Vadodara Railway Stationનો વીડિયો વાયરલ જેમાં રિઝર્વેશન વગરના AC કોચમાં ચઢી ગયા અને કન્ફર્મ ટિકિટ વાળા રહી ગયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-12 15:11:16

વતનમાં જઈ તહેવારની ઉજવણી કરવાનો હરખ દરેક લોકોને હોય છે. રોજીરોટી માટે પોતાના વતનને છોડનારા લોકો મુખ્યત્વે તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવાની ઈચ્છા ધરાવતા હોય છે, અને એમાં પણ દિવાળી જેવો તહેવાર હોય તો તો પૂછવું જ શું! ગઈકાલે સુરતમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું જ્યારે અનેક લોકો બેભાન થઈ ગયા હતા. હર્ષ સંઘવી તેમજ સરકાર દ્વારા આ અંગેની માહિતી લેવામાં આવી. આ બધા વચ્ચે એક વીડિયો રેલવે સ્ટેશનનો વાયરલ થઈ રહ્યો છે જેમાં કમ્ફોર્મ ટિકિટ વાળા ટ્રેનની બહાર રહી ગયા અને બીજા પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી ગયા.  

એસી ડબ્બામાં બીજા મુસાફરો ઘૂસી ગયા અને...!

દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે મનાવે તેવી ઈચ્છા દરેક લોકોને હોય છે. વતનની બહાર લોકોમાં તહેવારને લઈ અનેરો ઉત્સાહ હોય છે. દિવાળીનો તહેવાર નજીક આવતા જ રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય મુસાફોનો ભારે ધસારો જોવા મળતો હોય છે. ભારે ભીડ ઉમટતી હોય છે. વધારે ભીડ હોવાને કારણે મુસાફરોના જીવ પણ જોખમ મૂકાતા હોય છે તેનું ઉદાહરણ કાલે આપણે સુરત રેલવે સ્ટેશન પર જોયું. સુરત રેલવે સ્ટેશનમાં થયેલી ધક્કામૂકીને કારણે અનેક લોકો બેભાન થઈ ગયા. ત્યારે સોશિયલ મીડિયા પર વડોદરા રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મુસાફરો ગાડીની બહાર લટકીને જઈ રહ્યા છે. લોકો એસી ડબ્બામાં ઘૂસી ગયા અને કમ્ફર્મ ટિકિટ વાળા રહી ગયા!



મુસાફરોમાં જોવા મળી નારાજગી 

આવો કડવો અનુભવ થયા બાદ મુસાફરોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. મુસાફરો વીડિયો શેર કરી રહ્યા છે અને આઈઆરસીટીસીના મેનેજમેન્ટને ફેઈલ ગણાવી રહ્યા છે. કોઈ મુસાફરે લખ્યું તે ભારતીય રેલવેનું મેનેજમેન્ટ સૌથી ખરાબ છે તો કોઈ ટિકિટના પૈસા પાછા માગ્યા. આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.