વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કરાયો શુભારંભ, PM Modiએ ઝારખંડથી તો Bhupendra Patelએ અંબાજી ખાતેથી કરાવ્યો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-11-15 16:50:46

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પાર્ટીએ પોતાના કાર્યકાળ દરમિયાન કયા કાર્યો કર્યા, કઈ યોજનાને લાગુ કરી તે અંગેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી. દેશના લોકોને લાભ થાય તે હેતુથી કેન્દ્ર સરકારે અનેક યોજનાની શરૂઆત કરી છે. તે યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે આજથી દેશભરમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે. પીએમ મોદી ઝારખંડ ખાતેથી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.

 

પીએમ મોદીએ ઝારખંડથી આ યાત્રાનો કરાવ્યો પ્રારંભ 

લોકોને લાભ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાવવામાં આવતી હોય છે. પરંતુ અનેક લોકોને આ યોજનાની જાણ નથી હોતી. ત્યારે લોકોને આ યોજનાની જાણ થાય તે માટે કેન્દ્ર સરકારે વિકસીત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે ઉપરાંત આધુનિક રથ અનેક જિલ્લાઓમાં ફરશે. વિવિધ યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંકલ્પ યાત્રામાં પીએમ મોદીનો એક વીડિયો સંદેશ હશે. ગુજરાતમાં આ યાત્રાનો પ્રારંભ ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી કરાવ્યો છે જ્યારે પ્રધાનમંત્રીએ આ યાત્રાનો પ્રારંભ ઝારખંડથી કરાવ્યો છે. અંબાજીના ચીખલા ગામેથી આ યાત્રાની શરૂઆત થઈ છે. યાત્રાનો પ્રારંભ કરાવ્યા બાદ મુખ્યમંત્રીએ જનસંબોધન કર્યું હતું.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."