Manipurમાં ફરી એક વખત ભડકી ઉઠી હિંસા! ભીડે SP ઓફિસ પર કર્યો હુમલો, જાણો શા કારણોસર ભડકી હિંસા?


  • Published By :
  • Published Date : 2024-02-16 09:50:22

મણિપુરમાં હિંસા ફરી એક વખત ભડકી ઉઠી છે. મણિપુરના ચુરાચાંદપુરમાં અંદાજીત 300થી 400 લોકોના ટોળાએ એસપી ઓફિસ પર હુમલો કર્યો છે. 15 ફેબ્રુઆરીએ મોડી રાત્રે હિંસા ફાટી નીકળી હતી. એસપી- સીસીપી ઓફિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે ઓફિસની બહાર જોરદાર તોડફોડ કરવામાં આવી છે અને સરકારી વાહનોને આગ ચાંપી દીધી હતી.ભીડને નિયંત્રણ કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. એવી માહિતી સામે આવી છે કે આ ઝપાઝપીમાં 2 લોકોના મોત થઈ ગયા છે અને 30 લોકો ઘાયલ થયા છે.

મણિપુરને લઈ કોંગ્રેસે અનેક વખત ભાજપ પર કર્યા છે પ્રહાર 

છેલ્લા ઘણા સમયથી મણિપુરથી હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે હિંસાની આગમાં. ત્યાંની પરિસ્થિતિ વિશે આપણે જાણીએ છીએ. મણિપુરને લઈ અનેક વખત રાજનીતિ પણ ગરમાઈ છે. કોંગ્રેસે અનેક વખત એવો મુદ્દો ઉઠાવ્યો છે કે મણિપુર મુદ્દે પીએમ મોદી કેમ શાંત છે? મણિપુરને લઈ શા માટે પીએમ મોદી કોઈ એક્શન નથી લેતા? મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે તેવા સમાચાર સામે આવ્યા છે.


આ કારણોસર ભડકી ઉઠી હિંસા!

મોટા પ્રમાણમાં લોકોના ટોળાએ એસપી ઓફિસ પર હુમલો કર્યો હતો. 300થી 400 લોકોના શસ્ત્રધારી ટોળાએ ચુરાચંદપુરના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ ઉપરાંત ડીસીના કાર્યાલયને ઘેરી લેતાં જોરદાર તોડફોડ મચાવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે ટોળામાં સામેલ લોકોએ સરકારી વાહનોને આગને હવાલે કરી દીધા હતા. હિંસાને લઈ પોલીસ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. એવી માહિતી સામે આવી છે કે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાને કારણે આ હિંસા ભડકી ઉઠી છે. 14 ફેબ્રુઆરીનો એક વીડિયો સામે આવ્યો હતો. 




રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .