Dediapadaમાં રણસંગ્રામ। પોલીસ સમક્ષ હાજર થતા પહેલા Chaitar Vasavaનો સામે આવ્યો વીડિયો, સરકાર,પોલીસ ભાજપ પર પ્રહાર, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-14 11:12:48

એક તરફ ચર્ચા ચાલી રહી હતી કે પોલીસ સમક્ષ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થઈ શકે છે. ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થકો આવી પહોંચ્યા છે. ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થકો ચૈતર વસાવાના માસ્ક સાથે આવ્યા હતા. એક તરફ પોલીસ સમક્ષ ચૈતર વસાવા હાજર થશે તેવી વાતો ચાલી રહી હતી તે બધા વચ્ચે ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. પોલીસ ફરિયાદ થયા બાદ પ્રથમ વખત ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પોતાના સમર્થકોનો આભાર માન્યો છે ઉપરાંત સરકાર પર પ્રહાર પણ કર્યા છે. 

સરકાર પર ચૈતર વસાવાએ લગાવ્યા આરોપ!

ચૈતર વસાવાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે પોલીસ પર તેમજ સરકાર પર પ્રહાર કર્યા છે. વન વિભાગના કર્મચારી સાથે મારામારી કરવાનો આરોપ ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવ્યો છે. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ છે ત્યારથી તે પોલીસ ચોપડે ફરાર છે. ત્યારે આજે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા એક વીડિયો રિલીઝ કર્યો છે. ચૈતર વસાવાએ વીડિયોમાં કહ્યું કે નાગરિકોની વચ્ચે હું રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. 


મને વારંવાર હેરાન કરાય છે - ચૈતર વસાવા

વધુમાં તેમણે કહ્યું કે મેં આરોગ્ય, શિક્ષણ, વીજળી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે. મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. મેં આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. હું સરકાર સામે લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે. ચૂંટાયો ત્યારથી મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ષડયંત્રના ભાગરુપ મને ફસાવાયો છે. મને અને મારા પરિવારને વારંવાર હેરાન કરાય છે. મારા વિરુદ્ધ થતા કાવતરા સામે લડતો રહીશ. મને અનેક વખત લોભ-લાલચ અપાઈ પરંતુ હું ઝૂક્યો નથી.  


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



લોકસભા બેઠકના ઉમેદવારોને જમાવટની ટીમ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે. તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. ત્યારે મહેસાણાના ઉમેદવારોને ફોન કર્યો હતો.

મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જામનગરમાં પૂનમબેન માડમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.