સંતરામપુરમાં ભાજપ નેતાના પુત્ર Vijay Bhabhorએ બુથ કેપ્ચર કરીને લાઈવ કર્યું, નશાની સાથે સાથે એને સત્તાનો નશો પણ ચડ્યો હતો...!


  • Published By :
  • Published Date : 2024-05-09 18:54:20

દેશમાં લોકસભા માટે મતદાન ચાલી રહ્યું છે..ત્રણ તબક્કા મતદાનના પૂર્ણ થઈ ગયા છે અને આગળ પણ બાકી રહેલા તબક્કા પૂર્ણ થઈ જશે.. ચોથી જૂનના રોજ પરિણામ આવવાનું છે.. ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા.. 

ગુજરાતમાં આવી ઘટનાઓ નથી બનતી જેમાં...

ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગ જેવી ઘટનાઓ નથી બનતી.. પરંતુ સંતરામપુરથી બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી... વિજય ભાભોર નામનો વ્યક્તિ નશાની હાલતમાં પોલીંગ બૂથ સુધી પહોંચે છે અને ત્યાંથી ઈન્સ્ટાગ્રામ લાઈવ કરે છે... વીડિયોમાં તે ગાળો બોલી રહ્યો છે. અહીંયા તો એક જ ચાલે... વગેરે વગેરે બોલે છે... સામાન્ય રીતે ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય તેવું નથી.. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં આવી ઘટનાઓ બને છે. બૂથ કેપ્ચરિંગ થાય છે, પોલીંગ બૂથ પર દાદાગીરી કરવામાં આવે છે. 


દારૂના નશાની સાથે સાથે સત્તાનો નશો પણ દેખાયો!

પરંતુ આવી ઘટનાઓ ગુજરાતમાં નથી બની એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.. વિજય ભાભોર વીડિયોમાં બીજેપીનું નામ લઈ રહ્યો છે. બીજેપી સત્તામાં છે એનો મતલબ એ નથી કે કોઈ પણ બીજેપીના નામ પર આવું કૃત્ય કરી શકે છે.. દારૂનું તો નશો છે પરંતુ તેની સાથે સાથે તેને સત્તાનો નશો પણ છે..! 



બીજેપીની છબી ખરાબ કરશે?

ભાજપના ટોચના નેતાઓને સમજાવું પડશે કાર્યકર્તાઓને કે ભાજપમાં હોવાનો  અર્થ એ નથી કે તમને ગુન્હો કરવાનો અધિકાર મળી જાય... દેશના અનેક રાજ્યોમાં આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી નથી ત્યારે સવાલ એ થાય કે સંતરામપુરમાં બનેલી ઘટના બીજેપીની છબી ખરાબ કરશે? 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે