સંતરામપુરમાં ભાજપ નેતાના પુત્ર Vijay Bhabhorએ બુથ કેપ્ચર કરીને લાઈવ કર્યું, નશાની સાથે સાથે એને સત્તાનો નશો પણ ચડ્યો હતો...!


  • Published By :
  • Published Date : 2024-05-09 18:54:20

દેશમાં લોકસભા માટે મતદાન ચાલી રહ્યું છે..ત્રણ તબક્કા મતદાનના પૂર્ણ થઈ ગયા છે અને આગળ પણ બાકી રહેલા તબક્કા પૂર્ણ થઈ જશે.. ચોથી જૂનના રોજ પરિણામ આવવાનું છે.. ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા.. 

ગુજરાતમાં આવી ઘટનાઓ નથી બનતી જેમાં...

ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગ જેવી ઘટનાઓ નથી બનતી.. પરંતુ સંતરામપુરથી બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી... વિજય ભાભોર નામનો વ્યક્તિ નશાની હાલતમાં પોલીંગ બૂથ સુધી પહોંચે છે અને ત્યાંથી ઈન્સ્ટાગ્રામ લાઈવ કરે છે... વીડિયોમાં તે ગાળો બોલી રહ્યો છે. અહીંયા તો એક જ ચાલે... વગેરે વગેરે બોલે છે... સામાન્ય રીતે ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય તેવું નથી.. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં આવી ઘટનાઓ બને છે. બૂથ કેપ્ચરિંગ થાય છે, પોલીંગ બૂથ પર દાદાગીરી કરવામાં આવે છે. 


દારૂના નશાની સાથે સાથે સત્તાનો નશો પણ દેખાયો!

પરંતુ આવી ઘટનાઓ ગુજરાતમાં નથી બની એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.. વિજય ભાભોર વીડિયોમાં બીજેપીનું નામ લઈ રહ્યો છે. બીજેપી સત્તામાં છે એનો મતલબ એ નથી કે કોઈ પણ બીજેપીના નામ પર આવું કૃત્ય કરી શકે છે.. દારૂનું તો નશો છે પરંતુ તેની સાથે સાથે તેને સત્તાનો નશો પણ છે..! 



બીજેપીની છબી ખરાબ કરશે?

ભાજપના ટોચના નેતાઓને સમજાવું પડશે કાર્યકર્તાઓને કે ભાજપમાં હોવાનો  અર્થ એ નથી કે તમને ગુન્હો કરવાનો અધિકાર મળી જાય... દેશના અનેક રાજ્યોમાં આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી નથી ત્યારે સવાલ એ થાય કે સંતરામપુરમાં બનેલી ઘટના બીજેપીની છબી ખરાબ કરશે? 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.