રામ મંદિરના નામે QR કોડ દ્વારા ફંડ ઉઘરાવવાના રેકેટનો પર્દાફાસ, VHPએ આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-12-31 19:00:47

અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરના રામ ભક્તોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ભવ્ય રામ મંદિરના નામે  શ્રદ્ધાળુઓને લૂંટવાનો ખેલ ચાલી રહ્યો છે, આ સંપુર્ણ રેકેટનો પર્દાફાશ થતા વિશ્વ હિન્દુ પરિષદ પણ એક્શનમાં આવી છે. છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લેભાગુ તત્વોને ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને લોકો પાસેથી મંદિરના નામે ફાળો માગવામાં આવી રહ્યો છે. જે લોકો પર કોલ આવ્યો તેમાંથી કોઈ VHP કાર્યકર્તાઓની સાથે નંબર શેર કર્યો હતો. જે બાદ એક VHP કાર્યકર્તાના નંબર પર કોલ કર્યો અને પછી છેતરપિંડી કરનારની મોડસ ઓપરેન્ડી પકડાઈ ગઈ હતી.


કેવી રીતે ચાલી રહી છે છેતરપિંડી?


અયોધ્યમાં ભગવાન રામના મંદિરના નિર્માણના નામે રામ ભક્તો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને લોકોને ફંડ આપવા માટે આગ્રહ કરવામાં આવે છે. આ મેસેજમાં QR કોડ પણ હોય છે અને લખાયેલું હોય છે કે સ્કેન કરીને પેમેન્ટ કરો. આ પૈસા રામ મંદિર નિર્માણમાં વાપરવામાં આવશે, પરંતુ આ પૈસા છેતરપિંડી કરતા લોકોના ખાતામાં જાય છે.


VHPએ શું કહ્યું?


VHPના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે- આ મામલાને લઈને ગૃહ મંત્રાલય અને દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશને જાણ કરી દેવાઈ છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે મંદિર નિર્માણની દેખરેખ કરનારા ટ્રસ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ કોઈને પણ ધન ભેગું કરવાનું કામ નથી સોંપ્યું. તેમણે વધુમાં કહ્યું કે આ ખુશીનો પ્રસંગ છે અને અમે નિમંત્રણ મોલકી રહ્યાં છીએ. અમે કોઈની પાસેથી કોઈ દાન નથી લઈ રહ્યાં. તેથી છેતરપિંડી કરનારાઓથી સતર્ક રહેવું જોઈએ. વીડિયો સંદેશમાં બંસલે કહ્યું- અમને હાલમાં જ મંદિરના નામે ધન એકઠું કરવાનારાઓ અંગે જાણકારી મળી છે. મેં તે અંગે ગૃહ મંત્રાલય, ઉત્તરપ્રદેશના પોલીસ મહાનિર્દેશક અને દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખી કડક કાર્યવાહીની માગ કરી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે