Hariyanaમાં ભડકેલી હિંસા યથાવત! પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ! જાણો Hariyanaની લેટેસ્ટ અપડેટ વિશે


  • Published By :
  • Published Date : 2023-08-03 14:19:12

હરિયાણામાં થોડા દિવસો પહેલા ભડકેલી હિંસા શાંત થવાની બદલીમાં સતત વધતી જઈ રહી છે. ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો ઉપરાંત અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. હરિયાણામાં શાંતિ સ્થાપિત થાય તે માટે સુરક્ષાબળોની અનેક ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. ફ્લેગ માર્ચ પણ નીકાળવામાં આવે છે. આ બધા વચ્ચે અનેક જિલ્લાઓમાં લાગેલા ઈન્ટરનેટના પ્રતિબંધને હટાવવામાં આવી રહ્યો છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. 

સુરક્ષાબળોને હરિયાણાના જિલ્લાઓમાં કરાયા તૈનાત

એક તરફ મણિપુરમાં ભડકેલી હિંસા શાંત નથી થઈ, દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી છે. તંગ બનેલા વાતાવરણમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મણિપુરમાં ભડકેલી હિંસા કેવી રીતે કાબુમાં લાવવી તે અંગે કોઈ નિર્ણય અથવા તો કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ત્યારે હરિયાણામાં હિંસા ફાટી નીકળી છે. હરિયાણાના નૂર સહિત અનેક જિલ્લાઓમાં ભડકેલી હિંસાને શાંત કરવા માટે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે. 

સોશિયલ મીડિયામાં હિંસાના વીડિયો વાયરલ કરતા લોકો વિરૂદ્ધ કરી કાર્યવાહી 

પોલીસ દ્વારા પણ હિંસા કોણે ભડકાવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બે જૂથ વચ્ચે શરૂ થયેલી અથડામણને કારણે આ હિંસા ફાટી નીકળી હતી. સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થઈ રહ્યા હતા જે હિંસાને વધારવાનું કામ કરે તેવા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર આવા વીડિયો પોસ્ટ કરવાવાળા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. આ મામલે અનેક લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.     

પોલીસ તમામ લોકોની સુરક્ષા ન કરી શકે - હરિયાણા મુખ્યમંત્રી 

હરિયાણામાં વધતી હિંસા વચ્ચે ત્યાંના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે હિંસામાં જે પણ નુકસાન થયું છે, તે તોફાની તત્વો પાસેથી વસૂલવામાં આવશે. દંગા કરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ દોષિતને છોડવામાં નહીં આવે, દોષિતોની ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 116ની ધરપકડ કરાઈ અને 190 લોકો કસ્ટડીમાં છે. નિવેદન આપતી વખતે તેમણે વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દુનિયામાં ક્યાંય પણ જાઓ. તમામ વ્યક્તિની સુરક્ષા પોલીસ ન કરી શકે. રાજ્યની વસ્તી 2.7 કરોડ છે અને અમારી પાસે પોલીસ જવાન માત્ર 60 હજાર છે. આવી પરિસ્થિતિમાં પોલીસ તમામ લોકોની સુરક્ષા ન કરી શકે. 

હિંસામાં પોલીસ કર્મીઓને રહેતો હોય છે સૌથી વધારે જાનનો ખતરો 

મહત્વનું છે કે જ્યારે જ્યારે આવી હિંસાઓ ફાટી નિકળતી હોય છે ત્યારે સૌથી વધારે જો કોઈને નુકસાન થાય, કોઈને સૌથી વધારે મૃત્યુનો ખતરો હોય તો તે પોલીસ જવાન જ છે. ગમે તે પરિસ્થિતિમાં હોય પરંતુ તેઓ પોતાની ફરજમાંથી પીછેહઠ કરી શક્તા નથી. સુરક્ષાબળોના તેમજ અનેક પોલીસ જવાન આવી હિંસાની ઘટનામાં શહીદ થતાં હોય છે. મહત્વનું છે કે આ હિંસામાં સાત જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.