VCE કર્મીઓને સરકારનું લોલિપોપ, સી આર પાટીલની અંગત બાંહેધરી બાદ આંદોલન સમેટાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 16:17:44

ગુજરાત સરકાર સામે વિવિધ કર્મચારી સંગઠનોએ મોરચો માંડ્યો છે. વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી સરકાર પર પણ આ કર્મચારીઓ આંદોલનોની આગને ઠારવા માટે ઉપરથી ખુબ જ દબાણ છે. કર્મચારી સંગઠનો માટે સરકાર પાસેથી તેમની માંગણી સંતોષાવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે. રાજ્ય સરકારના પ્રધાનો તેમના વિભાગ અંતર્ગત આવતા કર્મચારીઓને મનાવવામાં લાગ્યા હતા. આ દરમિયાન બહું ગાજેલું વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE)કર્મીઓનું આંદોલન પણ સમેટાઈ ગયું છે.


ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની બાંહેધરી બાદ નિર્ણય


રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી વધુ એક હડતાળનો અંત આવ્યો છે. રાજ્યમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE) કર્મીઓની હડતાળ સમેટાઈ ગઈ છે. ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સાથે  VCEના કર્મીઓના આગેવાનોએ બેઠક કરી હતી. બંને નેતાઓને કર્મીઓને આંદોલન સમેટી લેવા માટે આગ્રહ કર્યો હતો. અંતે પાટીલે બાંહેધરી આપ્યા બાદ VCEના કર્મઓના સંગઠનના પદાધિકારીઓએ આંદોલન સમેટી લેવાનો નિર્ણય કર્યો હતો.


કોણ છે VCE કર્મીઓ?


રાજ્યના તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી ફરજ બજાવતા હોય છે. ગુજરાતમાં 10,000થી વધુ VCE(ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક) ગ્રામ પંચાયતોમાં કમિશન આધારિત કામ કરે છે. જેમાં તેઓ મહેસુલ, અન્ન પુરવઠા, પંચાયત, ચૂંટણી સહિતની કામગીરી કરતા હોય છે પરંતુ તેઓને પગારની જગ્યાએ 1 રૂપિયો કમિશન મળતુ હોવાથી તેઓ પગાર સહિતની માગને લઈ હડતાળ અને આંદોલનો કરી રહ્યા હતા. તેમના આંદોલનના પગલે ગામડાંઓમાં રાજ્યસ્તરની સરકારી વહીવટી કામગીરી ખોરવાઇ હતી. 


VCE કર્મીઓની માંગ શું છે?


કમિશન પ્રથા પોલિસી હટાવી ફિક્સ વેતનથી કાયમી નિમણૂક

સરકારી લાભો આપી સમાન કામ સમાન વેતન

VCEને રક્ષણ આપવામાં આવે

VCE અને પરિવારને આરોગ્ય સુવિધા 

VCE અને પરિવારને વીમા કવચ આપવામાં આવે

કામગીરીનો જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે

ક્લાર્ક ક્રમ કોમ્પ્યુટર સાહસિકમાં રૂપાંતર કરી વર્ગ-3 ના દરજ્જા સાથે સરકારી કર્મચારી જાહેર કરો

ઈ-ગ્રામ પોલિસી હટાવી સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે

જોબની સિક્યુરિટી આપવામાં આવે



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.