શક્તિપીઠ Ambajiના પ્રસાદમાં ઘીની બદલીમાં વપરાતું હતું વનસ્પતિનું તેલ, જાણો આ મામલે હજી સુધી શું કરાઈ કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-10-13 09:05:09

લાખોની સંખ્યામાં ભક્તોએ શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન ભાદરવી પૂનમના લોકમેળા દરમિયાન કર્યા હતા. લાખો ભક્તોએ મોહનથાળનો પ્રસાદ લીધો હતો. ત્યારે મેળો પૂર્ણ થયા બાદ મોહનથાળને લઈ એક રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં આ સેમ્પલ ફેઈલ થયા હતા. જે બાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ આખી ઘટનાનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો હતો. માધુપુરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સના માલિકની ધરપકડ કરી લીધી હતી. ત્યારે આ મામલે વધુ એક અપડેટ સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી છે મોહિની કેટરર્સના ત્રણ લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે, 

palanpur-news-ambaji-mohanthal-prasad-adulteration-case-police-detains-four-people-211622

માઈ ભક્તોના સ્વાસ્થ્ય સાથે થતા હતા ચેડા 

ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ બનાવવામાં આવતો હતો તેના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા હતા જેમાં સાબીત થયું હતું કે ઘી તો ભેળસેળવાળું હતું અને નકલી હતું. આના કારણે ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો હતો. આરોગ્ય વિભાગના રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે ઘીમાં વનસ્પતિનું તેલ ઉમેરવામાં આવતું હતું. બીજી મહત્વની વાત સામે એ આવી છે કે અમૂલના નામે અશુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવતો હતો. મોહિની કેટરર્સ રીત સરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા. 

Uproar in the Legislative Assembly over the issue of Mohanthal Prasad in  Ambaji temple | અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદના મુદ્દે વિધાનસભામાં હંગામો


મોહિની કેટરર્સે નીલકંઠ ટ્રેડર્સ પાસેથી લીધું હતું ઘી  

જ્યારે મોહિની કેટરર્સ નીલકંઠ ટ્રેડ્રર્સ પાસેથી ઘીના ડબ્બા ખરીદતું હતું. વિચાર કરો ક્યાં વાત જાય. બજાર કરતા અડધા રૂપિયાનું ઘી મળતું હતું એટલે દરોડા પાડવામાં આવ્યા હતા. ગંભીર વાત તો એ છે કે જો આરોગ્ય વિભાગે દરોડા ન પાડ્યા હોત તો 5 હજારથી વધુ ડબ્બા ઘીનો મોહનથાળ બનાવી લીધો હોત અને ભક્તોએ તો માનો પ્રસાદ સમજીને એ પ્રસાદ લઈ પણ લીધો હોત. 


અવાર-નવાર હાથ ધરાવું જોઈએ ચેકિંગ 

જો કે સામેની બાજુ આ વાત સામે આવી એ પણ એટલી જ જરૂરી છે. કારણ કે ખબર પડી કે માના ધામમાં પણ શ્રદ્ધાના નામે ચેડા થાય છે તો રાજ્યાના બધા ધામોમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે ક્યાંક ત્યાં તો ભેળસેળવાળી વસ્તુ વાપરવામાં નથી આવતીને. જાણવા માટે હવે બધી જ જગ્યાએ સમયાંતરે ચેકિંગ કરતું રહેવું જોઈએ. 




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.