વિક્ટોરિયા ગૌરીએ મદ્રાસ હાઈકોર્ટના જજ તરીકે શપથ લીધા, સુપ્રીમે નિમણૂક સામેની અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-02-07 15:55:01

એડવોકેટ વિકટોરિયા ગૌરીના મામલે સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર થયેલા સિનિયર વકીલ રાજુ રામચંદ્રને સુપ્રીમ કોર્ટ કોલેજીયમનની ભલામણને રદ્દ કરવાની માગ કરી હતી. આ અંગે રાજુ રામચંદ્રને દલીલ કરતા કહ્યું કે શપથ લેનારા ન્યાયાધીશોએ બંધારણમાં આસ્થા રાખવી જોઈએ. પરંતું જેમના નામ પર આશંકા વ્યક્ત કરવામાં આવી છે, અને તેમના જાહેર નિવેદનો કારણે તેમની નિમણૂક રદ્દ કરવી જોઈએ. જો કે કોર્ટે તેમ કહીંને અરજી ફગાવી દીધી કે કોલેજીયમને તેની ભલામણ પર પુનર્વિચાર માટે કહીં શકીએ નહીં. 


વિક્ટોરિયા ગૌરીએ શપથ લીધા


એક તરફ સુપ્રીમ કોર્ટે વિક્ટોરિયા ગૌરીને એડિશનલ જજ બનાવવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણીથી ઈન્કાર કર્યો છે તો બીજી તરફ વિક્ટોરિયા ગૌરીએ મદ્રાસ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે આજે શપથ લીધા છે. તે માટે મદ્રાસ હાઈકોર્ટે પહેલાથી સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો.    


વિક્ટોરિયા ગૌરી સાથેનો વિવાદ શું છે?


સુપ્રીમ કોર્ટમાં વિક્ટોરિયા ગૌરી સાથેનો વિવાદ ખુબ જ ગાજ્યો છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે લક્ષ્મણ ચંદ્રા વિક્ટોરિયા ગૌરીને મદ્રાસ હાઈકોર્ટમાં એડિશનલ જજ બનાવવાની ભલામણ કરી હતી, જેને સરકારે મંજુર આપી હતી. જો કે વિક્ટોરિયા ગૌરીને એડિશનલ જજ બનાવવાનો વિરોધ શરૂ થઈ ગયો હતો. મદ્રાસ હાઈકોર્ટ બાર કાઉન્સિલ સાથે સંકળાયેલા લોકોનું કહેવું હતું કે વિક્ટોરિયા ગૌરીની બિજેપી સાથે જોડાણ રહ્યું છે. આ મુદ્દે અરજીકર્તાએ વર્ષ 2019માં વિક્ટોરિયા ગૌરી દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટને ટાંકવામાં આવ્યું હતું. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો વિક્ટોરિયા ગૌરી ભાજપા મહિલા મોરચાના મહાસચિવ રહ્યા છે. તે ઉપરાંત તેમના પર ખ્રીસ્તી અને મુસ્લિમ સમુદાય વિરૂધ્ધ કથિત નિવેદન કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.