Dediapadaમાં રણસંગ્રામ। પોલીસ સમક્ષ હાજર થતા પહેલા Chaitar Vasavaનો સામે આવ્યો વીડિયો, સરકાર,પોલીસ ભાજપ પર પ્રહાર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-14 11:12:48

એક તરફ ચર્ચા ચાલી રહી હતી કે પોલીસ સમક્ષ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થઈ શકે છે. ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થકો આવી પહોંચ્યા છે. ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થકો ચૈતર વસાવાના માસ્ક સાથે આવ્યા હતા. એક તરફ પોલીસ સમક્ષ ચૈતર વસાવા હાજર થશે તેવી વાતો ચાલી રહી હતી તે બધા વચ્ચે ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. પોલીસ ફરિયાદ થયા બાદ પ્રથમ વખત ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પોતાના સમર્થકોનો આભાર માન્યો છે ઉપરાંત સરકાર પર પ્રહાર પણ કર્યા છે. 

સરકાર પર ચૈતર વસાવાએ લગાવ્યા આરોપ!

ચૈતર વસાવાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે પોલીસ પર તેમજ સરકાર પર પ્રહાર કર્યા છે. વન વિભાગના કર્મચારી સાથે મારામારી કરવાનો આરોપ ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવ્યો છે. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ છે ત્યારથી તે પોલીસ ચોપડે ફરાર છે. ત્યારે આજે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા એક વીડિયો રિલીઝ કર્યો છે. ચૈતર વસાવાએ વીડિયોમાં કહ્યું કે નાગરિકોની વચ્ચે હું રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. 


મને વારંવાર હેરાન કરાય છે - ચૈતર વસાવા

વધુમાં તેમણે કહ્યું કે મેં આરોગ્ય, શિક્ષણ, વીજળી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે. મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. મેં આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. હું સરકાર સામે લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે. ચૂંટાયો ત્યારથી મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ષડયંત્રના ભાગરુપ મને ફસાવાયો છે. મને અને મારા પરિવારને વારંવાર હેરાન કરાય છે. મારા વિરુદ્ધ થતા કાવતરા સામે લડતો રહીશ. મને અનેક વખત લોભ-લાલચ અપાઈ પરંતુ હું ઝૂક્યો નથી.  


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.