WFI : Vinesh Phogatએ ખેલ રત્ન અને Arjun Award પરત કર્યો, PMO જતા રોક્યા તો રસ્તા પર એવોર્ડ મૂકી રવાના થયા! જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-01 09:55:22

થોડા સમય પહેલા સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી. બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના મનાતા સંજયસિંહ WFIના પ્રમુખ બન્યા તે બાદ આ આખો મુદ્દો ફરી એક વખત ઉઠ્યો. સાક્ષી મલિકના સમર્થનમાં અનેક કુસ્તીબાજો આવ્યા અને એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી. તમાં બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટે આ અંગેની જાહેરાત કરી છે. થોડા સમય પહેલા વિનેશ ફોગાટે એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી, 30 ડિસેમ્બરે વિનેશ ફોગાટ અવોર્ડ પરત કરવા માટે પીએમઓ જઈ રહી હતી. પરંતુ તે પહેલા જ પોલીસ તેમને રોકી દે છે અને તે બાદ તે તેમણે પોતાનો એવોર્ડ બેરિકેડ્સ પાસે મૂકી દીધા.     

સંજયસિંહની વરણી પ્રમુખ પદ ઉપર થતા કુસ્તીબાજો હતા નારાજ

કુસ્તીબાજો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા. બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવ્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી થાય તે માટે દિલ્હીના જંતરમંતર ખાતે તેમણે આંદોલન પણ કર્યા, ધરણા કર્યા. અનેક દિવસો સુધી પોતાની માગ સાથે તેઓ ત્યાં બેઠા હતા. તે બાદ બેઠકોનો દોર થયો અને તે બાદ કુસ્તીબાજોએ આંદોલન સમેટ્યું. પરંતુ ફરીથી આ વિરોધ શરૂ થયો જ્યારે બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવતા સંજયસિંહ WFIના અધ્યક્ષ બન્યા. 

સાક્ષી મલિકે કુસ્તી છોડી તો અનેક પહેલવાનોએ એવોર્ડ પરત કર્યા 

પ્રમુખ પદે તેમની જીત થતાં કુસ્તીબાજોમાં નારાજગી જોવા મળી હતી. આ બાદ સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી તે બાદ અલગ અલગ કુસ્તીબાજોએ પોતાના એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ જેવા કુસ્તીબાજોએ પીએમ મોદીને પત્ર લખ્યો અને આ  અંગેની જાહેરાત કરી. વિનેશ ફોગાટ જ્યારે પોતાના એવોર્ડને પરત આપવા માટે ગયા ત્યારે તેમને કડવો અનુભવ થયો! એવોર્ડ આપવા જ્યારે વિનેશ ફોગાટ પહોંચે તે સમયનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમની પોલીસ સાથે બહેસ થાય છે. વિનેશ પોલીસને કહી રહી છે જે જો રોકવું છે તો તેમનો એવોર્ડ તે પીએમઓ સુધી પહોંચાડી દે. 

બજરંગ પુનિયાએ પદ્મ શ્રી એવોર્ડ કર્યો પરત 

વિનેશ ફોગાટ પહેલા બજરંગ પુનિયાએ પોતાનો એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. ભારતીય કુસ્તી સંઘ ચૂંટણીના પરિણામ 21 ડિસેમ્બરે આવ્યા હતા. સંજયસિંહની પસંદગી અધ્યક્ષ તરીકે કરવામાં આવતા કુસ્તીબાજોમાં રોષ જોવા મળ્યો હતો. આ પરિણામની બીજા દિવસે બજરંગ પુનિયાએ પોતાન  એવોર્ડ પરત આપવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. બજરંગ પુનિયા પોતાનો પદ્મ શ્રી એવોર્ડ આપવા માટે દિલ્હી સ્થિત પીએમ આવાસની બહાર પોતાનો એવોર્ડ પરત કરી નારાજગી વ્યક્ત કરી હતી.   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.