Loksabha Election પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા સોમાભાઈ પટેલે પક્ષમાંથી આપ્યું રાજીનામું, રાજીનામા પાછળ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-04-11 18:51:23

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં આવા સમાચાર સામે આવવા સામાન્ય બની ગયા છે આ બધા વચ્ચે સુરેન્દ્રનગરથી સાંસદ રહી ચૂકેલા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં તેમણે રાજીનામું આપ્યું છે.  સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લિંબડીના પૂર્વ ધારાસભ્ય તથા કોળી સમાજના નેતા સોમાભાઈ ગાંડાલાલ પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. 

News18 Gujarati

સોમાભાઈ પટેલે કોંગ્રેસને કહ્યા રામ રામ! 

એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પક્ષનો સાથ છોડી રહ્યા છે. એક બાદ એક ઝટકા કોંગ્રેસને લાગી રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કરી લીધો છે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે. અચાનક આવા નિર્ણયને કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. 



રાજીનામા પાછળ આપ્યું આ કારણ 

એવું માનવામાં આવી રહ્યું છે કે સુરેન્દ્રનગર બેઠક પરથી સોમાભાઈ ટિકીટ ઈચ્છી રહ્યા હતા પરંતુ કોંગ્રેસે ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ દ્વારા ચુવાળીયા કોળી સમાજના ચંદુભાઈ શિહોરની સામે કોંગ્રેસે સોમાભાઈની જગ્યાએ ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર ના કરાતા તેમણે રાજીનામું આપી દીધું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. રાજીનામામાં તેમણે કોંગ્રેસ છોડવાનું કારણ પણ દર્શાવ્યું હતું. પત્રમાં તેમણે લખ્યું કે માા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું...    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.