વિજય રૂપાણી બન્યા પંજાબ-ચંદીગઢના પ્રભારી, રાજકોટ પશ્ચિમ સીટ માટે નવા ઉમેદવારની શોધ શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 12:05:58

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત બની છે. ભાજપે મહત્વનો નિર્ણય લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ-ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે. હવે રૂપાણીની પરંપરાગત રાજકોટ પ્રશ્ચિમ બેઠકને અંગે મહત્વના સમાચાર આવ્યા છે. ભાજપે રૂપાણીની બેઠક માટે  નવા ઉમેદવારની શોધ શરૂ કરી દીધી છે.



રૂપાણીએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી


વિજય રૂપાણી ખુદ તેમની સીટ પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચુંક્યા છે. 27 ઓગસ્ટના રોજ વિજય રૂપાણી સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા એ દરમ્યાન તેઓએ ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'પાર્ટી જો ટિકિટ આપશે, તો ચૂંટણી લડીશ.'અમે કોઇ પદ માટે કામ કરતા નથી. કોઈ ટિકિટો માટે કામ કરતા નથી. એક સ્વપ્ન છે કે ભારતમાતા શક્તિશાળી ભારતમાતા બને. ભારત પરમ વૈભવના શિખર પર પહોંચે એ માટે એક સ્વપ્નથી અમે કામ કરીએ છીએ. પાર્ટી જે કંઇ કામ સોંપે છે એ હંમેશા અમે કરતા આવ્યા છીએ. ચૂંટણી લડવાનું કહે તો લડીએ, ચૂંટણી ન લડવાનું કહે તો ચૂંટણી જીતવા માટે કામ કરીએ છીએ. આ અમારી એક પદ્ધતિ રહી છે.'



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..