રામ મંદિરના નામે QR કોડ દ્વારા ફંડ ઉઘરાવવાના રેકેટનો પર્દાફાસ, VHPએ આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-12-31 19:00:47

અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરના રામ ભક્તોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ભવ્ય રામ મંદિરના નામે  શ્રદ્ધાળુઓને લૂંટવાનો ખેલ ચાલી રહ્યો છે, આ સંપુર્ણ રેકેટનો પર્દાફાશ થતા વિશ્વ હિન્દુ પરિષદ પણ એક્શનમાં આવી છે. છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લેભાગુ તત્વોને ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને લોકો પાસેથી મંદિરના નામે ફાળો માગવામાં આવી રહ્યો છે. જે લોકો પર કોલ આવ્યો તેમાંથી કોઈ VHP કાર્યકર્તાઓની સાથે નંબર શેર કર્યો હતો. જે બાદ એક VHP કાર્યકર્તાના નંબર પર કોલ કર્યો અને પછી છેતરપિંડી કરનારની મોડસ ઓપરેન્ડી પકડાઈ ગઈ હતી.


કેવી રીતે ચાલી રહી છે છેતરપિંડી?


અયોધ્યમાં ભગવાન રામના મંદિરના નિર્માણના નામે રામ ભક્તો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને લોકોને ફંડ આપવા માટે આગ્રહ કરવામાં આવે છે. આ મેસેજમાં QR કોડ પણ હોય છે અને લખાયેલું હોય છે કે સ્કેન કરીને પેમેન્ટ કરો. આ પૈસા રામ મંદિર નિર્માણમાં વાપરવામાં આવશે, પરંતુ આ પૈસા છેતરપિંડી કરતા લોકોના ખાતામાં જાય છે.


VHPએ શું કહ્યું?


VHPના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે- આ મામલાને લઈને ગૃહ મંત્રાલય અને દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશને જાણ કરી દેવાઈ છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે મંદિર નિર્માણની દેખરેખ કરનારા ટ્રસ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ કોઈને પણ ધન ભેગું કરવાનું કામ નથી સોંપ્યું. તેમણે વધુમાં કહ્યું કે આ ખુશીનો પ્રસંગ છે અને અમે નિમંત્રણ મોલકી રહ્યાં છીએ. અમે કોઈની પાસેથી કોઈ દાન નથી લઈ રહ્યાં. તેથી છેતરપિંડી કરનારાઓથી સતર્ક રહેવું જોઈએ. વીડિયો સંદેશમાં બંસલે કહ્યું- અમને હાલમાં જ મંદિરના નામે ધન એકઠું કરવાનારાઓ અંગે જાણકારી મળી છે. મેં તે અંગે ગૃહ મંત્રાલય, ઉત્તરપ્રદેશના પોલીસ મહાનિર્દેશક અને દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખી કડક કાર્યવાહીની માગ કરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.