Amarnathની ગુફાઓ સુધી પહોંચશે વાહન, BRO દ્વારા બનાવાઈ રહ્યો છે રસ્તો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-07 15:51:06

હિંદુ ધર્મમાં અમરનાથ યાત્રાનું મહત્વ વિશેષ છે. લાખો ભક્તો અમરનાથના દર્શને જતા હોય છે. હજી સુધી બાબાના દર્શન કરવા માટે ભક્તોએ ચાલવું પડતું હતું પરંતુ હવે તેમની સુવિધામાં વધારો થયો છે. અમરનાથ યાત્રાએ જઈ રહેલા યાત્રિકોને ટૂંક સમયમાં મોટી ભેટ મળવાની છે. ગુફા સુધી વાહનો જશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વાહનો ગુફા સુધી જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બાલતાલના રસ્તાને પહોંળા કરવા માટેનું કામકાજ શરૂ થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. રસ્તાને પહોંળા કરવામાં આવી રહ્યા છે જેનાથી આસાનીથી વાહનો ત્યાં સુધી પહોંચી શકે છે. 

અમરનાથની ગુફા સુધી વાહનો જઈ શકશે

અમરનાથના દર્શને અનેક ભક્તો જતા હોય છે. અમરનાથની ગુફાને આપણે ત્યાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગમ સ્થાનમાંથી પસાર થઈ લોકોએ અમરનાથની ગુફા સુધી પહોંચવું પડતું હોય છે. ત્યારે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન તરફથી મોટી ભેટ મળી છે. અમરનાથની યાત્રા દુર્ગમની બદલીમાં થોડી આસાન થઈ જશે. બીઆરઓ દ્વારા આ રસ્તો બનાવવામાં આવશે. અમરનાથ સુધી પહોંચવા માટે બે રસ્તા છે - એક બાલતાલ અને બીજો માર્ગ છે પહેલગામનો. બંને રસ્તા હજી સુધી કાચા છે. અમરનાથની ગુફા સુધી પહોંચવા માટે લોકોએ પગપાળાનો, હેલિકોપ્ટર તેમજ ઘોડા અથવા તો પાલકીનો ઉપયોગ કરવો પડે છે. શ્રદ્ધાળુઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે હવે બાલતાલ વાળા રસ્તાને સુધારી દેવામાં આવશે.   



પીપીડીએ નોંધાવ્યો વિરોધ 

મહત્વનું છે કે આ સમાચાર સામે આવતા વિરોધનો દોર શરૂ થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર આનો વિરોધ શરૂ થઈ ગયો. જમ્મુ કાશ્મીરના પીપલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તાએ આ મામલે ટ્વિટ કર્યું છે. મોહિત ભાને લખ્યું કે હિંદુ ધર્મ વિરુદ્ધ આ એક મોટો અપરાધ છે. આ ધર્મમાં આપણે પ્રકૃતિમાં લીન થઈ જઈએ છીએ. એટલા માટે આપણાં પવિત્ર સ્થાનો હિમાલયની ગોદમાં છે. રાજકીય લાભ માટે ધાર્મિક સ્થળોને પિકનિક સ્પોટમાં ફેરવવું એ નિંદનીય બાબત છે. અમે જોશીમઠ, કેદારનાથમાં ભગવાનનો પ્રકોપ જોયો છે અને તેમ છતાં અમે તેમાંથી કંઈ શીખી રહ્યા નથી અને કાશ્મીરમાં વિનાશને આમંત્રણ આપી રહ્યા છીએ. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે