ખાદ્યતેલ, અનાજ, કઠોળ બાદ હવે શાકભાજીના ભાવમાં ભડકો, રૂ. 200 પ્રતિ કિલો સુધી પહોંચ્યો ભાવ


  • Published By :
  • Published Date : 2023-10-08 16:09:04

તહેવારોની સીઝન નજીક છે ત્યારે જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાદ્યતેલ, અનાજ, કઠોળ બાદ હવે શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં બે ગણો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચોમાસાના વિદાય બાદ ફરી એક વાર લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. લીલા શાકભાજી ઉપરાંત બટાકાના ભાવ પણ વધારો જોવા મળ્યો છે. સામાન્ય માણસ માટે આ કાળઝાળ મોંઘવારીમાં પોતાના પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. 


ગૃહિણીઓનું બજેટ ખોરવાયું


રાજ્યમાં આ વર્ષે શિયાળાની શરૂઆત પહેલા જ હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ટામેટા સિવાયના શાકભાજીનો ભાવ 80 રૂપિયાથી લઈને 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. અત્યારે વટાણા 200 રૂપિયા કિલો થઇ ગયા છે. ચોળી 160 રપિયા, ગુવાર 140 રૂપિયા આમ બધી શાકભાજીના ભાવ વધી ગયા છે. માલની આવક ઓછી હોવાને લીધે ભાવ વધી રહ્યા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 


વિવિધ શાકભાજીના ભાવમાં ભડકો


હાલ રિટેલ માર્કેટમાં વિવિધ શાકભાજીના ભાવ પર એક નજર કરીએ તો ગુવાર - 140 રૂપિયા કિલો, ભીંડા - 100, લીલી - તુવેર ગલકા - 60થી 80, રીંગણા - 100, ફ્લાવર - 100, તુરીયા - 80, સરગવો - 100, વટાણા- 300 રૂપિયા, કોથમીર 200 રૂપિયા કિલો, આદુ 250 રૂપિયા કિલો, રીંગણ 80 રૂપિયા કિલો,   ડુંગળી 40 રૂપિયા કિલો, ફુલાવર 120 રૂપિયા કિલો, લીંબુ 120 રૂપિયા કિલો જેટલો વધારો થયો છે.


શા માટે ભાવ વધ્યા?


શાકભાજીમાં ભાવ વધારા અંગે વેપારીઓના જણાવ્યા પ્રમાણે દેશના અન્ય રાજ્યોમાં ભારે વરસાદને કારણે ઉત્પાદન ઓછું થતાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી લીલા શાકભાજીને લઈને આવતી ટ્રકોમાં ઘટાડો થયો છે. આ કારણોસર શાકભાજીના ભાવમાં વધારો થયો છે. આમ પણ ચોમાસામાં શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ શિયાળામાં આવક વધતા આ ભાવમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વર્ષે પાછોતરા વરસાદને કારણે શાકભાજીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. જેના કારણે લોકલ શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. જેથી છેલ્લા 10 દિવસમાં આ ભાવવઘારો થયો છે. હજુ પણ ભાવ ઘટાડો થવામાં એક મહિના જેટલો સમય લાગી શકે છે. 


તહેવારોની સીઝન ટાણે જ ભાવ વધારો


જીવન જરૂરિયાતોમાં અસહ્ય ભાવ વધારો ગરીબ અને મધ્યમવર્ગ ખાસ કરીને સહન કરી રહ્યો છે. તહેવારોની સીઝન શરુ થઇ ચુકી છે અને તહેવારો ટાણે જ તમામ ચીજ વસ્તુઓમાં ભાવ વધારો સતત નોંધાતા કરોડો પરિવારોની થાળીમાંથી જાણે પોષણયુક્ત આહાર ગાયબ થયો હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ રાજ્યમાં કુપોષણના રીપોર્ટ ચોંકાવનારા રહ્યા છે અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકાર યોજનાઓને આધારે જનતાને લોલીપોપ આપી રહી છે ત્યારે સવાલ અનેક છે અને સામાન્ય જનતા સરકારને પૂછી રહી છે કે થોડી મોંઘવારી ઓછી થશે તો આપોઆપ અનેક ઘરમાં પોષણયુક્ત ખોરાક બનતો થશે પરંતુ સરકારની તિજોરી ટેક્ષની આવકથી છલકાઈ રહી છે અને સામાન્ય પરિવારોના બજેટ પર કાતર ફરી રહી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.