તત્કાલીન CM મોદીએ બનાવેલા માળખાના(VCE) કર્મીઓ 39 દિવસ હડતાળ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 20:45:24

Story by Samir Parmar

આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતને ડિજિટલ ગુજરાત બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હતા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ગામડામાં ડિજિટલ માધ્યમને પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા હતા, ત્યારે તેમણે ગુજરાતના ગામડાઓમાં કોમ્પ્યુટરથી ડિજિટલ કામગીરી માટે વીસીઈનું માળખું ઉભું કર્યું હતું. પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુશાસન માટે ઉભા કરેલા માળખાની હાલની સરકાર દરકાર નથી લઈ રહી તેવું લાગી રહ્યું છે. કારણ કે VCE ના કર્મચારીઓ પોતાની માગણી માટે કેટલા દિવસોથી વિરોધ નોંધાવી રહ્યા છે. 


રાજ્યના VCE 39 દિવસથી છે હડતાળ પર 

ભૂપેન્દ્ર સરકારના કાર્યકાળમાં VCE એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર છેલ્લા 39 દિવસથી હડતાળ પર છે. તેઓ પોતાની વિવિધ માગણીઓ સાથે ગત 39 દિવસથી હડતાળ પર છે. VCEના કર્મચારીઓએ પોતાની માગણી માટે મુખ્યમંત્રી સાથે, પંચાયત મંત્રી સાથે બેઠક કરી ચૂક્યા છે પરંતુ તેમનો માત્ર સાંત્વના અને "હા થઈ જશે" જેવા વાક્યો જ હાથે લાગે છે. 


શું છે વીસીઈની માગણીઓ 

1) કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે

2) સરકાર સાથે 16 વર્ષથી પગાર વગર કામ કરતા હોય માટે સરકારી કર્મચારી જાહેર કરી લાભો આપવામાં આવે 

3) આરોગ્યલક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વિમા કવર આપવામાં આવે

4) જોબ સિક્યૂરિટી આપવામાં આવે

5) કોરોના મહામારીમાં મરણ પામેલા VCEને આર્થિક સહાય આપવામાં આવે


ગત 39 દિવસથી ગામડાના કામકાજ ઠપ્પ 

VCE ગામડામાં કાગળિયાને લગતા કામો કરતા હોય છે. તેઓ સાત-બારના ઉતારા, જન્મ-મરણના દાખલા, આવકના દાખલા, રાશનકાર્ડમાં ફેરફાર, લાઈટબિલ અને ગેસબિલ ભરવાના કામ, ખેડૂતોને લગતી સહાય યોજના, આયુષ્માન કાર્ડ, ઈ-શ્રમ અને ઈ-નિર્માણની કામગીરી, મગફળી રજિસ્ટ્રેશનની કામગીરી, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની અન્ય સેવાકીય કામગીરી કરતા હોય છે.  ગત 39 દિવસથી હડતાળના કારણે કામગીરી ઠપ્પ પડી છે જેથી ગામડાના લોકોને તકલીફ વેઠવી પડે છે અને તાલુકા અને જિલ્લામાં ધકા ખાવાનો વારો આવી રહ્યો છે. 


ગુજરાત સરકારે ચૂંટણી પહેલા લોકોની કે વિવિધ સંઘોની માગણી સંતોષવા માટે પાંચ મંત્રીઓની સમિતિની રચના કરી છે. લોકોને સરકારી કચેરીઓના ધક્કા ના ખાવા પડે છે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉભી કરેલી વીસીઈના માળખાની સમસ્યા અત્યારની સરકાર ક્યારે દૂર કરશે તે જોવાનું રહેશે. 



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.