રામ મંદિરના નામે QR કોડ દ્વારા ફંડ ઉઘરાવવાના રેકેટનો પર્દાફાસ, VHPએ આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-12-31 19:00:47

અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરના રામ ભક્તોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ભવ્ય રામ મંદિરના નામે  શ્રદ્ધાળુઓને લૂંટવાનો ખેલ ચાલી રહ્યો છે, આ સંપુર્ણ રેકેટનો પર્દાફાશ થતા વિશ્વ હિન્દુ પરિષદ પણ એક્શનમાં આવી છે. છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લેભાગુ તત્વોને ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને લોકો પાસેથી મંદિરના નામે ફાળો માગવામાં આવી રહ્યો છે. જે લોકો પર કોલ આવ્યો તેમાંથી કોઈ VHP કાર્યકર્તાઓની સાથે નંબર શેર કર્યો હતો. જે બાદ એક VHP કાર્યકર્તાના નંબર પર કોલ કર્યો અને પછી છેતરપિંડી કરનારની મોડસ ઓપરેન્ડી પકડાઈ ગઈ હતી.


કેવી રીતે ચાલી રહી છે છેતરપિંડી?


અયોધ્યમાં ભગવાન રામના મંદિરના નિર્માણના નામે રામ ભક્તો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને લોકોને ફંડ આપવા માટે આગ્રહ કરવામાં આવે છે. આ મેસેજમાં QR કોડ પણ હોય છે અને લખાયેલું હોય છે કે સ્કેન કરીને પેમેન્ટ કરો. આ પૈસા રામ મંદિર નિર્માણમાં વાપરવામાં આવશે, પરંતુ આ પૈસા છેતરપિંડી કરતા લોકોના ખાતામાં જાય છે.


VHPએ શું કહ્યું?


VHPના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે- આ મામલાને લઈને ગૃહ મંત્રાલય અને દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશને જાણ કરી દેવાઈ છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે મંદિર નિર્માણની દેખરેખ કરનારા ટ્રસ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ કોઈને પણ ધન ભેગું કરવાનું કામ નથી સોંપ્યું. તેમણે વધુમાં કહ્યું કે આ ખુશીનો પ્રસંગ છે અને અમે નિમંત્રણ મોલકી રહ્યાં છીએ. અમે કોઈની પાસેથી કોઈ દાન નથી લઈ રહ્યાં. તેથી છેતરપિંડી કરનારાઓથી સતર્ક રહેવું જોઈએ. વીડિયો સંદેશમાં બંસલે કહ્યું- અમને હાલમાં જ મંદિરના નામે ધન એકઠું કરવાનારાઓ અંગે જાણકારી મળી છે. મેં તે અંગે ગૃહ મંત્રાલય, ઉત્તરપ્રદેશના પોલીસ મહાનિર્દેશક અને દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખી કડક કાર્યવાહીની માગ કરી છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.