બનાસકાંઠાની વિચરતી વિમુક્ત જાતિના લોકોએ પાલનપુરમાં હાઈવે કર્યો બ્લોક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 20:50:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે દરેક સમાજના લોકો તેમની માંગણીઓને લઈને ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. આજે બનાસકાંઠાનાં મુખ્ય મથક પાલનપુર ખાતે વિચરતી વિમુક્ત જાતિના 40 સમાજના લોકોએ નેશનલ હાઈવે પર દેખાવો કર્યા હતા.


હાઈવે બ્લોક કરતા વાહન વ્યવહાર ખોરવાયો


બનાસકાંઠાની પછાત અને વંચિત મનાતી વિમુક્ત જાતિના 40 સમાજના લોકો સંયુક્તપણે ધરણા કરવા એકઠા થયા હતા. આ લોકોએ  પાલનપુર શહેરમાં નેશનલ હાઇવે પર ઉભા રહી વિરોધ પ્રદર્શન કરતા હાઈવે બ્લોક થયો હતો. ધરણા કરવા મોટી સંખ્યામાં  ઉમટેલા લોકોના કારણે નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. માર્ગ પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.


 વિચરતી વિમુક્ત જાતિના લોકોની માગણી શું છે?


પાલનપુર શહેરમાં એકઠા થયેલા આ વિચરતી વિમુક્ત જાતિના લોકો તેમના સમાજ માટે અનામતની માંગ કરી રહ્યા હતા.  વિચરતી વિમુક્ત જાતિના  40 સમાજના લોકોએ ચક્કાજામ કરી તેમનો વિરોધ દર્શાવ્યો હતો. આ સમાજના લોકોનું માનવું છે કે ગુજરાતમાં એસસી, એસટી અને ઓબીસીની જેમ આ સમાજ પણ એક આરક્ષિત કેટેગરીમાં આવે છે અને તેમને સરકારના વિવિધ લાભો મળવા જોઈએ. ખાસ કરીને શિક્ષણ સત્તા અને નોકરીમાં તેઓને આરક્ષણ આપવું જોઈએ. પાલનપુરના રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમાજના લોકોએ તમની માંગણીને લઈ ચૂંટણી બહિષ્કાર તથા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"