વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાવનારી સોશિયલ મિડિયા પોસ્ટ મુકનાર રોહન શાહની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-02 19:27:35

રાજ્યમાં રામનવમી નિમિત્તે વિવિધ શહેરોમાં રામજીની શોભાયાત્રા યોજાઈ હતી. આ જ દિવસે વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાઓ બની હતી. એક જ દિવસમાં બે વિસ્તારોમાં પથ્થરમારાની ઘટનાથી વડોદરાની શાંતિ ડહોળાઇ હતી આ ઘટના બાદ શહેરમાં સ્થિતિ હજુ પણ અજંપાભરી છે. જોકે પથ્થરમારા કરનારા 23 વધુ શખ્સોની વડોદરા પોલીસે ધરપકડ કરી આરોપીઓને રિમાન્ડ પર મોકલી દેવાયા છે. અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બે દિવસ બાદ પણ પોલીસ તોફાન ફાટી નીકળેલા વિસ્તારોમાં ખડેપગે તૈનાત છે. સોશિયલ મિડિયા પર ઉશ્કેરણીજનક ભાષણ મૂકી માહોલ બગાડનારા તત્વો સામે હવે વડોદરા સાયબર ક્રાઇમે લાલઆંખ કરી છે. ભડકાઉ પોસ્ટ ફેસબુક પર મૂકનાર એક શખ્સની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.


રોહન શાહની ધરપકડ


રામનવમીની શોભાયાત્રામાં જે ભડકાઉ ભાષણો આપ્યા હતા અને શહેરની શાંતિ ડહોળાઇ હતી તે બાબતે પણ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં સાયબર સેલની ટીમે VHP નેતા રોહન શાહ, કેતન ત્રિવેદી ગુંજલ શાહ સહિત અન્ય એક અજાણ્યા શખ્સ સામે IPC કલમ 153A, 34 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રોહન કમલેશ શાહની ધરપકડ પણ કરી લેવાઇ છે. જોકે અન્ય આરોપીઓ ફરાર છે. જેની PCB, SOG, ક્રાઇમબ્રાન્ચ સહિત અલગ અલગ ટીમો શોધખોળમાં લાગી છે.


સોશિયલ મીડિયા પર પોલીસની નજર


વડોદરામાં સર્જાયેલા કોમી છમકલાની કાર્યવાહીમાં પોલીસ બાદ હવે સાયબર ક્રાઇમ સેલની ટીમ પણ કાર્યવાહીમાં લાગી છે. વડોદરા સાયબર ક્રાઇમ દ્ઘારા ફેસબુક, ઇન્ટાગ્રામ અને વોટસએપ સહિતના માધ્યમો પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી શાંતિ બગાડનારા તત્વો પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. શહેર પોલીસ કમિશનર દ્વાર સાયબર ક્રાઇમને ભડકાઉ પોસ્ટ મૂકનારા શખ્સો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.