Dediapadaમાં રણસંગ્રામ। પોલીસ સમક્ષ હાજર થતા પહેલા Chaitar Vasavaનો સામે આવ્યો વીડિયો, સરકાર,પોલીસ ભાજપ પર પ્રહાર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-14 11:12:48

એક તરફ ચર્ચા ચાલી રહી હતી કે પોલીસ સમક્ષ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થઈ શકે છે. ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થકો આવી પહોંચ્યા છે. ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થકો ચૈતર વસાવાના માસ્ક સાથે આવ્યા હતા. એક તરફ પોલીસ સમક્ષ ચૈતર વસાવા હાજર થશે તેવી વાતો ચાલી રહી હતી તે બધા વચ્ચે ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. પોલીસ ફરિયાદ થયા બાદ પ્રથમ વખત ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પોતાના સમર્થકોનો આભાર માન્યો છે ઉપરાંત સરકાર પર પ્રહાર પણ કર્યા છે. 

સરકાર પર ચૈતર વસાવાએ લગાવ્યા આરોપ!

ચૈતર વસાવાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે પોલીસ પર તેમજ સરકાર પર પ્રહાર કર્યા છે. વન વિભાગના કર્મચારી સાથે મારામારી કરવાનો આરોપ ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવ્યો છે. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ છે ત્યારથી તે પોલીસ ચોપડે ફરાર છે. ત્યારે આજે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા એક વીડિયો રિલીઝ કર્યો છે. ચૈતર વસાવાએ વીડિયોમાં કહ્યું કે નાગરિકોની વચ્ચે હું રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. 


મને વારંવાર હેરાન કરાય છે - ચૈતર વસાવા

વધુમાં તેમણે કહ્યું કે મેં આરોગ્ય, શિક્ષણ, વીજળી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે. મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. મેં આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. હું સરકાર સામે લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે. ચૂંટાયો ત્યારથી મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ષડયંત્રના ભાગરુપ મને ફસાવાયો છે. મને અને મારા પરિવારને વારંવાર હેરાન કરાય છે. મારા વિરુદ્ધ થતા કાવતરા સામે લડતો રહીશ. મને અનેક વખત લોભ-લાલચ અપાઈ પરંતુ હું ઝૂક્યો નથી.  


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી