તત્કાલીન CM મોદીએ બનાવેલા માળખાના(VCE) કર્મીઓ 39 દિવસ હડતાળ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 20:45:24

Story by Samir Parmar

આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતને ડિજિટલ ગુજરાત બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હતા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ગામડામાં ડિજિટલ માધ્યમને પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા હતા, ત્યારે તેમણે ગુજરાતના ગામડાઓમાં કોમ્પ્યુટરથી ડિજિટલ કામગીરી માટે વીસીઈનું માળખું ઉભું કર્યું હતું. પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુશાસન માટે ઉભા કરેલા માળખાની હાલની સરકાર દરકાર નથી લઈ રહી તેવું લાગી રહ્યું છે. કારણ કે VCE ના કર્મચારીઓ પોતાની માગણી માટે કેટલા દિવસોથી વિરોધ નોંધાવી રહ્યા છે. 


રાજ્યના VCE 39 દિવસથી છે હડતાળ પર 

ભૂપેન્દ્ર સરકારના કાર્યકાળમાં VCE એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર છેલ્લા 39 દિવસથી હડતાળ પર છે. તેઓ પોતાની વિવિધ માગણીઓ સાથે ગત 39 દિવસથી હડતાળ પર છે. VCEના કર્મચારીઓએ પોતાની માગણી માટે મુખ્યમંત્રી સાથે, પંચાયત મંત્રી સાથે બેઠક કરી ચૂક્યા છે પરંતુ તેમનો માત્ર સાંત્વના અને "હા થઈ જશે" જેવા વાક્યો જ હાથે લાગે છે. 


શું છે વીસીઈની માગણીઓ 

1) કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે

2) સરકાર સાથે 16 વર્ષથી પગાર વગર કામ કરતા હોય માટે સરકારી કર્મચારી જાહેર કરી લાભો આપવામાં આવે 

3) આરોગ્યલક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વિમા કવર આપવામાં આવે

4) જોબ સિક્યૂરિટી આપવામાં આવે

5) કોરોના મહામારીમાં મરણ પામેલા VCEને આર્થિક સહાય આપવામાં આવે


ગત 39 દિવસથી ગામડાના કામકાજ ઠપ્પ 

VCE ગામડામાં કાગળિયાને લગતા કામો કરતા હોય છે. તેઓ સાત-બારના ઉતારા, જન્મ-મરણના દાખલા, આવકના દાખલા, રાશનકાર્ડમાં ફેરફાર, લાઈટબિલ અને ગેસબિલ ભરવાના કામ, ખેડૂતોને લગતી સહાય યોજના, આયુષ્માન કાર્ડ, ઈ-શ્રમ અને ઈ-નિર્માણની કામગીરી, મગફળી રજિસ્ટ્રેશનની કામગીરી, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની અન્ય સેવાકીય કામગીરી કરતા હોય છે.  ગત 39 દિવસથી હડતાળના કારણે કામગીરી ઠપ્પ પડી છે જેથી ગામડાના લોકોને તકલીફ વેઠવી પડે છે અને તાલુકા અને જિલ્લામાં ધકા ખાવાનો વારો આવી રહ્યો છે. 


ગુજરાત સરકારે ચૂંટણી પહેલા લોકોની કે વિવિધ સંઘોની માગણી સંતોષવા માટે પાંચ મંત્રીઓની સમિતિની રચના કરી છે. લોકોને સરકારી કચેરીઓના ધક્કા ના ખાવા પડે છે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉભી કરેલી વીસીઈના માળખાની સમસ્યા અત્યારની સરકાર ક્યારે દૂર કરશે તે જોવાનું રહેશે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.