બનાસકાંઠાની વિચરતી વિમુક્ત જાતિના લોકોએ પાલનપુરમાં હાઈવે કર્યો બ્લોક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 20:50:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે દરેક સમાજના લોકો તેમની માંગણીઓને લઈને ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. આજે બનાસકાંઠાનાં મુખ્ય મથક પાલનપુર ખાતે વિચરતી વિમુક્ત જાતિના 40 સમાજના લોકોએ નેશનલ હાઈવે પર દેખાવો કર્યા હતા.


હાઈવે બ્લોક કરતા વાહન વ્યવહાર ખોરવાયો


બનાસકાંઠાની પછાત અને વંચિત મનાતી વિમુક્ત જાતિના 40 સમાજના લોકો સંયુક્તપણે ધરણા કરવા એકઠા થયા હતા. આ લોકોએ  પાલનપુર શહેરમાં નેશનલ હાઇવે પર ઉભા રહી વિરોધ પ્રદર્શન કરતા હાઈવે બ્લોક થયો હતો. ધરણા કરવા મોટી સંખ્યામાં  ઉમટેલા લોકોના કારણે નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. માર્ગ પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.


 વિચરતી વિમુક્ત જાતિના લોકોની માગણી શું છે?


પાલનપુર શહેરમાં એકઠા થયેલા આ વિચરતી વિમુક્ત જાતિના લોકો તેમના સમાજ માટે અનામતની માંગ કરી રહ્યા હતા.  વિચરતી વિમુક્ત જાતિના  40 સમાજના લોકોએ ચક્કાજામ કરી તેમનો વિરોધ દર્શાવ્યો હતો. આ સમાજના લોકોનું માનવું છે કે ગુજરાતમાં એસસી, એસટી અને ઓબીસીની જેમ આ સમાજ પણ એક આરક્ષિત કેટેગરીમાં આવે છે અને તેમને સરકારના વિવિધ લાભો મળવા જોઈએ. ખાસ કરીને શિક્ષણ સત્તા અને નોકરીમાં તેઓને આરક્ષણ આપવું જોઈએ. પાલનપુરના રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમાજના લોકોએ તમની માંગણીને લઈ ચૂંટણી બહિષ્કાર તથા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે