વિક્ટોરિયા ગૌરીએ મદ્રાસ હાઈકોર્ટના જજ તરીકે શપથ લીધા, સુપ્રીમે નિમણૂક સામેની અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-02-07 15:55:01

એડવોકેટ વિકટોરિયા ગૌરીના મામલે સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર થયેલા સિનિયર વકીલ રાજુ રામચંદ્રને સુપ્રીમ કોર્ટ કોલેજીયમનની ભલામણને રદ્દ કરવાની માગ કરી હતી. આ અંગે રાજુ રામચંદ્રને દલીલ કરતા કહ્યું કે શપથ લેનારા ન્યાયાધીશોએ બંધારણમાં આસ્થા રાખવી જોઈએ. પરંતું જેમના નામ પર આશંકા વ્યક્ત કરવામાં આવી છે, અને તેમના જાહેર નિવેદનો કારણે તેમની નિમણૂક રદ્દ કરવી જોઈએ. જો કે કોર્ટે તેમ કહીંને અરજી ફગાવી દીધી કે કોલેજીયમને તેની ભલામણ પર પુનર્વિચાર માટે કહીં શકીએ નહીં. 


વિક્ટોરિયા ગૌરીએ શપથ લીધા


એક તરફ સુપ્રીમ કોર્ટે વિક્ટોરિયા ગૌરીને એડિશનલ જજ બનાવવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણીથી ઈન્કાર કર્યો છે તો બીજી તરફ વિક્ટોરિયા ગૌરીએ મદ્રાસ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે આજે શપથ લીધા છે. તે માટે મદ્રાસ હાઈકોર્ટે પહેલાથી સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો.    


વિક્ટોરિયા ગૌરી સાથેનો વિવાદ શું છે?


સુપ્રીમ કોર્ટમાં વિક્ટોરિયા ગૌરી સાથેનો વિવાદ ખુબ જ ગાજ્યો છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે લક્ષ્મણ ચંદ્રા વિક્ટોરિયા ગૌરીને મદ્રાસ હાઈકોર્ટમાં એડિશનલ જજ બનાવવાની ભલામણ કરી હતી, જેને સરકારે મંજુર આપી હતી. જો કે વિક્ટોરિયા ગૌરીને એડિશનલ જજ બનાવવાનો વિરોધ શરૂ થઈ ગયો હતો. મદ્રાસ હાઈકોર્ટ બાર કાઉન્સિલ સાથે સંકળાયેલા લોકોનું કહેવું હતું કે વિક્ટોરિયા ગૌરીની બિજેપી સાથે જોડાણ રહ્યું છે. આ મુદ્દે અરજીકર્તાએ વર્ષ 2019માં વિક્ટોરિયા ગૌરી દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટને ટાંકવામાં આવ્યું હતું. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો વિક્ટોરિયા ગૌરી ભાજપા મહિલા મોરચાના મહાસચિવ રહ્યા છે. તે ઉપરાંત તેમના પર ખ્રીસ્તી અને મુસ્લિમ સમુદાય વિરૂધ્ધ કથિત નિવેદન કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.