અરવિંદ કેજરીવાલના પોસ્ટર પર વિજય રૂપાણીની પ્રતિક્રિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 16:45:05

ગુજરાતમાં આજનો સૌથી વધુ ચર્ચિત મુદ્દો છે અરવિંદ કેજરીવાલનું પોસ્ટર. ચૂંટણી નજીક આવતા ધર્મની રાજનીતિનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ઠેર ઠેર અરવિંદ કેજરીવાલના પોસ્ટર લાગ્યા છે. જેમાં તેમને હિંદુ વિરોધી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોસ્ટર પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે પોસ્ટર પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપી છે.


આપને રૂપાણીએ ગણાવી લાલચુ પાર્ટી

પોતાની પાર્ટી જ સારી છે અને બીજી પાર્ટી  ખોટી અને ખરાબ છે તેવી વાતો હાલ ખૂબ સામાન્ય બની ગઈ છે. તેમાં પણ ચૂંટણીનો સમય નજીક હોય ત્યારે આવી વાતો ખૂબ સાંભળવા મળે છે. પોસ્ટર પર  પ્રતિક્રિયા આપતી વખતે રૂપાણીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ખૂબ જ સ્પષ્ટ વાત છે આમ આદમી પાર્ટીનું પોઠ ખૂલતું જાય છે. આમ આદમી પાર્ટી એક ખોટા વાયદા અને જુઠ્ઠી વાત અને કોઈ પણ ભોગે સત્તા પ્રાપ્ત કરવા વાળી સત્તા લાલચુ પાર્ટી છે. 

Vijay Rupani Resign: Why Vijay Rupani may have resigned as Gujarat CM and  who could be his successor | India News - Times of India

આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર

વધુમાં તેમણે કહ્યું કે આજે ભારતમાં હિન્દુ ઘર્મ વિરૂદ્ધ વાત કરી રહ્યા છો તેનો મતલબ છે તે શું કરવા માંગો છો અને ભવિષ્યમાં શું વિચારી રહ્યા છો તે હિંદુ સમાજ જાણી ગયો છે.આમ આદમી પાર્ટીને જડબાતોડ જવાબ આવનારી ચૂંટણીમાં આપશે. આમ આદમી પાર્ટીના ચીથરા કાઢશે અને 2/3 બહુમતીથી સરકાર બનાવીશું.     .     




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે