Manipurમાં હિંસા ફરી ભડકી ઉઠી! સુરક્ષાબળ અને ભીડ વચ્ચે થઈ અથડામણ, જાણો Manipurની હાલની સ્થિતિ અંગે


  • Published By :
  • Published Date : 2023-08-04 12:01:53

મણિપુરમાં સ્થિતિ શાંત થવાની બદલીમાં બેકાબુ બની રહી છે. અનેક મહિનાઓથી ચાલતી હિંસાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં હિંસા ફરી ભડકી ઉઠી અને સુરક્ષાકર્મીઓ અને ભીડ વચ્ચે અથડામણ સર્જાઈ છે. સેનજામ ચિરાંગ સહિતના વિસ્તારોમાં અશાંતિ ફરી ફેલાઈ ગઈ છે. અથડામણમાં સુરક્ષાકર્મીઓ સહિત બે જેટલા લોકો ઘાયલ થયા છે. પરંતુ મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે. અથડામણ કયા કારણોસર થઈ તે પોલીસે જણાવ્યું અને કહ્યું કે ભીડે બિષ્ણુપુરના કીરેનફાબી અને થંગલાવઈ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને ત્યાં રહેલા હથિયારો, બારૂદ સહિતની વસ્તુને ત્યાંથી ઉઠાવી લઈ ગયા. જ્યારે તે વસ્તુને ભીડથી ખેંચવાની કોશિશ કરી તે સમયે હિંસક અથડામણ થઈ હતી.    

ત્રણ મહિના વિતી ગયા પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર....

દેશના અનેક રાજ્યો છે હિંસાની આગમાં બળી રહ્યા છે. પહેલા મણિપુરની ચર્ચાઓ થતી હતી, તે બાદ હરિયાણામાં ફાટી નીકળેલી હિંસાની ચર્ચાઓ થવા લાગી. આપણે ત્યાં ચર્ચા ભલે ઓછી થઈ ગઈ પરંતુ મણિપુરમાં સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી. મણિપુરમાં હિંસા ફરી ફાટી નીકળી છે. 3 ઓગસ્ટના રોજ મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને 3 મહિના પૂર્ણ થઈ ગયા છે. ત્રણ મહિના પૂર્ણ થઈ ગયા છે પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. હિંસાની સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. 



સુરક્ષાબળ અને ભીડ વચ્ચે થઈ અથડામણ

છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત વાતાવરણ તંગ થઈ ગયું છે. પોલીસ સ્ટેશનમાં રાખેલા હથિયાર, બારૂદને લેવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે ફરી એક વખત આવી ઘટના બની છે. બિષ્ણુપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો અને મૈતેઈ સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સુરક્ષાબળો અને ભીડ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા છે. ભીડ પર કાબુ મેળવવા માટે સુરક્ષાબળો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું ઉપરાંત ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર સુરક્ષાબળો અને ભીડ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 17 જેટલા લોકો ઘાયલ થયા છે. 


સંસદમાં નથી થતી મણિપુરને લઈ ચર્ચા 

મહત્વનું છે કે મણિપુરનો મુદ્દો જ્યારે જ્યારે સંસદમાં ઉઠે છે ત્યારે ત્યારે હોબાળો થાય છે. પીએમ મોદી દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અથવા તો કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જેને લઈ એવું લાગે કે તે મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ ગંભીર નથી. પીએમ મોદી મણિપુર મામલે કોઈ કાર્યવાહી કરે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. સંસદમાં મણિપુર મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. વિપક્ષ પણ કહે છે કે તે ચર્ચા માટે તૈયાર છે, સરકાર પણ કહે છે કે તે ચર્ચા માટે તૈયાર છે. બધા તૈયાર છે તેમ છતાંય સંસદમાં આટલા દિવસો વિત્યા છતાંય હિંસા શાંત નથી થઈ. મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થશે તેનો જવાબ મળે તે માટે સૌ કોઈ તત્પર છે. એવું ન થાય કે ઈગોમાંને ઈગોમાં મણિપુર બળીને ખાખ થઈ જાય....   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.