Paris Olympicમાં Disqualify થયા બાદ Vinesh Phogatએ કરી સન્યાસ લેવાની જાહેરાત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું...


  • Published By :
  • Published Date : 2024-08-08 13:07:33

ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ડિસક્વોલિફાઈ થયા પછી કુસ્તીમાંથી સંન્યાસનું એલાન કરી દીધું છે. સવારે 5.17 મિનિટ પર X પર એક પોસ્ટમાં લખ્યું, “ મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ. માફ કરજો આપનું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું. આનાથી વધુ તાકાત નથી રહી હવે. અલવિદા કુસ્તી 2001-2024, આપ સૌની હંમેશા ઋણી રહીશ માફી.” આ સમાચાર ખૂબ ચોંકાવનારા એટલે છે કે આપણે ગોલ્ડ સાથે સાથે એક મજબૂત ખેલાડી ગુમાવ્યો છે 



વિનેશ ફોગાટે કરી હતી આ અપીલ...!

જો કે, નિવૃત્તિની જાહેરાત કરતા પહેલા વિનેશ ફોગાટે પોતાની ગેરલાયકાત સામે અપીલ દાખલ કરી હતી. તેઓએ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ પાસે માંગ કરી હતી કે તેમને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવામાં આવે. વિનેશે પહેલા ફાઈનલ રમવાની માંગ પણ કરી હતી. પરંતુ તેઓએ તેમની અપીલ બદલી અને હવે સંયુક્ત રીતે સિલ્વર આપવાની માંગ કરી છે. 


ડિસ્વોલિફાઈ જાહેર થયા બાદ બગડી હતી તબિયત

7 ઓગસ્ટના રોજ, વિનેશ ફોગાટનું વજન તેની નિર્ધારિત 50 કિલોગ્રામની શ્રેણી કરતાં 100 ગ્રામ વધુ હોવાનું બહાર આવ્યું. આ પછી ઓલિમ્પિક એસોસિએશને તેણીને ફ્રી સ્ટાઇલ મહિલા કુસ્તી માટે અયોગ્ય જાહેર કરી તેમણે ડિસ્કિવોલીફાઈ કરવામાં આવ્યા ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ વિનેશની તબિયત બગડી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે કોચ વિજય દહિયા તેને મળવા આવ્યા ત્યારે વિનેશે તેને કહ્યું - 'તે ખરાબ નસીબ હતું કે અમે મેડલ ગુમાવી દીધા, પરંતુ આ રમતનો એક ભાગ છે.' અને પછી આજે સવારે વિનેશ ફોગાટએ આ સંન્યાસનું ટ્વીટ કર્યું 


પીએમ મોદીએ કરી હતી આ મામલે ટ્વિટ

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને પણ કુસ્તીબાજને મદદ કરવાના રસ્તા શોધવા કહ્યું હતું. પીએમે ઉષાને આ મામલે વિરોધ નોંધાવવા પણ કહ્યું હતું. અને pmએ ટ્વીટ કરીને વિનેશને ચેમ્પીયન કહ્યું પણ ખેર દેશે એક બહાદુર ખેલાડી ગુમાયો છે જેનું દુખ છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.