બનાસકાંઠામાં બે યુવકોને રાત્રે પ્રેમીકાને મળવા જવું ભારે પડ્યું, લોકોએ મુઢ માર માર્યો, મુંડન કરાવ્યું, VEDIO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-11 16:50:59

બનાસકાંઠામાં બે યુવકોને રાત્રીના અંધારામાં પ્રેમીકાને મળવા જવું ભારે પડ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારનાં ગામમાં રાત્રીનાં સમયે પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમી યુવકોને ગામ લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. ગામ લોકોએ બંને યુવકોને પકડીને તેમનું મુંડન કરાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો થરાદ, વાવ કે લાખણી પંથકનો હોવાનો લોકો અનુમાન લગાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હાલ તો લોકો સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી આનંદ મેળવી રહ્યા છે. 


શું છે સમગ્ર મામલો!


બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદના એક ગામના બે ભાઈ બાજુના એક વાહન ચાલક ત્રીજા વ્યક્તિને લઈ એક ગામમાં ગયા હતા. જ્યાં ગામલોકોએ આ બન્નેની શંકાસ્પદ હરકતો જોતા પૂછપરછ હાથ ધરી હતી. ત્રીજો વાહન ચાલક પણ ઝડપાયો હતો. જેમાં આ બન્ને પૈકીનાં એકની પ્રેમિકા આ ગામમાં રહેતી હોઇ, તેઓ મળવા આવ્યાનું ખૂલ્યું હતું. જે બાદ શંકા જતાં વાહન ચાલક, બન્ને ભાઈઓને સહિત ત્રણને પકડીને બીજીવાર ગામમાં ન આવે એના માટે મુઢ માર મારી બંને ભાઈઓને સામ સામે બેસાડીને મુંડન કરાવ્યું હતું. તેમજ ગામલોકોએ તેમની સાથે દુર્વ્યવહાર કરી માથે ટકો કરી સજા આપી હતી. ઝડપાયેલા યુવકોને સજા કરતાનો વીડિયો પણ અત્યારે બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે થરાદ પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઇ નથી. આ ઘટનાના વાયરલ વીડિયોમાં અશ્લીલ ભાષા બોલતા કેટલાક ઈસમો આ બંને ભાઈઓ તેમજ વાહન ચાલક ત્રીજા યુવકને ઉઠબેઠ કરાવતા પણ જોવા મળી રહ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.