Gandhinagarમાં શરૂ થયું Vibrant Gujarat Global Summit 2024, Mukesh Ambani સહિત આ ઉદ્યોગપતિઓએ કરી જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-10 11:49:22

વાઈબ્રન્ટ ગુજરાતનું ઉદ્ધાટન ગાંધીનગર ખાતે થઈ ગયું છે. વિવિધ દેશના વડાઓ ગુજરાતના આંગણે આવ્યા છે, ગુજરાતના મહેમાન બન્યા છે. સવારે 9.45 વાગ્યે પીએમ મોદીના હસ્તે આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ધાટન થયું છે. આ સમિટમાં ભાગ લેવા 25 હજારથી વધુ ડેલિગેટ્ ગાંધીનગર ખાતે આવ્યા છે. આ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન પણ ગુજરાત આવ્યા છે. 

વાઈબ્રન્ટ સમિટ માટે મુકેશ અંબાણીએ કહ્યું કે... 

આ સમિટમાં ભારતના તેમજ વિશ્વના મોટા મોટા ઉદ્યોગપતિઓ આવ્યા છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કરતા અનેક જાહેરાતો કરી. પોતાના સંબોધનમાં મુકેશ અંબાણીએ કહ્યું કે અમારો વ્યવસાય 7 કરોડ ગુજરાતીઓના સપના પૂરા કરી રહ્યા છે. ગુજરાત અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આપનું સ્વાગત છે – આજે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત રોકાણકાર સમિટ. 20 વર્ષ સુધી ચાલે છે અને તાકાતથી મજબૂતી તરફ આગળ વધે છે તેના જેવી બીજી કોઈ સમિટ નથી.  

મને ગુજરાતી હોવાનું અભિમાન છે - મુકેશ અંબાણી 

વધુમાં તેમણે કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત આજે વિશ્વમાં સૌથી પ્રતિષ્ઠિત છે. બીજા કોઈ સમિટે 20 વર્ષ પૂરા કર્યા નથી. રિલાયન્સ ગુજરાતની ગ્રોથ સ્ટોરીમાં અગ્રણી ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ બનાવવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે મને ગુજરાતી હોવાનું અભિમાન છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.