રાજકોટમાં સ્ટેજ પર રૂપાણીએ પાટીલની કરી અવગણના, બંને દિગ્ગજો વચ્ચેનો ખટરાગ જાહેરમાં જોવા મળ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 20:08:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના નેતાઓ વચ્ચે ખટરાગ પણ જાહેરમાં જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા ભાજપમાં પણ ધમાસાણ પણ તેજ થઇ રહી છે.  ભાજપનાં નેતાઓના આંતરિક વિખવાદ હવે ન માત્ર ચરમસીમાએ પહોંચ્યા છે પરંતુ ખુલીને આ નેતાઓ તેને વ્યક્ત કરતા પણ ખચકાતા નથી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચેનો આંતરકલહ જાણીતો છે. આજે રાજકોટમાં તેની એક ઝલક જોવા મળી હતી.


રાજકોટની જનસભામાં VRએ CRની કરી અવગણના


પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચેનો કલેશ ફરી એકવાર જાહેરમાં જોવા મળ્યો હતો. આજે વડાપ્રધાન મોદી રાજકોટમાં એક વિશાળ જનસભા સંબોધિત કરી રહ્યા હતા. જો કે આ જનસભા પહેલા તમામ પદાધિકારીઓ સ્ટેજ પર હાજર રહ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સ્ટેજ પર હાજર હતા. સી.આર પાટિલને આવકારવા માટે સ્ટેજ પર ઉપસ્થિત સાંસદ મોહન કુંડારીયા, સાંસદ રામ મોકરીયા, સાંસદ વિનોદ ચાવડા, મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય સહિતના નેતાઓ અને પદાધિકારીઓ ઉભા થઇને અભિવાદન કરવા માટે એક પછી એક તેમની પાસે ગયા હતા. જો કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એકમાત્ર તેમની જગ્યા પર જ બેઠા રહ્યા હતા. પાટિલને મળવા માટે ઊભા પણ થયા ન હતા. વિજય રૂપાણીએ પાટિલ સામે નજર પણ મિલાવી ન હતી. જાણે પાટિલ કોઇ મગતરું હોય તે પ્રકારે સંપુર્ણ અવગણના કરી હતી.


વિજય રૂપાણી અને પાટીલ વચ્ચે મનમેળ કેમ નથી?


ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ વિજય રૂપાણી અને સી આર પાટીલ  વચ્ચે મનમેળ ન હોવાનું કારણ જાણીતું છે. મુખ્યમંત્રી તરીકેની વિજય રૂપાણીની કારકિર્દી ખતમ કરવામાં પાટિલનો હાથ હોવાનો સુત્રોનો દાવો છે. તે ઉપરાંત રૂપાણી પોતે વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા હોવા છતા પાટિલની ઇચ્છાથી રાજ્યમાં તેમનું પત્તુ કાપવા માટે પંજાબના ઓબ્ઝર્વર બનાવી દેવામાં આવ્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે