વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાવનારી સોશિયલ મિડિયા પોસ્ટ મુકનાર રોહન શાહની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-02 19:27:35

રાજ્યમાં રામનવમી નિમિત્તે વિવિધ શહેરોમાં રામજીની શોભાયાત્રા યોજાઈ હતી. આ જ દિવસે વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાઓ બની હતી. એક જ દિવસમાં બે વિસ્તારોમાં પથ્થરમારાની ઘટનાથી વડોદરાની શાંતિ ડહોળાઇ હતી આ ઘટના બાદ શહેરમાં સ્થિતિ હજુ પણ અજંપાભરી છે. જોકે પથ્થરમારા કરનારા 23 વધુ શખ્સોની વડોદરા પોલીસે ધરપકડ કરી આરોપીઓને રિમાન્ડ પર મોકલી દેવાયા છે. અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બે દિવસ બાદ પણ પોલીસ તોફાન ફાટી નીકળેલા વિસ્તારોમાં ખડેપગે તૈનાત છે. સોશિયલ મિડિયા પર ઉશ્કેરણીજનક ભાષણ મૂકી માહોલ બગાડનારા તત્વો સામે હવે વડોદરા સાયબર ક્રાઇમે લાલઆંખ કરી છે. ભડકાઉ પોસ્ટ ફેસબુક પર મૂકનાર એક શખ્સની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.


રોહન શાહની ધરપકડ


રામનવમીની શોભાયાત્રામાં જે ભડકાઉ ભાષણો આપ્યા હતા અને શહેરની શાંતિ ડહોળાઇ હતી તે બાબતે પણ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં સાયબર સેલની ટીમે VHP નેતા રોહન શાહ, કેતન ત્રિવેદી ગુંજલ શાહ સહિત અન્ય એક અજાણ્યા શખ્સ સામે IPC કલમ 153A, 34 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રોહન કમલેશ શાહની ધરપકડ પણ કરી લેવાઇ છે. જોકે અન્ય આરોપીઓ ફરાર છે. જેની PCB, SOG, ક્રાઇમબ્રાન્ચ સહિત અલગ અલગ ટીમો શોધખોળમાં લાગી છે.


સોશિયલ મીડિયા પર પોલીસની નજર


વડોદરામાં સર્જાયેલા કોમી છમકલાની કાર્યવાહીમાં પોલીસ બાદ હવે સાયબર ક્રાઇમ સેલની ટીમ પણ કાર્યવાહીમાં લાગી છે. વડોદરા સાયબર ક્રાઇમ દ્ઘારા ફેસબુક, ઇન્ટાગ્રામ અને વોટસએપ સહિતના માધ્યમો પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી શાંતિ બગાડનારા તત્વો પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. શહેર પોલીસ કમિશનર દ્વાર સાયબર ક્રાઇમને ભડકાઉ પોસ્ટ મૂકનારા શખ્સો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.



ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.