બનાસકાંઠામાં બે યુવકોને રાત્રે પ્રેમીકાને મળવા જવું ભારે પડ્યું, લોકોએ મુઢ માર માર્યો, મુંડન કરાવ્યું, VEDIO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-11 16:50:59

બનાસકાંઠામાં બે યુવકોને રાત્રીના અંધારામાં પ્રેમીકાને મળવા જવું ભારે પડ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારનાં ગામમાં રાત્રીનાં સમયે પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમી યુવકોને ગામ લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. ગામ લોકોએ બંને યુવકોને પકડીને તેમનું મુંડન કરાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો થરાદ, વાવ કે લાખણી પંથકનો હોવાનો લોકો અનુમાન લગાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હાલ તો લોકો સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી આનંદ મેળવી રહ્યા છે. 


શું છે સમગ્ર મામલો!


બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદના એક ગામના બે ભાઈ બાજુના એક વાહન ચાલક ત્રીજા વ્યક્તિને લઈ એક ગામમાં ગયા હતા. જ્યાં ગામલોકોએ આ બન્નેની શંકાસ્પદ હરકતો જોતા પૂછપરછ હાથ ધરી હતી. ત્રીજો વાહન ચાલક પણ ઝડપાયો હતો. જેમાં આ બન્ને પૈકીનાં એકની પ્રેમિકા આ ગામમાં રહેતી હોઇ, તેઓ મળવા આવ્યાનું ખૂલ્યું હતું. જે બાદ શંકા જતાં વાહન ચાલક, બન્ને ભાઈઓને સહિત ત્રણને પકડીને બીજીવાર ગામમાં ન આવે એના માટે મુઢ માર મારી બંને ભાઈઓને સામ સામે બેસાડીને મુંડન કરાવ્યું હતું. તેમજ ગામલોકોએ તેમની સાથે દુર્વ્યવહાર કરી માથે ટકો કરી સજા આપી હતી. ઝડપાયેલા યુવકોને સજા કરતાનો વીડિયો પણ અત્યારે બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે થરાદ પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઇ નથી. આ ઘટનાના વાયરલ વીડિયોમાં અશ્લીલ ભાષા બોલતા કેટલાક ઈસમો આ બંને ભાઈઓ તેમજ વાહન ચાલક ત્રીજા યુવકને ઉઠબેઠ કરાવતા પણ જોવા મળી રહ્યા છે. 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.