તત્કાલીન CM મોદીએ બનાવેલા માળખાના(VCE) કર્મીઓ 39 દિવસ હડતાળ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 20:45:24

Story by Samir Parmar

આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતને ડિજિટલ ગુજરાત બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હતા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ગામડામાં ડિજિટલ માધ્યમને પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા હતા, ત્યારે તેમણે ગુજરાતના ગામડાઓમાં કોમ્પ્યુટરથી ડિજિટલ કામગીરી માટે વીસીઈનું માળખું ઉભું કર્યું હતું. પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુશાસન માટે ઉભા કરેલા માળખાની હાલની સરકાર દરકાર નથી લઈ રહી તેવું લાગી રહ્યું છે. કારણ કે VCE ના કર્મચારીઓ પોતાની માગણી માટે કેટલા દિવસોથી વિરોધ નોંધાવી રહ્યા છે. 


રાજ્યના VCE 39 દિવસથી છે હડતાળ પર 

ભૂપેન્દ્ર સરકારના કાર્યકાળમાં VCE એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર છેલ્લા 39 દિવસથી હડતાળ પર છે. તેઓ પોતાની વિવિધ માગણીઓ સાથે ગત 39 દિવસથી હડતાળ પર છે. VCEના કર્મચારીઓએ પોતાની માગણી માટે મુખ્યમંત્રી સાથે, પંચાયત મંત્રી સાથે બેઠક કરી ચૂક્યા છે પરંતુ તેમનો માત્ર સાંત્વના અને "હા થઈ જશે" જેવા વાક્યો જ હાથે લાગે છે. 


શું છે વીસીઈની માગણીઓ 

1) કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે

2) સરકાર સાથે 16 વર્ષથી પગાર વગર કામ કરતા હોય માટે સરકારી કર્મચારી જાહેર કરી લાભો આપવામાં આવે 

3) આરોગ્યલક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વિમા કવર આપવામાં આવે

4) જોબ સિક્યૂરિટી આપવામાં આવે

5) કોરોના મહામારીમાં મરણ પામેલા VCEને આર્થિક સહાય આપવામાં આવે


ગત 39 દિવસથી ગામડાના કામકાજ ઠપ્પ 

VCE ગામડામાં કાગળિયાને લગતા કામો કરતા હોય છે. તેઓ સાત-બારના ઉતારા, જન્મ-મરણના દાખલા, આવકના દાખલા, રાશનકાર્ડમાં ફેરફાર, લાઈટબિલ અને ગેસબિલ ભરવાના કામ, ખેડૂતોને લગતી સહાય યોજના, આયુષ્માન કાર્ડ, ઈ-શ્રમ અને ઈ-નિર્માણની કામગીરી, મગફળી રજિસ્ટ્રેશનની કામગીરી, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની અન્ય સેવાકીય કામગીરી કરતા હોય છે.  ગત 39 દિવસથી હડતાળના કારણે કામગીરી ઠપ્પ પડી છે જેથી ગામડાના લોકોને તકલીફ વેઠવી પડે છે અને તાલુકા અને જિલ્લામાં ધકા ખાવાનો વારો આવી રહ્યો છે. 


ગુજરાત સરકારે ચૂંટણી પહેલા લોકોની કે વિવિધ સંઘોની માગણી સંતોષવા માટે પાંચ મંત્રીઓની સમિતિની રચના કરી છે. લોકોને સરકારી કચેરીઓના ધક્કા ના ખાવા પડે છે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉભી કરેલી વીસીઈના માળખાની સમસ્યા અત્યારની સરકાર ક્યારે દૂર કરશે તે જોવાનું રહેશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.