Manipurમાં ફરી એક વખત ભડકી ઉઠી હિંસા! ભીડે SP ઓફિસ પર કર્યો હુમલો, જાણો શા કારણોસર ભડકી હિંસા?


  • Published By :
  • Published Date : 2024-02-16 09:50:22

મણિપુરમાં હિંસા ફરી એક વખત ભડકી ઉઠી છે. મણિપુરના ચુરાચાંદપુરમાં અંદાજીત 300થી 400 લોકોના ટોળાએ એસપી ઓફિસ પર હુમલો કર્યો છે. 15 ફેબ્રુઆરીએ મોડી રાત્રે હિંસા ફાટી નીકળી હતી. એસપી- સીસીપી ઓફિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે ઓફિસની બહાર જોરદાર તોડફોડ કરવામાં આવી છે અને સરકારી વાહનોને આગ ચાંપી દીધી હતી.ભીડને નિયંત્રણ કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. એવી માહિતી સામે આવી છે કે આ ઝપાઝપીમાં 2 લોકોના મોત થઈ ગયા છે અને 30 લોકો ઘાયલ થયા છે.

મણિપુરને લઈ કોંગ્રેસે અનેક વખત ભાજપ પર કર્યા છે પ્રહાર 

છેલ્લા ઘણા સમયથી મણિપુરથી હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે હિંસાની આગમાં. ત્યાંની પરિસ્થિતિ વિશે આપણે જાણીએ છીએ. મણિપુરને લઈ અનેક વખત રાજનીતિ પણ ગરમાઈ છે. કોંગ્રેસે અનેક વખત એવો મુદ્દો ઉઠાવ્યો છે કે મણિપુર મુદ્દે પીએમ મોદી કેમ શાંત છે? મણિપુરને લઈ શા માટે પીએમ મોદી કોઈ એક્શન નથી લેતા? મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે તેવા સમાચાર સામે આવ્યા છે.


આ કારણોસર ભડકી ઉઠી હિંસા!

મોટા પ્રમાણમાં લોકોના ટોળાએ એસપી ઓફિસ પર હુમલો કર્યો હતો. 300થી 400 લોકોના શસ્ત્રધારી ટોળાએ ચુરાચંદપુરના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ ઉપરાંત ડીસીના કાર્યાલયને ઘેરી લેતાં જોરદાર તોડફોડ મચાવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે ટોળામાં સામેલ લોકોએ સરકારી વાહનોને આગને હવાલે કરી દીધા હતા. હિંસાને લઈ પોલીસ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. એવી માહિતી સામે આવી છે કે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાને કારણે આ હિંસા ભડકી ઉઠી છે. 14 ફેબ્રુઆરીનો એક વીડિયો સામે આવ્યો હતો. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .