Loksabha Election પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા સોમાભાઈ પટેલે પક્ષમાંથી આપ્યું રાજીનામું, રાજીનામા પાછળ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-04-11 18:51:23

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં આવા સમાચાર સામે આવવા સામાન્ય બની ગયા છે આ બધા વચ્ચે સુરેન્દ્રનગરથી સાંસદ રહી ચૂકેલા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં તેમણે રાજીનામું આપ્યું છે.  સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લિંબડીના પૂર્વ ધારાસભ્ય તથા કોળી સમાજના નેતા સોમાભાઈ ગાંડાલાલ પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. 

News18 Gujarati

સોમાભાઈ પટેલે કોંગ્રેસને કહ્યા રામ રામ! 

એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પક્ષનો સાથ છોડી રહ્યા છે. એક બાદ એક ઝટકા કોંગ્રેસને લાગી રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કરી લીધો છે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે. અચાનક આવા નિર્ણયને કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. 



રાજીનામા પાછળ આપ્યું આ કારણ 

એવું માનવામાં આવી રહ્યું છે કે સુરેન્દ્રનગર બેઠક પરથી સોમાભાઈ ટિકીટ ઈચ્છી રહ્યા હતા પરંતુ કોંગ્રેસે ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ દ્વારા ચુવાળીયા કોળી સમાજના ચંદુભાઈ શિહોરની સામે કોંગ્રેસે સોમાભાઈની જગ્યાએ ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર ના કરાતા તેમણે રાજીનામું આપી દીધું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. રાજીનામામાં તેમણે કોંગ્રેસ છોડવાનું કારણ પણ દર્શાવ્યું હતું. પત્રમાં તેમણે લખ્યું કે માા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું...    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે