Manipurમાં હિંસા ફરી ભડકી ઉઠી! સુરક્ષાબળ અને ભીડ વચ્ચે થઈ અથડામણ, જાણો Manipurની હાલની સ્થિતિ અંગે


  • Published By :
  • Published Date : 2023-08-04 12:01:53

મણિપુરમાં સ્થિતિ શાંત થવાની બદલીમાં બેકાબુ બની રહી છે. અનેક મહિનાઓથી ચાલતી હિંસાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં હિંસા ફરી ભડકી ઉઠી અને સુરક્ષાકર્મીઓ અને ભીડ વચ્ચે અથડામણ સર્જાઈ છે. સેનજામ ચિરાંગ સહિતના વિસ્તારોમાં અશાંતિ ફરી ફેલાઈ ગઈ છે. અથડામણમાં સુરક્ષાકર્મીઓ સહિત બે જેટલા લોકો ઘાયલ થયા છે. પરંતુ મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે. અથડામણ કયા કારણોસર થઈ તે પોલીસે જણાવ્યું અને કહ્યું કે ભીડે બિષ્ણુપુરના કીરેનફાબી અને થંગલાવઈ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને ત્યાં રહેલા હથિયારો, બારૂદ સહિતની વસ્તુને ત્યાંથી ઉઠાવી લઈ ગયા. જ્યારે તે વસ્તુને ભીડથી ખેંચવાની કોશિશ કરી તે સમયે હિંસક અથડામણ થઈ હતી.    

ત્રણ મહિના વિતી ગયા પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર....

દેશના અનેક રાજ્યો છે હિંસાની આગમાં બળી રહ્યા છે. પહેલા મણિપુરની ચર્ચાઓ થતી હતી, તે બાદ હરિયાણામાં ફાટી નીકળેલી હિંસાની ચર્ચાઓ થવા લાગી. આપણે ત્યાં ચર્ચા ભલે ઓછી થઈ ગઈ પરંતુ મણિપુરમાં સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી. મણિપુરમાં હિંસા ફરી ફાટી નીકળી છે. 3 ઓગસ્ટના રોજ મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને 3 મહિના પૂર્ણ થઈ ગયા છે. ત્રણ મહિના પૂર્ણ થઈ ગયા છે પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. હિંસાની સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. 



સુરક્ષાબળ અને ભીડ વચ્ચે થઈ અથડામણ

છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત વાતાવરણ તંગ થઈ ગયું છે. પોલીસ સ્ટેશનમાં રાખેલા હથિયાર, બારૂદને લેવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે ફરી એક વખત આવી ઘટના બની છે. બિષ્ણુપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો અને મૈતેઈ સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સુરક્ષાબળો અને ભીડ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા છે. ભીડ પર કાબુ મેળવવા માટે સુરક્ષાબળો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું ઉપરાંત ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર સુરક્ષાબળો અને ભીડ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 17 જેટલા લોકો ઘાયલ થયા છે. 


સંસદમાં નથી થતી મણિપુરને લઈ ચર્ચા 

મહત્વનું છે કે મણિપુરનો મુદ્દો જ્યારે જ્યારે સંસદમાં ઉઠે છે ત્યારે ત્યારે હોબાળો થાય છે. પીએમ મોદી દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અથવા તો કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જેને લઈ એવું લાગે કે તે મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ ગંભીર નથી. પીએમ મોદી મણિપુર મામલે કોઈ કાર્યવાહી કરે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. સંસદમાં મણિપુર મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. વિપક્ષ પણ કહે છે કે તે ચર્ચા માટે તૈયાર છે, સરકાર પણ કહે છે કે તે ચર્ચા માટે તૈયાર છે. બધા તૈયાર છે તેમ છતાંય સંસદમાં આટલા દિવસો વિત્યા છતાંય હિંસા શાંત નથી થઈ. મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થશે તેનો જવાબ મળે તે માટે સૌ કોઈ તત્પર છે. એવું ન થાય કે ઈગોમાંને ઈગોમાં મણિપુર બળીને ખાખ થઈ જાય....   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .