાં આવે

VCE અને પરિવારને આરોગ્ય સુવિધા 

VCE અને પરિવારને વીમા કવચ આપવામાં આવે

કામગીરીનો જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે

ક્લાર્ક ક્રમ કોમ્પ્યુટર સાહસિકમાં રૂપાંતર કરી વર્ગ-3 ના દરજ્જા સાથે સરકારી કર્મચારી જાહેર કરો

ઈ-ગ્રામ પોલિસી હટાવી સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે

જોબની સિક્યુરિટી આપવામાં આવે



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.