Gandhinagarમાં શરૂ થયું Vibrant Gujarat Global Summit 2024, Mukesh Ambani સહિત આ ઉદ્યોગપતિઓએ કરી જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-10 11:49:22

વાઈબ્રન્ટ ગુજરાતનું ઉદ્ધાટન ગાંધીનગર ખાતે થઈ ગયું છે. વિવિધ દેશના વડાઓ ગુજરાતના આંગણે આવ્યા છે, ગુજરાતના મહેમાન બન્યા છે. સવારે 9.45 વાગ્યે પીએમ મોદીના હસ્તે આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ધાટન થયું છે. આ સમિટમાં ભાગ લેવા 25 હજારથી વધુ ડેલિગેટ્ ગાંધીનગર ખાતે આવ્યા છે. આ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન પણ ગુજરાત આવ્યા છે. 

વાઈબ્રન્ટ સમિટ માટે મુકેશ અંબાણીએ કહ્યું કે... 

આ સમિટમાં ભારતના તેમજ વિશ્વના મોટા મોટા ઉદ્યોગપતિઓ આવ્યા છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કરતા અનેક જાહેરાતો કરી. પોતાના સંબોધનમાં મુકેશ અંબાણીએ કહ્યું કે અમારો વ્યવસાય 7 કરોડ ગુજરાતીઓના સપના પૂરા કરી રહ્યા છે. ગુજરાત અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આપનું સ્વાગત છે – આજે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત રોકાણકાર સમિટ. 20 વર્ષ સુધી ચાલે છે અને તાકાતથી મજબૂતી તરફ આગળ વધે છે તેના જેવી બીજી કોઈ સમિટ નથી.  

મને ગુજરાતી હોવાનું અભિમાન છે - મુકેશ અંબાણી 

વધુમાં તેમણે કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત આજે વિશ્વમાં સૌથી પ્રતિષ્ઠિત છે. બીજા કોઈ સમિટે 20 વર્ષ પૂરા કર્યા નથી. રિલાયન્સ ગુજરાતની ગ્રોથ સ્ટોરીમાં અગ્રણી ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ બનાવવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે મને ગુજરાતી હોવાનું અભિમાન છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.