રામ મંદિરના નામે QR કોડ દ્વારા ફંડ ઉઘરાવવાના રેકેટનો પર્દાફાસ, VHPએ આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-12-31 19:00:47

અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરના રામ ભક્તોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ભવ્ય રામ મંદિરના નામે  શ્રદ્ધાળુઓને લૂંટવાનો ખેલ ચાલી રહ્યો છે, આ સંપુર્ણ રેકેટનો પર્દાફાશ થતા વિશ્વ હિન્દુ પરિષદ પણ એક્શનમાં આવી છે. છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લેભાગુ તત્વોને ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને લોકો પાસેથી મંદિરના નામે ફાળો માગવામાં આવી રહ્યો છે. જે લોકો પર કોલ આવ્યો તેમાંથી કોઈ VHP કાર્યકર્તાઓની સાથે નંબર શેર કર્યો હતો. જે બાદ એક VHP કાર્યકર્તાના નંબર પર કોલ કર્યો અને પછી છેતરપિંડી કરનારની મોડસ ઓપરેન્ડી પકડાઈ ગઈ હતી.


કેવી રીતે ચાલી રહી છે છેતરપિંડી?


અયોધ્યમાં ભગવાન રામના મંદિરના નિર્માણના નામે રામ ભક્તો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને લોકોને ફંડ આપવા માટે આગ્રહ કરવામાં આવે છે. આ મેસેજમાં QR કોડ પણ હોય છે અને લખાયેલું હોય છે કે સ્કેન કરીને પેમેન્ટ કરો. આ પૈસા રામ મંદિર નિર્માણમાં વાપરવામાં આવશે, પરંતુ આ પૈસા છેતરપિંડી કરતા લોકોના ખાતામાં જાય છે.


VHPએ શું કહ્યું?


VHPના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે- આ મામલાને લઈને ગૃહ મંત્રાલય અને દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશને જાણ કરી દેવાઈ છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે મંદિર નિર્માણની દેખરેખ કરનારા ટ્રસ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ કોઈને પણ ધન ભેગું કરવાનું કામ નથી સોંપ્યું. તેમણે વધુમાં કહ્યું કે આ ખુશીનો પ્રસંગ છે અને અમે નિમંત્રણ મોલકી રહ્યાં છીએ. અમે કોઈની પાસેથી કોઈ દાન નથી લઈ રહ્યાં. તેથી છેતરપિંડી કરનારાઓથી સતર્ક રહેવું જોઈએ. વીડિયો સંદેશમાં બંસલે કહ્યું- અમને હાલમાં જ મંદિરના નામે ધન એકઠું કરવાનારાઓ અંગે જાણકારી મળી છે. મેં તે અંગે ગૃહ મંત્રાલય, ઉત્તરપ્રદેશના પોલીસ મહાનિર્દેશક અને દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખી કડક કાર્યવાહીની માગ કરી છે.



ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.