Gandhinagarમાં શરૂ થયું Vibrant Gujarat Global Summit 2024, Mukesh Ambani સહિત આ ઉદ્યોગપતિઓએ કરી જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-10 11:49:22

વાઈબ્રન્ટ ગુજરાતનું ઉદ્ધાટન ગાંધીનગર ખાતે થઈ ગયું છે. વિવિધ દેશના વડાઓ ગુજરાતના આંગણે આવ્યા છે, ગુજરાતના મહેમાન બન્યા છે. સવારે 9.45 વાગ્યે પીએમ મોદીના હસ્તે આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ધાટન થયું છે. આ સમિટમાં ભાગ લેવા 25 હજારથી વધુ ડેલિગેટ્ ગાંધીનગર ખાતે આવ્યા છે. આ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન પણ ગુજરાત આવ્યા છે. 

વાઈબ્રન્ટ સમિટ માટે મુકેશ અંબાણીએ કહ્યું કે... 

આ સમિટમાં ભારતના તેમજ વિશ્વના મોટા મોટા ઉદ્યોગપતિઓ આવ્યા છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કરતા અનેક જાહેરાતો કરી. પોતાના સંબોધનમાં મુકેશ અંબાણીએ કહ્યું કે અમારો વ્યવસાય 7 કરોડ ગુજરાતીઓના સપના પૂરા કરી રહ્યા છે. ગુજરાત અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આપનું સ્વાગત છે – આજે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત રોકાણકાર સમિટ. 20 વર્ષ સુધી ચાલે છે અને તાકાતથી મજબૂતી તરફ આગળ વધે છે તેના જેવી બીજી કોઈ સમિટ નથી.  

મને ગુજરાતી હોવાનું અભિમાન છે - મુકેશ અંબાણી 

વધુમાં તેમણે કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત આજે વિશ્વમાં સૌથી પ્રતિષ્ઠિત છે. બીજા કોઈ સમિટે 20 વર્ષ પૂરા કર્યા નથી. રિલાયન્સ ગુજરાતની ગ્રોથ સ્ટોરીમાં અગ્રણી ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ બનાવવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે મને ગુજરાતી હોવાનું અભિમાન છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.