શક્તિપીઠ Ambajiના પ્રસાદમાં ઘીની બદલીમાં વપરાતું હતું વનસ્પતિનું તેલ, જાણો આ મામલે હજી સુધી શું કરાઈ કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-10-13 09:05:09

લાખોની સંખ્યામાં ભક્તોએ શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન ભાદરવી પૂનમના લોકમેળા દરમિયાન કર્યા હતા. લાખો ભક્તોએ મોહનથાળનો પ્રસાદ લીધો હતો. ત્યારે મેળો પૂર્ણ થયા બાદ મોહનથાળને લઈ એક રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં આ સેમ્પલ ફેઈલ થયા હતા. જે બાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ આખી ઘટનાનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો હતો. માધુપુરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સના માલિકની ધરપકડ કરી લીધી હતી. ત્યારે આ મામલે વધુ એક અપડેટ સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી છે મોહિની કેટરર્સના ત્રણ લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે, 

palanpur-news-ambaji-mohanthal-prasad-adulteration-case-police-detains-four-people-211622

માઈ ભક્તોના સ્વાસ્થ્ય સાથે થતા હતા ચેડા 

ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ બનાવવામાં આવતો હતો તેના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા હતા જેમાં સાબીત થયું હતું કે ઘી તો ભેળસેળવાળું હતું અને નકલી હતું. આના કારણે ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો હતો. આરોગ્ય વિભાગના રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે ઘીમાં વનસ્પતિનું તેલ ઉમેરવામાં આવતું હતું. બીજી મહત્વની વાત સામે એ આવી છે કે અમૂલના નામે અશુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવતો હતો. મોહિની કેટરર્સ રીત સરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા. 

Uproar in the Legislative Assembly over the issue of Mohanthal Prasad in  Ambaji temple | અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદના મુદ્દે વિધાનસભામાં હંગામો


મોહિની કેટરર્સે નીલકંઠ ટ્રેડર્સ પાસેથી લીધું હતું ઘી  

જ્યારે મોહિની કેટરર્સ નીલકંઠ ટ્રેડ્રર્સ પાસેથી ઘીના ડબ્બા ખરીદતું હતું. વિચાર કરો ક્યાં વાત જાય. બજાર કરતા અડધા રૂપિયાનું ઘી મળતું હતું એટલે દરોડા પાડવામાં આવ્યા હતા. ગંભીર વાત તો એ છે કે જો આરોગ્ય વિભાગે દરોડા ન પાડ્યા હોત તો 5 હજારથી વધુ ડબ્બા ઘીનો મોહનથાળ બનાવી લીધો હોત અને ભક્તોએ તો માનો પ્રસાદ સમજીને એ પ્રસાદ લઈ પણ લીધો હોત. 


અવાર-નવાર હાથ ધરાવું જોઈએ ચેકિંગ 

જો કે સામેની બાજુ આ વાત સામે આવી એ પણ એટલી જ જરૂરી છે. કારણ કે ખબર પડી કે માના ધામમાં પણ શ્રદ્ધાના નામે ચેડા થાય છે તો રાજ્યાના બધા ધામોમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે ક્યાંક ત્યાં તો ભેળસેળવાળી વસ્તુ વાપરવામાં નથી આવતીને. જાણવા માટે હવે બધી જ જગ્યાએ સમયાંતરે ચેકિંગ કરતું રહેવું જોઈએ. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી