Congressના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, શા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રહી રહ્યા છે ચૂંટણીથી અળગા?


  • Published By :
  • Published Date : 2024-03-12 13:22:48

થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 39 ઉમેદવારોની લિસ્ટમાં ગુજરાતના એક પણ ઉમેદવાર ન હતા. ગુજરાત લોકસભા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. ગઠબંધન મૂજબ ભરૂચ તેમજ ભાવનગરની લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 24માંથી એક પણ બેઠક માટે ઉમેદવારના નામ જાહેર નથી કર્યા. ઉમેદવારોના નામ નથી જાહેર કરવામાં આવ્યા તે બધા વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા એકબાદ એક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે. પહેલા જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો ત્યારે હવે ભરતસિંહ સોલંકીએ ના પાડી દીધી છે. 

જગદીશ ઠાકોર બાદ ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર!

એક તરફ કોંગ્રેસનું સંગઠન તૂટી રહ્યું છે તો બીજી  તરફ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. અનેક ધારાસભ્યોએ, અનેક નેતાઓ, કાર્યકર્તાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. કોંગ્રેસ માટે માનવામાં આવતું હતું કે તે પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે ઉપરાંત ધારાસભ્યોને પણ લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકીએ છીએ. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે આ અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું કે મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે, હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું.



કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર!

મહત્વનું છે કે આની પહેલા ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ ના પાડી દીધી હતી. જગદીશ ઠાકોરે કહ્યું કે, નવા ઉમેદવારોને તક મળે અને તેઓ આગળ આવે એ જરુરી છે. ત્યારે હવે કોંગ્રેસના બીજા દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.