Hariyanaમાં ભડકેલી હિંસા યથાવત! પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ! જાણો Hariyanaની લેટેસ્ટ અપડેટ વિશે


  • Published By :
  • Published Date : 2023-08-03 14:19:12

હરિયાણામાં થોડા દિવસો પહેલા ભડકેલી હિંસા શાંત થવાની બદલીમાં સતત વધતી જઈ રહી છે. ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો ઉપરાંત અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. હરિયાણામાં શાંતિ સ્થાપિત થાય તે માટે સુરક્ષાબળોની અનેક ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. ફ્લેગ માર્ચ પણ નીકાળવામાં આવે છે. આ બધા વચ્ચે અનેક જિલ્લાઓમાં લાગેલા ઈન્ટરનેટના પ્રતિબંધને હટાવવામાં આવી રહ્યો છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. 

સુરક્ષાબળોને હરિયાણાના જિલ્લાઓમાં કરાયા તૈનાત

એક તરફ મણિપુરમાં ભડકેલી હિંસા શાંત નથી થઈ, દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી છે. તંગ બનેલા વાતાવરણમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મણિપુરમાં ભડકેલી હિંસા કેવી રીતે કાબુમાં લાવવી તે અંગે કોઈ નિર્ણય અથવા તો કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ત્યારે હરિયાણામાં હિંસા ફાટી નીકળી છે. હરિયાણાના નૂર સહિત અનેક જિલ્લાઓમાં ભડકેલી હિંસાને શાંત કરવા માટે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે. 

સોશિયલ મીડિયામાં હિંસાના વીડિયો વાયરલ કરતા લોકો વિરૂદ્ધ કરી કાર્યવાહી 

પોલીસ દ્વારા પણ હિંસા કોણે ભડકાવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બે જૂથ વચ્ચે શરૂ થયેલી અથડામણને કારણે આ હિંસા ફાટી નીકળી હતી. સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થઈ રહ્યા હતા જે હિંસાને વધારવાનું કામ કરે તેવા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર આવા વીડિયો પોસ્ટ કરવાવાળા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. આ મામલે અનેક લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.     

પોલીસ તમામ લોકોની સુરક્ષા ન કરી શકે - હરિયાણા મુખ્યમંત્રી 

હરિયાણામાં વધતી હિંસા વચ્ચે ત્યાંના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે હિંસામાં જે પણ નુકસાન થયું છે, તે તોફાની તત્વો પાસેથી વસૂલવામાં આવશે. દંગા કરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ દોષિતને છોડવામાં નહીં આવે, દોષિતોની ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 116ની ધરપકડ કરાઈ અને 190 લોકો કસ્ટડીમાં છે. નિવેદન આપતી વખતે તેમણે વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દુનિયામાં ક્યાંય પણ જાઓ. તમામ વ્યક્તિની સુરક્ષા પોલીસ ન કરી શકે. રાજ્યની વસ્તી 2.7 કરોડ છે અને અમારી પાસે પોલીસ જવાન માત્ર 60 હજાર છે. આવી પરિસ્થિતિમાં પોલીસ તમામ લોકોની સુરક્ષા ન કરી શકે. 

હિંસામાં પોલીસ કર્મીઓને રહેતો હોય છે સૌથી વધારે જાનનો ખતરો 

મહત્વનું છે કે જ્યારે જ્યારે આવી હિંસાઓ ફાટી નિકળતી હોય છે ત્યારે સૌથી વધારે જો કોઈને નુકસાન થાય, કોઈને સૌથી વધારે મૃત્યુનો ખતરો હોય તો તે પોલીસ જવાન જ છે. ગમે તે પરિસ્થિતિમાં હોય પરંતુ તેઓ પોતાની ફરજમાંથી પીછેહઠ કરી શક્તા નથી. સુરક્ષાબળોના તેમજ અનેક પોલીસ જવાન આવી હિંસાની ઘટનામાં શહીદ થતાં હોય છે. મહત્વનું છે કે આ હિંસામાં સાત જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .