બનાસકાંઠાની વિચરતી વિમુક્ત જાતિના લોકોએ પાલનપુરમાં હાઈવે કર્યો બ્લોક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 20:50:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે દરેક સમાજના લોકો તેમની માંગણીઓને લઈને ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. આજે બનાસકાંઠાનાં મુખ્ય મથક પાલનપુર ખાતે વિચરતી વિમુક્ત જાતિના 40 સમાજના લોકોએ નેશનલ હાઈવે પર દેખાવો કર્યા હતા.


હાઈવે બ્લોક કરતા વાહન વ્યવહાર ખોરવાયો


બનાસકાંઠાની પછાત અને વંચિત મનાતી વિમુક્ત જાતિના 40 સમાજના લોકો સંયુક્તપણે ધરણા કરવા એકઠા થયા હતા. આ લોકોએ  પાલનપુર શહેરમાં નેશનલ હાઇવે પર ઉભા રહી વિરોધ પ્રદર્શન કરતા હાઈવે બ્લોક થયો હતો. ધરણા કરવા મોટી સંખ્યામાં  ઉમટેલા લોકોના કારણે નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. માર્ગ પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.


 વિચરતી વિમુક્ત જાતિના લોકોની માગણી શું છે?


પાલનપુર શહેરમાં એકઠા થયેલા આ વિચરતી વિમુક્ત જાતિના લોકો તેમના સમાજ માટે અનામતની માંગ કરી રહ્યા હતા.  વિચરતી વિમુક્ત જાતિના  40 સમાજના લોકોએ ચક્કાજામ કરી તેમનો વિરોધ દર્શાવ્યો હતો. આ સમાજના લોકોનું માનવું છે કે ગુજરાતમાં એસસી, એસટી અને ઓબીસીની જેમ આ સમાજ પણ એક આરક્ષિત કેટેગરીમાં આવે છે અને તેમને સરકારના વિવિધ લાભો મળવા જોઈએ. ખાસ કરીને શિક્ષણ સત્તા અને નોકરીમાં તેઓને આરક્ષણ આપવું જોઈએ. પાલનપુરના રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમાજના લોકોએ તમની માંગણીને લઈ ચૂંટણી બહિષ્કાર તથા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .