રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવશે ગુજરાત, પીએમ મોદી, રાહુલ ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલ કરશે પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-12 12:28:54

ગુજરાતમાં ચૂંટણીની મોસમ જામી છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે ગુજરાત આવવાના છે. વડાપ્રધાન થોડા સમયમાં જ ગુજરાત આવી અંદાજીત 150 જેટલી બેઠકો પર ચૂંટણી પ્રચાર કરશે ઉપરાંત કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી આવવાના છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારકોને પ્રચાર માટે ઉતારી રહી છે. 

Pm Narendra Modi And Amit Shah Coming To Ahmedabad Today | આજે વડાપ્રધાન મોદી  અને અમિત શાહ અમદાવાદ આવશે, કરોડોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

Smriti Irani, Hema Malini, These Bollywood Actresses Are Standing Strong In  UP Politics See Full List | Smriti Irani से लेकर Hema Malini तक, यूपी की  राजनीति में दमखम बनाए हुई हैं

એક સાધુ કેવી રીતે બન્યા દેશની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યના મુખ્યમંત્રી?  જાણો અજય બિષ્ટથી યોગી આદિત્યનાથ બનવા સુધીની સફર

ભાજપ પોતાના સ્ટાર પ્રચારકોને ઉતારશે પ્રચાર માટે 

ચૂંટણી પંચ દ્વારા જ્યારથી ચૂંટણી માટે તારીખની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી વડાપ્રધાન મોદીએ ભાજપનો જોર-શોરથી પ્રચાર કર્યો છે. અમિત શાહ પણ અનેક વખત ગુજરાતમાં આવી ચૂંટણીને લઈ પ્રચાર કર્યો છે તેમજ રણનીતિ પણ બનાવી છે. ત્યારે ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયા ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી દીધી છે. પ્રધાનમંત્રી પોતાના પ્રવાસ દરમિયાન અનેક સ્થળો પર રોડ-શો પણ કરવાના છે. સ્ટાર પ્રચારકો ગુજરાત આવી ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા કામો જનતા સુધી પહોંચાડશે. 

રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી પણ આવશે ગુજરાતમાં પ્રચાર માટે | After Rahul  Gandhi, Priyanka Gandhi will also come to Gujarat for campaigning

રાહુલ તેમજ પ્રિયંકા ગાંધી કોંગ્રેસનો કરશે પ્રચાર 

કોંગ્રેસ પણ ગ્રાઉન્ડ લેવલ પર પ્રચાર કરી રહી છે. ગામડે ગામડે કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પી.ચિદમ્બરમ, શક્તિસિંહ ગોહિલ તેમજ અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચારમાં કોંગ્રેસ પોતાની પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામો તો ગણાવે છે પરંતુ ભાજપ પર પણ પ્રહાર કરે છે. 

Arvind Kejriwal And Bhagwant Mann To Visit Gujarat For Two Days Know What  The Program | Gujarat Election 2022 : અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજથી બે  દિવસ ગુજરાતના પ્રવાસે,જાણો શું છે ...

અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન કરી રહ્યા આપનો પ્રચાર

ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ પ્રચારમાં કોઈ કસર છોડવા નથી માગતી. આમ આદમી પાર્ટીના પ્રચાર માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવી રહ્યા છે. રાઘવ ચડ્ડા પણ આપનો પ્રચાર કરી રહ્યા છે. 

ગાંધીનગર ખાતે 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની ઉજવણી કરાશે.

પ્રચારથી શું મતદારો થશે આકર્ષિત? 

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પહેલી અને પાંચ ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા બેઠક માટે મતદાન થવાનું છે અને જેના પરિણામો આઠમી ડિસેમ્બરે આવવાના છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલો પ્રચાર મતદારોને રિઝવવામાં કેટલો સફળ થશે  તે મતગણતરીના દિવસે ખબર પડશે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"