મોરબીના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા માટે વિજય રૂપાણીએ કર્યો પ્રચાર, કહ્યું આ ચૂંટણી....


  • Published By :
  • Published Date : 2022-11-15 11:56:19

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ ભાજપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા અનેક નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેઓ ઉમેદવારી નથી નોંધાવી રહ્યા પરંતુ પાર્ટી અને ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે. મોરબી ખાતે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શનળા રોડ પર સરદાર બાગ નજીક આ કાર્યાલયોનો પ્રારંભ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે. ઉપરાંત કોંગ્રેસ માટે તેમણે કહ્યું કે કોંગ્રેસ ન માત્ર ગુજરાતમાં પરંતુ આખા દેશમાંથી ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે.    

gujarat elections vijay rupani address in morbi kanti amrutiya jansabha

પોતાના સંબોધનમાં કર્યો અયોધ્યાનો ઉલ્લેખ 

વિધાનસભા ચૂંટણી પૂર્વે દરેક પાર્ટી પોતાનો તેમજ ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા તંતોડ મહેનત કરી રહી છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરે તે પહેલા પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી હતી. તેઓ ભલે ચૂંટણી નથી લડવાના પરંતુ તેઓ પાર્ટી અને ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મોરબી ખાતે વિજય રૂપાણી મોરબીના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે નિવેદન આપતા કહ્યું કે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી પરંતુ આ ચૂંટણી અયોધ્યામાં રામ મંદિર બનાવનારા અને રામ મંદિરને અટકાવનારાએ વચ્ચેની છે. 

Kantilal Amrutiya - ವಿಸ್ತಾರ ನ್ಯೂಸ್

ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે - વિજય રૂપાણી 

વધુમાં તેમણે કહ્યું હતું કે ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે. કલમ 370નો પણ તેમણે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ચૂંટણી કાશ્મીરમાં 370ની કલમ હટાવનાર અને કલમ ન હટાવવાની લાગણી રાખનાર વચ્ચે છે. આટલું કહ્યા પછી કોંગ્રેસ પર સીધા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે કોંગ્રેસ ન માત્ર ગુજરાતમાં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ખતમ થઈ રહી છે. કોંગ્રેસ દિશાહીન છે, તેની પાસે ચૂંટણીના કોઈ મુદ્દા નથી.

bjp: Discontent among those denied tickets; four quit BJP in Gujarat - The  Economic Times

રૂપાણીએ આપ્યું નવું સૂત્ર

ભાજપે મોરબી માટે કાંતિભાઈ અમૃતિયાને ટિકિટ આપી છે. એવું માનવામાં આવી રહ્યું છે કાંતિભાઈ અમૃતિયાએ દુર્ઘટના વખતે કરેલી કામગીરીને ધ્યાનમાં રાખી પાર્ટીએ તેમને ટિકિટ આપી છે. ઉપરાંત વિજય રૂપાણીએ 'યુવાનો કો કામ, અયોધ્યામે રામ, કિસાનોકો સહી દામ' સૂત્ર પણ આપ્યું.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.