મોરબીના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા માટે વિજય રૂપાણીએ કર્યો પ્રચાર, કહ્યું આ ચૂંટણી....


  • Published By :
  • Published Date : 2022-11-15 11:56:19

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ ભાજપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા અનેક નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેઓ ઉમેદવારી નથી નોંધાવી રહ્યા પરંતુ પાર્ટી અને ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે. મોરબી ખાતે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શનળા રોડ પર સરદાર બાગ નજીક આ કાર્યાલયોનો પ્રારંભ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે. ઉપરાંત કોંગ્રેસ માટે તેમણે કહ્યું કે કોંગ્રેસ ન માત્ર ગુજરાતમાં પરંતુ આખા દેશમાંથી ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે.    

gujarat elections vijay rupani address in morbi kanti amrutiya jansabha

પોતાના સંબોધનમાં કર્યો અયોધ્યાનો ઉલ્લેખ 

વિધાનસભા ચૂંટણી પૂર્વે દરેક પાર્ટી પોતાનો તેમજ ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા તંતોડ મહેનત કરી રહી છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરે તે પહેલા પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી હતી. તેઓ ભલે ચૂંટણી નથી લડવાના પરંતુ તેઓ પાર્ટી અને ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મોરબી ખાતે વિજય રૂપાણી મોરબીના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે નિવેદન આપતા કહ્યું કે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી પરંતુ આ ચૂંટણી અયોધ્યામાં રામ મંદિર બનાવનારા અને રામ મંદિરને અટકાવનારાએ વચ્ચેની છે. 

Kantilal Amrutiya - ವಿಸ್ತಾರ ನ್ಯೂಸ್

ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે - વિજય રૂપાણી 

વધુમાં તેમણે કહ્યું હતું કે ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે. કલમ 370નો પણ તેમણે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ચૂંટણી કાશ્મીરમાં 370ની કલમ હટાવનાર અને કલમ ન હટાવવાની લાગણી રાખનાર વચ્ચે છે. આટલું કહ્યા પછી કોંગ્રેસ પર સીધા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે કોંગ્રેસ ન માત્ર ગુજરાતમાં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ખતમ થઈ રહી છે. કોંગ્રેસ દિશાહીન છે, તેની પાસે ચૂંટણીના કોઈ મુદ્દા નથી.

bjp: Discontent among those denied tickets; four quit BJP in Gujarat - The  Economic Times

રૂપાણીએ આપ્યું નવું સૂત્ર

ભાજપે મોરબી માટે કાંતિભાઈ અમૃતિયાને ટિકિટ આપી છે. એવું માનવામાં આવી રહ્યું છે કાંતિભાઈ અમૃતિયાએ દુર્ઘટના વખતે કરેલી કામગીરીને ધ્યાનમાં રાખી પાર્ટીએ તેમને ટિકિટ આપી છે. ઉપરાંત વિજય રૂપાણીએ 'યુવાનો કો કામ, અયોધ્યામે રામ, કિસાનોકો સહી દામ' સૂત્ર પણ આપ્યું.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.