Vadodara Railway Stationનો વીડિયો વાયરલ જેમાં રિઝર્વેશન વગરના AC કોચમાં ચઢી ગયા અને કન્ફર્મ ટિકિટ વાળા રહી ગયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-12 15:11:16

વતનમાં જઈ તહેવારની ઉજવણી કરવાનો હરખ દરેક લોકોને હોય છે. રોજીરોટી માટે પોતાના વતનને છોડનારા લોકો મુખ્યત્વે તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવાની ઈચ્છા ધરાવતા હોય છે, અને એમાં પણ દિવાળી જેવો તહેવાર હોય તો તો પૂછવું જ શું! ગઈકાલે સુરતમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું જ્યારે અનેક લોકો બેભાન થઈ ગયા હતા. હર્ષ સંઘવી તેમજ સરકાર દ્વારા આ અંગેની માહિતી લેવામાં આવી. આ બધા વચ્ચે એક વીડિયો રેલવે સ્ટેશનનો વાયરલ થઈ રહ્યો છે જેમાં કમ્ફોર્મ ટિકિટ વાળા ટ્રેનની બહાર રહી ગયા અને બીજા પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી ગયા.  

એસી ડબ્બામાં બીજા મુસાફરો ઘૂસી ગયા અને...!

દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે મનાવે તેવી ઈચ્છા દરેક લોકોને હોય છે. વતનની બહાર લોકોમાં તહેવારને લઈ અનેરો ઉત્સાહ હોય છે. દિવાળીનો તહેવાર નજીક આવતા જ રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય મુસાફોનો ભારે ધસારો જોવા મળતો હોય છે. ભારે ભીડ ઉમટતી હોય છે. વધારે ભીડ હોવાને કારણે મુસાફરોના જીવ પણ જોખમ મૂકાતા હોય છે તેનું ઉદાહરણ કાલે આપણે સુરત રેલવે સ્ટેશન પર જોયું. સુરત રેલવે સ્ટેશનમાં થયેલી ધક્કામૂકીને કારણે અનેક લોકો બેભાન થઈ ગયા. ત્યારે સોશિયલ મીડિયા પર વડોદરા રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મુસાફરો ગાડીની બહાર લટકીને જઈ રહ્યા છે. લોકો એસી ડબ્બામાં ઘૂસી ગયા અને કમ્ફર્મ ટિકિટ વાળા રહી ગયા!



મુસાફરોમાં જોવા મળી નારાજગી 

આવો કડવો અનુભવ થયા બાદ મુસાફરોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. મુસાફરો વીડિયો શેર કરી રહ્યા છે અને આઈઆરસીટીસીના મેનેજમેન્ટને ફેઈલ ગણાવી રહ્યા છે. કોઈ મુસાફરે લખ્યું તે ભારતીય રેલવેનું મેનેજમેન્ટ સૌથી ખરાબ છે તો કોઈ ટિકિટના પૈસા પાછા માગ્યા. આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.