Congressના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, શા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રહી રહ્યા છે ચૂંટણીથી અળગા?


  • Published By :
  • Published Date : 2024-03-12 13:22:48

થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 39 ઉમેદવારોની લિસ્ટમાં ગુજરાતના એક પણ ઉમેદવાર ન હતા. ગુજરાત લોકસભા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. ગઠબંધન મૂજબ ભરૂચ તેમજ ભાવનગરની લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 24માંથી એક પણ બેઠક માટે ઉમેદવારના નામ જાહેર નથી કર્યા. ઉમેદવારોના નામ નથી જાહેર કરવામાં આવ્યા તે બધા વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા એકબાદ એક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે. પહેલા જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો ત્યારે હવે ભરતસિંહ સોલંકીએ ના પાડી દીધી છે. 

જગદીશ ઠાકોર બાદ ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર!

એક તરફ કોંગ્રેસનું સંગઠન તૂટી રહ્યું છે તો બીજી  તરફ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. અનેક ધારાસભ્યોએ, અનેક નેતાઓ, કાર્યકર્તાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. કોંગ્રેસ માટે માનવામાં આવતું હતું કે તે પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે ઉપરાંત ધારાસભ્યોને પણ લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકીએ છીએ. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે આ અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું કે મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે, હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું.



કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર!

મહત્વનું છે કે આની પહેલા ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ ના પાડી દીધી હતી. જગદીશ ઠાકોરે કહ્યું કે, નવા ઉમેદવારોને તક મળે અને તેઓ આગળ આવે એ જરુરી છે. ત્યારે હવે કોંગ્રેસના બીજા દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.       



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે