રાજકોટમાં સ્ટેજ પર રૂપાણીએ પાટીલની કરી અવગણના, બંને દિગ્ગજો વચ્ચેનો ખટરાગ જાહેરમાં જોવા મળ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 20:08:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના નેતાઓ વચ્ચે ખટરાગ પણ જાહેરમાં જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા ભાજપમાં પણ ધમાસાણ પણ તેજ થઇ રહી છે.  ભાજપનાં નેતાઓના આંતરિક વિખવાદ હવે ન માત્ર ચરમસીમાએ પહોંચ્યા છે પરંતુ ખુલીને આ નેતાઓ તેને વ્યક્ત કરતા પણ ખચકાતા નથી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચેનો આંતરકલહ જાણીતો છે. આજે રાજકોટમાં તેની એક ઝલક જોવા મળી હતી.


રાજકોટની જનસભામાં VRએ CRની કરી અવગણના


પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચેનો કલેશ ફરી એકવાર જાહેરમાં જોવા મળ્યો હતો. આજે વડાપ્રધાન મોદી રાજકોટમાં એક વિશાળ જનસભા સંબોધિત કરી રહ્યા હતા. જો કે આ જનસભા પહેલા તમામ પદાધિકારીઓ સ્ટેજ પર હાજર રહ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સ્ટેજ પર હાજર હતા. સી.આર પાટિલને આવકારવા માટે સ્ટેજ પર ઉપસ્થિત સાંસદ મોહન કુંડારીયા, સાંસદ રામ મોકરીયા, સાંસદ વિનોદ ચાવડા, મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય સહિતના નેતાઓ અને પદાધિકારીઓ ઉભા થઇને અભિવાદન કરવા માટે એક પછી એક તેમની પાસે ગયા હતા. જો કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એકમાત્ર તેમની જગ્યા પર જ બેઠા રહ્યા હતા. પાટિલને મળવા માટે ઊભા પણ થયા ન હતા. વિજય રૂપાણીએ પાટિલ સામે નજર પણ મિલાવી ન હતી. જાણે પાટિલ કોઇ મગતરું હોય તે પ્રકારે સંપુર્ણ અવગણના કરી હતી.


વિજય રૂપાણી અને પાટીલ વચ્ચે મનમેળ કેમ નથી?


ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ વિજય રૂપાણી અને સી આર પાટીલ  વચ્ચે મનમેળ ન હોવાનું કારણ જાણીતું છે. મુખ્યમંત્રી તરીકેની વિજય રૂપાણીની કારકિર્દી ખતમ કરવામાં પાટિલનો હાથ હોવાનો સુત્રોનો દાવો છે. તે ઉપરાંત રૂપાણી પોતે વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા હોવા છતા પાટિલની ઇચ્છાથી રાજ્યમાં તેમનું પત્તુ કાપવા માટે પંજાબના ઓબ્ઝર્વર બનાવી દેવામાં આવ્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.