WFI : Vinesh Phogatએ ખેલ રત્ન અને Arjun Award પરત કર્યો, PMO જતા રોક્યા તો રસ્તા પર એવોર્ડ મૂકી રવાના થયા! જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-01 09:55:22

થોડા સમય પહેલા સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી. બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના મનાતા સંજયસિંહ WFIના પ્રમુખ બન્યા તે બાદ આ આખો મુદ્દો ફરી એક વખત ઉઠ્યો. સાક્ષી મલિકના સમર્થનમાં અનેક કુસ્તીબાજો આવ્યા અને એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી. તમાં બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટે આ અંગેની જાહેરાત કરી છે. થોડા સમય પહેલા વિનેશ ફોગાટે એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી, 30 ડિસેમ્બરે વિનેશ ફોગાટ અવોર્ડ પરત કરવા માટે પીએમઓ જઈ રહી હતી. પરંતુ તે પહેલા જ પોલીસ તેમને રોકી દે છે અને તે બાદ તે તેમણે પોતાનો એવોર્ડ બેરિકેડ્સ પાસે મૂકી દીધા.     

સંજયસિંહની વરણી પ્રમુખ પદ ઉપર થતા કુસ્તીબાજો હતા નારાજ

કુસ્તીબાજો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા. બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવ્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી થાય તે માટે દિલ્હીના જંતરમંતર ખાતે તેમણે આંદોલન પણ કર્યા, ધરણા કર્યા. અનેક દિવસો સુધી પોતાની માગ સાથે તેઓ ત્યાં બેઠા હતા. તે બાદ બેઠકોનો દોર થયો અને તે બાદ કુસ્તીબાજોએ આંદોલન સમેટ્યું. પરંતુ ફરીથી આ વિરોધ શરૂ થયો જ્યારે બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવતા સંજયસિંહ WFIના અધ્યક્ષ બન્યા. 

સાક્ષી મલિકે કુસ્તી છોડી તો અનેક પહેલવાનોએ એવોર્ડ પરત કર્યા 

પ્રમુખ પદે તેમની જીત થતાં કુસ્તીબાજોમાં નારાજગી જોવા મળી હતી. આ બાદ સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી તે બાદ અલગ અલગ કુસ્તીબાજોએ પોતાના એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ જેવા કુસ્તીબાજોએ પીએમ મોદીને પત્ર લખ્યો અને આ  અંગેની જાહેરાત કરી. વિનેશ ફોગાટ જ્યારે પોતાના એવોર્ડને પરત આપવા માટે ગયા ત્યારે તેમને કડવો અનુભવ થયો! એવોર્ડ આપવા જ્યારે વિનેશ ફોગાટ પહોંચે તે સમયનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમની પોલીસ સાથે બહેસ થાય છે. વિનેશ પોલીસને કહી રહી છે જે જો રોકવું છે તો તેમનો એવોર્ડ તે પીએમઓ સુધી પહોંચાડી દે. 

બજરંગ પુનિયાએ પદ્મ શ્રી એવોર્ડ કર્યો પરત 

વિનેશ ફોગાટ પહેલા બજરંગ પુનિયાએ પોતાનો એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. ભારતીય કુસ્તી સંઘ ચૂંટણીના પરિણામ 21 ડિસેમ્બરે આવ્યા હતા. સંજયસિંહની પસંદગી અધ્યક્ષ તરીકે કરવામાં આવતા કુસ્તીબાજોમાં રોષ જોવા મળ્યો હતો. આ પરિણામની બીજા દિવસે બજરંગ પુનિયાએ પોતાન  એવોર્ડ પરત આપવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. બજરંગ પુનિયા પોતાનો પદ્મ શ્રી એવોર્ડ આપવા માટે દિલ્હી સ્થિત પીએમ આવાસની બહાર પોતાનો એવોર્ડ પરત કરી નારાજગી વ્યક્ત કરી હતી.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.