સંતરામપુરમાં ભાજપ નેતાના પુત્ર Vijay Bhabhorએ બુથ કેપ્ચર કરીને લાઈવ કર્યું, નશાની સાથે સાથે એને સત્તાનો નશો પણ ચડ્યો હતો...!


  • Published By :
  • Published Date : 2024-05-09 18:54:20

દેશમાં લોકસભા માટે મતદાન ચાલી રહ્યું છે..ત્રણ તબક્કા મતદાનના પૂર્ણ થઈ ગયા છે અને આગળ પણ બાકી રહેલા તબક્કા પૂર્ણ થઈ જશે.. ચોથી જૂનના રોજ પરિણામ આવવાનું છે.. ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા.. 

ગુજરાતમાં આવી ઘટનાઓ નથી બનતી જેમાં...

ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગ જેવી ઘટનાઓ નથી બનતી.. પરંતુ સંતરામપુરથી બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી... વિજય ભાભોર નામનો વ્યક્તિ નશાની હાલતમાં પોલીંગ બૂથ સુધી પહોંચે છે અને ત્યાંથી ઈન્સ્ટાગ્રામ લાઈવ કરે છે... વીડિયોમાં તે ગાળો બોલી રહ્યો છે. અહીંયા તો એક જ ચાલે... વગેરે વગેરે બોલે છે... સામાન્ય રીતે ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય તેવું નથી.. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં આવી ઘટનાઓ બને છે. બૂથ કેપ્ચરિંગ થાય છે, પોલીંગ બૂથ પર દાદાગીરી કરવામાં આવે છે. 


દારૂના નશાની સાથે સાથે સત્તાનો નશો પણ દેખાયો!

પરંતુ આવી ઘટનાઓ ગુજરાતમાં નથી બની એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.. વિજય ભાભોર વીડિયોમાં બીજેપીનું નામ લઈ રહ્યો છે. બીજેપી સત્તામાં છે એનો મતલબ એ નથી કે કોઈ પણ બીજેપીના નામ પર આવું કૃત્ય કરી શકે છે.. દારૂનું તો નશો છે પરંતુ તેની સાથે સાથે તેને સત્તાનો નશો પણ છે..! 



બીજેપીની છબી ખરાબ કરશે?

ભાજપના ટોચના નેતાઓને સમજાવું પડશે કાર્યકર્તાઓને કે ભાજપમાં હોવાનો  અર્થ એ નથી કે તમને ગુન્હો કરવાનો અધિકાર મળી જાય... દેશના અનેક રાજ્યોમાં આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી નથી ત્યારે સવાલ એ થાય કે સંતરામપુરમાં બનેલી ઘટના બીજેપીની છબી ખરાબ કરશે? 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે