નવા વર્ષે Manipurમાં હિંસા ભડકી ઉઠી! ગોળીબારીમાં ગયા ત્રણ લોકોના જીવ, લગાવાયો Curfew, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-02 09:37:20

મણિપુરમાં હિંસા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. અનેક વખત ત્યાંથી હિંસાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ગઈકાલે એટલે નવા વર્ષના પહેલા દિવસે મણિપુરમાં હિંસા ફરી ભડકી ઉઠી છે જેને કારણે 3 જેટલા લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને કારણે હિંસા ફાટી નીકળી જેને કારણે 5 જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર થૌબલ જિલ્લામાં ત્રણ લોકોની હત્યા ગોળી મારીને કરવામાં આવી. આ ફાયરિંગમાં પાંચ જેટલા લોકો ઘાયલ પણ થયા છે. ગોળીબારીને કારણે રાજ્યના પાંચ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હિંસાને પગલે મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.

Manipur Violence: नए साल पर मणिपुर में फिर से भड़की हिंसा, 3 लोगों की गोली मारकर हत्या; 5 जिलों में लगाया गया कर्फ्यू


મણિપુરમાં અનેક મહિનાઓથી ફાટી નીકળી છે હિંસા 

એક તરફ લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ મણિપુરમાં ફરી એક વખત હિંસા ફાટી નીકળી છે. મણિપુરમાં કેવી સ્થિતિ છે તે અંગે વાત નથી કરવી કારણ કે તે તો તમે જાણો જ છો. અનેક મહિનાઓથી ત્યાં ભડકેલી હિંસા શાંત નથી થઈ રહી. અનેક લોકોના મોત આ ભડકેલી હિંસામાં થયા છે. થોડા સમય પહેલા મહિલાઓ સાથે થયેલા અત્યાચારનો એક વીડિયો સામે આવ્યો હતો જે બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સંસદમાં પણ આ મુદ્દાને લઈ વિરોધ પ્રદર્શન થયા. 



આ જિલ્લાઓમાં લાદી દેવામાં આવ્યો કર્ફ્યુ 

ત્યારે ફરી એક વખત ગઈકાલે મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. સોમવારે સાંજે થૌબલના લેંગોલ પહાડી વિસ્તારમાં 3 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હિંસામાં 11 જેટલા લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. લોકોમાં એટલો રોષ હતો કે ગાડીઓને આગને હવાલે કરી દીધી હતી. હિંસાને જોતા પાંચ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો. થૌબલ, ઇમ્ફાલ ઇસ્ટ, ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. 


ઘટનાને લઈ શું કહ્યું મણિપુરના મુખ્યમંત્રીએ? 

હિંસા ફાટી નીકળતા મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહેનો એક વીડિયો સંદેશો સામે આવ્યો છે જેમાં તે આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે પોલીસ ગુનેગારોને પકડવા માટે કામ કરી રહી છે. ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કાયદા મુજબ સજા કરવામાં આવશે. આ હિંસામાં 180થી વધુ લોકોના મોત થઈ ગયા છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.