બનાસકાંઠાની વિચરતી વિમુક્ત જાતિના લોકોએ પાલનપુરમાં હાઈવે કર્યો બ્લોક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 20:50:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે દરેક સમાજના લોકો તેમની માંગણીઓને લઈને ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. આજે બનાસકાંઠાનાં મુખ્ય મથક પાલનપુર ખાતે વિચરતી વિમુક્ત જાતિના 40 સમાજના લોકોએ નેશનલ હાઈવે પર દેખાવો કર્યા હતા.


હાઈવે બ્લોક કરતા વાહન વ્યવહાર ખોરવાયો


બનાસકાંઠાની પછાત અને વંચિત મનાતી વિમુક્ત જાતિના 40 સમાજના લોકો સંયુક્તપણે ધરણા કરવા એકઠા થયા હતા. આ લોકોએ  પાલનપુર શહેરમાં નેશનલ હાઇવે પર ઉભા રહી વિરોધ પ્રદર્શન કરતા હાઈવે બ્લોક થયો હતો. ધરણા કરવા મોટી સંખ્યામાં  ઉમટેલા લોકોના કારણે નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. માર્ગ પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.


 વિચરતી વિમુક્ત જાતિના લોકોની માગણી શું છે?


પાલનપુર શહેરમાં એકઠા થયેલા આ વિચરતી વિમુક્ત જાતિના લોકો તેમના સમાજ માટે અનામતની માંગ કરી રહ્યા હતા.  વિચરતી વિમુક્ત જાતિના  40 સમાજના લોકોએ ચક્કાજામ કરી તેમનો વિરોધ દર્શાવ્યો હતો. આ સમાજના લોકોનું માનવું છે કે ગુજરાતમાં એસસી, એસટી અને ઓબીસીની જેમ આ સમાજ પણ એક આરક્ષિત કેટેગરીમાં આવે છે અને તેમને સરકારના વિવિધ લાભો મળવા જોઈએ. ખાસ કરીને શિક્ષણ સત્તા અને નોકરીમાં તેઓને આરક્ષણ આપવું જોઈએ. પાલનપુરના રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમાજના લોકોએ તમની માંગણીને લઈ ચૂંટણી બહિષ્કાર તથા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.