નકારાત્મકતા ઉપર સકારાત્મકતાનો વિજય એટલે વિજયા દશમી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 11:05:11

નવરાત્રી દરમિયાન આપણે માતાજીની આરાધના કરતા હોઈયે છીએ. માતાજી પ્રસન્ન થઈ ભક્તોને આશીર્વાદ આપે છે. માતાજીનો મહિમા અપરંપાર છે. માત્ર મનુષ્યો જ નહીં પરંતુ મનુષ્ય રૂપે અવતરેલા ભગવાનો પણ માતાજીની ઉપાસના કરતા હતા. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ તેમજ ભગવાન રામે પણ મા આદ્યશક્તિની આરાધના કરી છે. નવરાત્રીના નવ દિવસ બાદ દસમા દિવસને વિજયા દશમી તરીકે મનાવવામાં આવે છે. વિજયા દશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય.   

Dussehra 2020: Here are some unknown facts about Vijaya Dashami that  celebrates victory of good over

શા માટે શ્રીરામે કરી હતી મા આદ્યશક્તિની ઉપાસના ? 

માતા સીતાનું હરણ કરી લંકાપતિ રાવણ તેમને લંકા લઈ ગયા હતા. સીતા માતાને પરત લાવવા ભગવાન રામે વાનરસેના સહિત રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. પરંતુ રાવણને હરાવવામાં ભગવાન રામ નિષ્ફળ જતા હતા. રાવણ પરાસ્ત થાય તે માટે ભગવાન રામે માતા આદિશક્તિને પ્રસન્ન કરવા તપ કર્યું હતું. ભગવાન રામની ભક્તિ જોઈ દેવી પ્રસન્ન થયા.  માતાજીએ આશીર્વાદરૂપે ભગવાન રામને દિવ્યાસ્ત્રો આપ્યા હતા. માતાજી દ્વારા અપાયેલા દિવ્યાસ્ત્રોની મદદથી ભગવાન રામ રાવણનો અંત દસમના દિવસે કર્યો હતો. જેથી આસો સુદ દશમને વિજયા દશમી તરીકે મનાવવામાં આવે છે.

Dussehra Special: There wouldn't be a Durga Puja in autumn if it wasn't for  Lord Ram - FYI News


વિજયા દશમીની બીજી પ્રચલિત કથા

બીજી માન્યતા અનુસાર માતાજીએ મહિષાસુરનો વધ દશેરાના દિવસે કર્યો હતો. દેવોને ત્રાસ આપનાર મહિષાસુરનો અંત દશેરાના દિવસે થતા તમામ દેવતાઓ પ્રસન્ન થયા હતા. અને માતાજીના વિજયથી આનંદિત થઈ દેવતાઓએ આ દિવસને વિજયા દશમી તરીકે ઉજવ્યો હતો. 


જીવનમાં વિજયા દશમીનું મહત્વ 

વિજયા દશમીને સરળ અર્થમાં સમજીએ તો વિજયા દશમી એટલે જ્ઞાન, સત્ય અને ધર્મને પાતોના જીવનમાં ઉતારવાનો દિવસ. દૈત્યોનો નાશ કરી ધર્મની સ્થાપના કરવામાં આવી હતી. આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવાનું પર્વ એટલે વિજયા દશમી. આત્માને પરમાત્માનું જ રૂપ માનવામાં આવે છે. આપણામાં રહેલી ઈન્દ્રીયો આપણા શસ્ત્રો છે. ઈન્દ્રીયો પર વિજય મેળવવાનો દિવસ એટલે વિજયા દશમી. એટલા માટે જ વિજયા દશમીના દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવે છે. પોતાનામાં રહેલી આસુરી શક્તિઓનો નાશ કરવા અને આત્મજ્ઞાનની અનુભૂતિ થાય તે માટે આ પર્વને ઉજવવામાં આવે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.