Congressના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, શા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રહી રહ્યા છે ચૂંટણીથી અળગા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-12 13:22:48

થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 39 ઉમેદવારોની લિસ્ટમાં ગુજરાતના એક પણ ઉમેદવાર ન હતા. ગુજરાત લોકસભા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. ગઠબંધન મૂજબ ભરૂચ તેમજ ભાવનગરની લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 24માંથી એક પણ બેઠક માટે ઉમેદવારના નામ જાહેર નથી કર્યા. ઉમેદવારોના નામ નથી જાહેર કરવામાં આવ્યા તે બધા વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા એકબાદ એક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે. પહેલા જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો ત્યારે હવે ભરતસિંહ સોલંકીએ ના પાડી દીધી છે. 

જગદીશ ઠાકોર બાદ ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર!

એક તરફ કોંગ્રેસનું સંગઠન તૂટી રહ્યું છે તો બીજી  તરફ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. અનેક ધારાસભ્યોએ, અનેક નેતાઓ, કાર્યકર્તાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. કોંગ્રેસ માટે માનવામાં આવતું હતું કે તે પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે ઉપરાંત ધારાસભ્યોને પણ લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકીએ છીએ. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે આ અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું કે મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે, હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું.



કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર!

મહત્વનું છે કે આની પહેલા ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ ના પાડી દીધી હતી. જગદીશ ઠાકોરે કહ્યું કે, નવા ઉમેદવારોને તક મળે અને તેઓ આગળ આવે એ જરુરી છે. ત્યારે હવે કોંગ્રેસના બીજા દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.       



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.