નવા વર્ષે Manipurમાં હિંસા ભડકી ઉઠી! ગોળીબારીમાં ગયા ત્રણ લોકોના જીવ, લગાવાયો Curfew, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-02 09:37:20

મણિપુરમાં હિંસા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. અનેક વખત ત્યાંથી હિંસાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ગઈકાલે એટલે નવા વર્ષના પહેલા દિવસે મણિપુરમાં હિંસા ફરી ભડકી ઉઠી છે જેને કારણે 3 જેટલા લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને કારણે હિંસા ફાટી નીકળી જેને કારણે 5 જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર થૌબલ જિલ્લામાં ત્રણ લોકોની હત્યા ગોળી મારીને કરવામાં આવી. આ ફાયરિંગમાં પાંચ જેટલા લોકો ઘાયલ પણ થયા છે. ગોળીબારીને કારણે રાજ્યના પાંચ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હિંસાને પગલે મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.

Manipur Violence: नए साल पर मणिपुर में फिर से भड़की हिंसा, 3 लोगों की गोली मारकर हत्या; 5 जिलों में लगाया गया कर्फ्यू


મણિપુરમાં અનેક મહિનાઓથી ફાટી નીકળી છે હિંસા 

એક તરફ લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ મણિપુરમાં ફરી એક વખત હિંસા ફાટી નીકળી છે. મણિપુરમાં કેવી સ્થિતિ છે તે અંગે વાત નથી કરવી કારણ કે તે તો તમે જાણો જ છો. અનેક મહિનાઓથી ત્યાં ભડકેલી હિંસા શાંત નથી થઈ રહી. અનેક લોકોના મોત આ ભડકેલી હિંસામાં થયા છે. થોડા સમય પહેલા મહિલાઓ સાથે થયેલા અત્યાચારનો એક વીડિયો સામે આવ્યો હતો જે બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સંસદમાં પણ આ મુદ્દાને લઈ વિરોધ પ્રદર્શન થયા. 



આ જિલ્લાઓમાં લાદી દેવામાં આવ્યો કર્ફ્યુ 

ત્યારે ફરી એક વખત ગઈકાલે મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. સોમવારે સાંજે થૌબલના લેંગોલ પહાડી વિસ્તારમાં 3 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હિંસામાં 11 જેટલા લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. લોકોમાં એટલો રોષ હતો કે ગાડીઓને આગને હવાલે કરી દીધી હતી. હિંસાને જોતા પાંચ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો. થૌબલ, ઇમ્ફાલ ઇસ્ટ, ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. 


ઘટનાને લઈ શું કહ્યું મણિપુરના મુખ્યમંત્રીએ? 

હિંસા ફાટી નીકળતા મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહેનો એક વીડિયો સંદેશો સામે આવ્યો છે જેમાં તે આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે પોલીસ ગુનેગારોને પકડવા માટે કામ કરી રહી છે. ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કાયદા મુજબ સજા કરવામાં આવશે. આ હિંસામાં 180થી વધુ લોકોના મોત થઈ ગયા છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે