Manipurમાં ફરી એક વખત ભડકી ઉઠી હિંસા! ભીડે SP ઓફિસ પર કર્યો હુમલો, જાણો શા કારણોસર ભડકી હિંસા?


  • Published By :
  • Published Date : 2024-02-16 09:50:22

મણિપુરમાં હિંસા ફરી એક વખત ભડકી ઉઠી છે. મણિપુરના ચુરાચાંદપુરમાં અંદાજીત 300થી 400 લોકોના ટોળાએ એસપી ઓફિસ પર હુમલો કર્યો છે. 15 ફેબ્રુઆરીએ મોડી રાત્રે હિંસા ફાટી નીકળી હતી. એસપી- સીસીપી ઓફિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે ઓફિસની બહાર જોરદાર તોડફોડ કરવામાં આવી છે અને સરકારી વાહનોને આગ ચાંપી દીધી હતી.ભીડને નિયંત્રણ કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. એવી માહિતી સામે આવી છે કે આ ઝપાઝપીમાં 2 લોકોના મોત થઈ ગયા છે અને 30 લોકો ઘાયલ થયા છે.

મણિપુરને લઈ કોંગ્રેસે અનેક વખત ભાજપ પર કર્યા છે પ્રહાર 

છેલ્લા ઘણા સમયથી મણિપુરથી હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે હિંસાની આગમાં. ત્યાંની પરિસ્થિતિ વિશે આપણે જાણીએ છીએ. મણિપુરને લઈ અનેક વખત રાજનીતિ પણ ગરમાઈ છે. કોંગ્રેસે અનેક વખત એવો મુદ્દો ઉઠાવ્યો છે કે મણિપુર મુદ્દે પીએમ મોદી કેમ શાંત છે? મણિપુરને લઈ શા માટે પીએમ મોદી કોઈ એક્શન નથી લેતા? મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે તેવા સમાચાર સામે આવ્યા છે.


આ કારણોસર ભડકી ઉઠી હિંસા!

મોટા પ્રમાણમાં લોકોના ટોળાએ એસપી ઓફિસ પર હુમલો કર્યો હતો. 300થી 400 લોકોના શસ્ત્રધારી ટોળાએ ચુરાચંદપુરના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ ઉપરાંત ડીસીના કાર્યાલયને ઘેરી લેતાં જોરદાર તોડફોડ મચાવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે ટોળામાં સામેલ લોકોએ સરકારી વાહનોને આગને હવાલે કરી દીધા હતા. હિંસાને લઈ પોલીસ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. એવી માહિતી સામે આવી છે કે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાને કારણે આ હિંસા ભડકી ઉઠી છે. 14 ફેબ્રુઆરીનો એક વીડિયો સામે આવ્યો હતો. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.