માવઠાના કારણે શાકભાજીનો પાક નષ્ટ થતાં ભાવ આસમાને પહોંચ્યો, સિંગતેલના ભાવમાં પણ ભડકો


  • Published By :
  • Published Date : 2023-11-28 15:10:07

મોંઘવારીથી ત્રસ્ત લોકોને વધુ એક ફટકો પડ્યો છે, રાજ્યમા કમોસમી વરસાદથી શાકભાજીને વ્યાપક નુકસાન થતાં જીવનજરૂરી એવી વિવિધ શાકભાજીના ભાવ ફરી આસમાને પહોંચ્યા છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવામાં 30થી 40 ટકા જેટલો વધારો થયો છે. રાજ્ય સરકારના અનુમાન મુજબ કમોસમી વરસાદથી શાકભાજીને નુકસાન તથા લગ્નસરાની સીઝનના કારણે શાકભાજીની માગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. માવઠાથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે તો અચાનક જ શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.


શાકભાજીના ભાવમાં ભડકો


શાકભાજીની ખેતી માટે જાણીતા દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ થતાં પાપડી, વટાણા, ભીંડા સહિતની શાકભાજીની વાડીઓમાં પાણી ભરાતા ભારે નુક્સાન થયું છે. દક્ષિણ ગુજરાતની જેમ જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો મહત્તમ ભાગ માવઠાનો શિકાર બનતા તુવેર, ગુવાર, ટામેટાના છોડ અને દૂધી, કાકડીના વેલાઓને ભારે નુક્સાન થયું છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં જીવાત પકડવાની તથા નાના છોડ અને વેલાઓ કોહવાવાની શક્યતા રહેલી છે. હોલસેલ માર્કેટમાં 30 રૂપિયાના ભાવે વહેંચાતા ટામેટા 40 સુધી તો 35 રૂપિયાના ભાવે વેચાતા રિંગણ, વટાણા, તુવેરના ભાવ વધીને 45 સુધી પહોંચવાની શક્યતા છે. હાલમાં શાકભાજીના ભાવ શું છે તેના પર નજર કરીએ તો પાલક 80, આદુ 160, મેથી 100, ટામેટા 60થી 70, રીંગણ 80, ભીંડા 80, કોબીઝ 60, ગવાર 100, ફ્લાવર 60 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. સ્વાભાવિક રીતે આ નુકસાનની અસર બજારોમાં પણ જોવા મળવા લાગી છે. રાજ્યમાં પાકતા શાકભાજીના ભાવમાં 20થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. 


સિંગતેલના ભાવમાં પણ આસમાને


સિંગતેલના ભાવમાં 50 રૂપિયા સુધીનો વધારો થયો છે. મગફળીનો પાક તો અગાઉ તૈયાર થઈ ગયો છે અને અંદાજીત 40 લાખ ટન પાકનો અંદાજ સરકારે જાહેર કર્યો છે. 20 તારીખે સિંગતેલનો ભાવ 2635-2685ની નીચી સપાટી સુધી પહોંચ્યો હતો. પરંતુ 26 તારીખ મહત્તમ ભાવ 2735 સુધી પહોચ્યો પરંતુ ગઈકાલે ભાવ 2735-2785નો રહ્યો હતો.જો કે કપાસિયા તેલના ભાવ હાલ સ્થિર જોવા મળી રહ્યા છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી