Vadodara Railway Stationનો વીડિયો વાયરલ જેમાં રિઝર્વેશન વગરના AC કોચમાં ચઢી ગયા અને કન્ફર્મ ટિકિટ વાળા રહી ગયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-12 15:11:16

વતનમાં જઈ તહેવારની ઉજવણી કરવાનો હરખ દરેક લોકોને હોય છે. રોજીરોટી માટે પોતાના વતનને છોડનારા લોકો મુખ્યત્વે તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવાની ઈચ્છા ધરાવતા હોય છે, અને એમાં પણ દિવાળી જેવો તહેવાર હોય તો તો પૂછવું જ શું! ગઈકાલે સુરતમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું જ્યારે અનેક લોકો બેભાન થઈ ગયા હતા. હર્ષ સંઘવી તેમજ સરકાર દ્વારા આ અંગેની માહિતી લેવામાં આવી. આ બધા વચ્ચે એક વીડિયો રેલવે સ્ટેશનનો વાયરલ થઈ રહ્યો છે જેમાં કમ્ફોર્મ ટિકિટ વાળા ટ્રેનની બહાર રહી ગયા અને બીજા પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી ગયા.  

એસી ડબ્બામાં બીજા મુસાફરો ઘૂસી ગયા અને...!

દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે મનાવે તેવી ઈચ્છા દરેક લોકોને હોય છે. વતનની બહાર લોકોમાં તહેવારને લઈ અનેરો ઉત્સાહ હોય છે. દિવાળીનો તહેવાર નજીક આવતા જ રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય મુસાફોનો ભારે ધસારો જોવા મળતો હોય છે. ભારે ભીડ ઉમટતી હોય છે. વધારે ભીડ હોવાને કારણે મુસાફરોના જીવ પણ જોખમ મૂકાતા હોય છે તેનું ઉદાહરણ કાલે આપણે સુરત રેલવે સ્ટેશન પર જોયું. સુરત રેલવે સ્ટેશનમાં થયેલી ધક્કામૂકીને કારણે અનેક લોકો બેભાન થઈ ગયા. ત્યારે સોશિયલ મીડિયા પર વડોદરા રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મુસાફરો ગાડીની બહાર લટકીને જઈ રહ્યા છે. લોકો એસી ડબ્બામાં ઘૂસી ગયા અને કમ્ફર્મ ટિકિટ વાળા રહી ગયા!



મુસાફરોમાં જોવા મળી નારાજગી 

આવો કડવો અનુભવ થયા બાદ મુસાફરોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. મુસાફરો વીડિયો શેર કરી રહ્યા છે અને આઈઆરસીટીસીના મેનેજમેન્ટને ફેઈલ ગણાવી રહ્યા છે. કોઈ મુસાફરે લખ્યું તે ભારતીય રેલવેનું મેનેજમેન્ટ સૌથી ખરાબ છે તો કોઈ ટિકિટના પૈસા પાછા માગ્યા. આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.