અરવિંદ કેજરીવાલના પોસ્ટર પર વિજય રૂપાણીની પ્રતિક્રિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 16:45:05

ગુજરાતમાં આજનો સૌથી વધુ ચર્ચિત મુદ્દો છે અરવિંદ કેજરીવાલનું પોસ્ટર. ચૂંટણી નજીક આવતા ધર્મની રાજનીતિનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ઠેર ઠેર અરવિંદ કેજરીવાલના પોસ્ટર લાગ્યા છે. જેમાં તેમને હિંદુ વિરોધી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોસ્ટર પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે પોસ્ટર પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપી છે.


આપને રૂપાણીએ ગણાવી લાલચુ પાર્ટી

પોતાની પાર્ટી જ સારી છે અને બીજી પાર્ટી  ખોટી અને ખરાબ છે તેવી વાતો હાલ ખૂબ સામાન્ય બની ગઈ છે. તેમાં પણ ચૂંટણીનો સમય નજીક હોય ત્યારે આવી વાતો ખૂબ સાંભળવા મળે છે. પોસ્ટર પર  પ્રતિક્રિયા આપતી વખતે રૂપાણીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ખૂબ જ સ્પષ્ટ વાત છે આમ આદમી પાર્ટીનું પોઠ ખૂલતું જાય છે. આમ આદમી પાર્ટી એક ખોટા વાયદા અને જુઠ્ઠી વાત અને કોઈ પણ ભોગે સત્તા પ્રાપ્ત કરવા વાળી સત્તા લાલચુ પાર્ટી છે. 

Vijay Rupani Resign: Why Vijay Rupani may have resigned as Gujarat CM and  who could be his successor | India News - Times of India

આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર

વધુમાં તેમણે કહ્યું કે આજે ભારતમાં હિન્દુ ઘર્મ વિરૂદ્ધ વાત કરી રહ્યા છો તેનો મતલબ છે તે શું કરવા માંગો છો અને ભવિષ્યમાં શું વિચારી રહ્યા છો તે હિંદુ સમાજ જાણી ગયો છે.આમ આદમી પાર્ટીને જડબાતોડ જવાબ આવનારી ચૂંટણીમાં આપશે. આમ આદમી પાર્ટીના ચીથરા કાઢશે અને 2/3 બહુમતીથી સરકાર બનાવીશું.     .     




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .