વિક્ટોરિયા ગૌરીએ મદ્રાસ હાઈકોર્ટના જજ તરીકે શપથ લીધા, સુપ્રીમે નિમણૂક સામેની અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-02-07 15:55:01

એડવોકેટ વિકટોરિયા ગૌરીના મામલે સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર થયેલા સિનિયર વકીલ રાજુ રામચંદ્રને સુપ્રીમ કોર્ટ કોલેજીયમનની ભલામણને રદ્દ કરવાની માગ કરી હતી. આ અંગે રાજુ રામચંદ્રને દલીલ કરતા કહ્યું કે શપથ લેનારા ન્યાયાધીશોએ બંધારણમાં આસ્થા રાખવી જોઈએ. પરંતું જેમના નામ પર આશંકા વ્યક્ત કરવામાં આવી છે, અને તેમના જાહેર નિવેદનો કારણે તેમની નિમણૂક રદ્દ કરવી જોઈએ. જો કે કોર્ટે તેમ કહીંને અરજી ફગાવી દીધી કે કોલેજીયમને તેની ભલામણ પર પુનર્વિચાર માટે કહીં શકીએ નહીં. 


વિક્ટોરિયા ગૌરીએ શપથ લીધા


એક તરફ સુપ્રીમ કોર્ટે વિક્ટોરિયા ગૌરીને એડિશનલ જજ બનાવવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણીથી ઈન્કાર કર્યો છે તો બીજી તરફ વિક્ટોરિયા ગૌરીએ મદ્રાસ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે આજે શપથ લીધા છે. તે માટે મદ્રાસ હાઈકોર્ટે પહેલાથી સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો.    


વિક્ટોરિયા ગૌરી સાથેનો વિવાદ શું છે?


સુપ્રીમ કોર્ટમાં વિક્ટોરિયા ગૌરી સાથેનો વિવાદ ખુબ જ ગાજ્યો છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે લક્ષ્મણ ચંદ્રા વિક્ટોરિયા ગૌરીને મદ્રાસ હાઈકોર્ટમાં એડિશનલ જજ બનાવવાની ભલામણ કરી હતી, જેને સરકારે મંજુર આપી હતી. જો કે વિક્ટોરિયા ગૌરીને એડિશનલ જજ બનાવવાનો વિરોધ શરૂ થઈ ગયો હતો. મદ્રાસ હાઈકોર્ટ બાર કાઉન્સિલ સાથે સંકળાયેલા લોકોનું કહેવું હતું કે વિક્ટોરિયા ગૌરીની બિજેપી સાથે જોડાણ રહ્યું છે. આ મુદ્દે અરજીકર્તાએ વર્ષ 2019માં વિક્ટોરિયા ગૌરી દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટને ટાંકવામાં આવ્યું હતું. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો વિક્ટોરિયા ગૌરી ભાજપા મહિલા મોરચાના મહાસચિવ રહ્યા છે. તે ઉપરાંત તેમના પર ખ્રીસ્તી અને મુસ્લિમ સમુદાય વિરૂધ્ધ કથિત નિવેદન કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.