Hariyanaમાં ભડકેલી હિંસા યથાવત! પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ! જાણો Hariyanaની લેટેસ્ટ અપડેટ વિશે


  • Published By :
  • Published Date : 2023-08-03 14:19:12

હરિયાણામાં થોડા દિવસો પહેલા ભડકેલી હિંસા શાંત થવાની બદલીમાં સતત વધતી જઈ રહી છે. ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો ઉપરાંત અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. હરિયાણામાં શાંતિ સ્થાપિત થાય તે માટે સુરક્ષાબળોની અનેક ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. ફ્લેગ માર્ચ પણ નીકાળવામાં આવે છે. આ બધા વચ્ચે અનેક જિલ્લાઓમાં લાગેલા ઈન્ટરનેટના પ્રતિબંધને હટાવવામાં આવી રહ્યો છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. 

સુરક્ષાબળોને હરિયાણાના જિલ્લાઓમાં કરાયા તૈનાત

એક તરફ મણિપુરમાં ભડકેલી હિંસા શાંત નથી થઈ, દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી છે. તંગ બનેલા વાતાવરણમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મણિપુરમાં ભડકેલી હિંસા કેવી રીતે કાબુમાં લાવવી તે અંગે કોઈ નિર્ણય અથવા તો કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ત્યારે હરિયાણામાં હિંસા ફાટી નીકળી છે. હરિયાણાના નૂર સહિત અનેક જિલ્લાઓમાં ભડકેલી હિંસાને શાંત કરવા માટે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે. 

સોશિયલ મીડિયામાં હિંસાના વીડિયો વાયરલ કરતા લોકો વિરૂદ્ધ કરી કાર્યવાહી 

પોલીસ દ્વારા પણ હિંસા કોણે ભડકાવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બે જૂથ વચ્ચે શરૂ થયેલી અથડામણને કારણે આ હિંસા ફાટી નીકળી હતી. સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થઈ રહ્યા હતા જે હિંસાને વધારવાનું કામ કરે તેવા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર આવા વીડિયો પોસ્ટ કરવાવાળા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. આ મામલે અનેક લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.     

પોલીસ તમામ લોકોની સુરક્ષા ન કરી શકે - હરિયાણા મુખ્યમંત્રી 

હરિયાણામાં વધતી હિંસા વચ્ચે ત્યાંના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે હિંસામાં જે પણ નુકસાન થયું છે, તે તોફાની તત્વો પાસેથી વસૂલવામાં આવશે. દંગા કરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ દોષિતને છોડવામાં નહીં આવે, દોષિતોની ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 116ની ધરપકડ કરાઈ અને 190 લોકો કસ્ટડીમાં છે. નિવેદન આપતી વખતે તેમણે વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દુનિયામાં ક્યાંય પણ જાઓ. તમામ વ્યક્તિની સુરક્ષા પોલીસ ન કરી શકે. રાજ્યની વસ્તી 2.7 કરોડ છે અને અમારી પાસે પોલીસ જવાન માત્ર 60 હજાર છે. આવી પરિસ્થિતિમાં પોલીસ તમામ લોકોની સુરક્ષા ન કરી શકે. 

હિંસામાં પોલીસ કર્મીઓને રહેતો હોય છે સૌથી વધારે જાનનો ખતરો 

મહત્વનું છે કે જ્યારે જ્યારે આવી હિંસાઓ ફાટી નિકળતી હોય છે ત્યારે સૌથી વધારે જો કોઈને નુકસાન થાય, કોઈને સૌથી વધારે મૃત્યુનો ખતરો હોય તો તે પોલીસ જવાન જ છે. ગમે તે પરિસ્થિતિમાં હોય પરંતુ તેઓ પોતાની ફરજમાંથી પીછેહઠ કરી શક્તા નથી. સુરક્ષાબળોના તેમજ અનેક પોલીસ જવાન આવી હિંસાની ઘટનામાં શહીદ થતાં હોય છે. મહત્વનું છે કે આ હિંસામાં સાત જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.