Amarnathની ગુફાઓ સુધી પહોંચશે વાહન, BRO દ્વારા બનાવાઈ રહ્યો છે રસ્તો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-07 15:51:06

હિંદુ ધર્મમાં અમરનાથ યાત્રાનું મહત્વ વિશેષ છે. લાખો ભક્તો અમરનાથના દર્શને જતા હોય છે. હજી સુધી બાબાના દર્શન કરવા માટે ભક્તોએ ચાલવું પડતું હતું પરંતુ હવે તેમની સુવિધામાં વધારો થયો છે. અમરનાથ યાત્રાએ જઈ રહેલા યાત્રિકોને ટૂંક સમયમાં મોટી ભેટ મળવાની છે. ગુફા સુધી વાહનો જશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વાહનો ગુફા સુધી જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બાલતાલના રસ્તાને પહોંળા કરવા માટેનું કામકાજ શરૂ થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. રસ્તાને પહોંળા કરવામાં આવી રહ્યા છે જેનાથી આસાનીથી વાહનો ત્યાં સુધી પહોંચી શકે છે. 

અમરનાથની ગુફા સુધી વાહનો જઈ શકશે

અમરનાથના દર્શને અનેક ભક્તો જતા હોય છે. અમરનાથની ગુફાને આપણે ત્યાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગમ સ્થાનમાંથી પસાર થઈ લોકોએ અમરનાથની ગુફા સુધી પહોંચવું પડતું હોય છે. ત્યારે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન તરફથી મોટી ભેટ મળી છે. અમરનાથની યાત્રા દુર્ગમની બદલીમાં થોડી આસાન થઈ જશે. બીઆરઓ દ્વારા આ રસ્તો બનાવવામાં આવશે. અમરનાથ સુધી પહોંચવા માટે બે રસ્તા છે - એક બાલતાલ અને બીજો માર્ગ છે પહેલગામનો. બંને રસ્તા હજી સુધી કાચા છે. અમરનાથની ગુફા સુધી પહોંચવા માટે લોકોએ પગપાળાનો, હેલિકોપ્ટર તેમજ ઘોડા અથવા તો પાલકીનો ઉપયોગ કરવો પડે છે. શ્રદ્ધાળુઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે હવે બાલતાલ વાળા રસ્તાને સુધારી દેવામાં આવશે.   



પીપીડીએ નોંધાવ્યો વિરોધ 

મહત્વનું છે કે આ સમાચાર સામે આવતા વિરોધનો દોર શરૂ થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર આનો વિરોધ શરૂ થઈ ગયો. જમ્મુ કાશ્મીરના પીપલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તાએ આ મામલે ટ્વિટ કર્યું છે. મોહિત ભાને લખ્યું કે હિંદુ ધર્મ વિરુદ્ધ આ એક મોટો અપરાધ છે. આ ધર્મમાં આપણે પ્રકૃતિમાં લીન થઈ જઈએ છીએ. એટલા માટે આપણાં પવિત્ર સ્થાનો હિમાલયની ગોદમાં છે. રાજકીય લાભ માટે ધાર્મિક સ્થળોને પિકનિક સ્પોટમાં ફેરવવું એ નિંદનીય બાબત છે. અમે જોશીમઠ, કેદારનાથમાં ભગવાનનો પ્રકોપ જોયો છે અને તેમ છતાં અમે તેમાંથી કંઈ શીખી રહ્યા નથી અને કાશ્મીરમાં વિનાશને આમંત્રણ આપી રહ્યા છીએ. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.