Paris Olympicમાં Disqualify થયા બાદ Vinesh Phogatએ કરી સન્યાસ લેવાની જાહેરાત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું...


  • Published By :
  • Published Date : 2024-08-08 13:07:33

ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ડિસક્વોલિફાઈ થયા પછી કુસ્તીમાંથી સંન્યાસનું એલાન કરી દીધું છે. સવારે 5.17 મિનિટ પર X પર એક પોસ્ટમાં લખ્યું, “ મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ. માફ કરજો આપનું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું. આનાથી વધુ તાકાત નથી રહી હવે. અલવિદા કુસ્તી 2001-2024, આપ સૌની હંમેશા ઋણી રહીશ માફી.” આ સમાચાર ખૂબ ચોંકાવનારા એટલે છે કે આપણે ગોલ્ડ સાથે સાથે એક મજબૂત ખેલાડી ગુમાવ્યો છે 



વિનેશ ફોગાટે કરી હતી આ અપીલ...!

જો કે, નિવૃત્તિની જાહેરાત કરતા પહેલા વિનેશ ફોગાટે પોતાની ગેરલાયકાત સામે અપીલ દાખલ કરી હતી. તેઓએ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ પાસે માંગ કરી હતી કે તેમને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવામાં આવે. વિનેશે પહેલા ફાઈનલ રમવાની માંગ પણ કરી હતી. પરંતુ તેઓએ તેમની અપીલ બદલી અને હવે સંયુક્ત રીતે સિલ્વર આપવાની માંગ કરી છે. 


ડિસ્વોલિફાઈ જાહેર થયા બાદ બગડી હતી તબિયત

7 ઓગસ્ટના રોજ, વિનેશ ફોગાટનું વજન તેની નિર્ધારિત 50 કિલોગ્રામની શ્રેણી કરતાં 100 ગ્રામ વધુ હોવાનું બહાર આવ્યું. આ પછી ઓલિમ્પિક એસોસિએશને તેણીને ફ્રી સ્ટાઇલ મહિલા કુસ્તી માટે અયોગ્ય જાહેર કરી તેમણે ડિસ્કિવોલીફાઈ કરવામાં આવ્યા ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ વિનેશની તબિયત બગડી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે કોચ વિજય દહિયા તેને મળવા આવ્યા ત્યારે વિનેશે તેને કહ્યું - 'તે ખરાબ નસીબ હતું કે અમે મેડલ ગુમાવી દીધા, પરંતુ આ રમતનો એક ભાગ છે.' અને પછી આજે સવારે વિનેશ ફોગાટએ આ સંન્યાસનું ટ્વીટ કર્યું 


પીએમ મોદીએ કરી હતી આ મામલે ટ્વિટ

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને પણ કુસ્તીબાજને મદદ કરવાના રસ્તા શોધવા કહ્યું હતું. પીએમે ઉષાને આ મામલે વિરોધ નોંધાવવા પણ કહ્યું હતું. અને pmએ ટ્વીટ કરીને વિનેશને ચેમ્પીયન કહ્યું પણ ખેર દેશે એક બહાદુર ખેલાડી ગુમાયો છે જેનું દુખ છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .