Manipurમાં હિંસા ફરી ભડકી ઉઠી! સુરક્ષાબળ અને ભીડ વચ્ચે થઈ અથડામણ, જાણો Manipurની હાલની સ્થિતિ અંગે


  • Published By :
  • Published Date : 2023-08-04 12:01:53

મણિપુરમાં સ્થિતિ શાંત થવાની બદલીમાં બેકાબુ બની રહી છે. અનેક મહિનાઓથી ચાલતી હિંસાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં હિંસા ફરી ભડકી ઉઠી અને સુરક્ષાકર્મીઓ અને ભીડ વચ્ચે અથડામણ સર્જાઈ છે. સેનજામ ચિરાંગ સહિતના વિસ્તારોમાં અશાંતિ ફરી ફેલાઈ ગઈ છે. અથડામણમાં સુરક્ષાકર્મીઓ સહિત બે જેટલા લોકો ઘાયલ થયા છે. પરંતુ મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે. અથડામણ કયા કારણોસર થઈ તે પોલીસે જણાવ્યું અને કહ્યું કે ભીડે બિષ્ણુપુરના કીરેનફાબી અને થંગલાવઈ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને ત્યાં રહેલા હથિયારો, બારૂદ સહિતની વસ્તુને ત્યાંથી ઉઠાવી લઈ ગયા. જ્યારે તે વસ્તુને ભીડથી ખેંચવાની કોશિશ કરી તે સમયે હિંસક અથડામણ થઈ હતી.    

ત્રણ મહિના વિતી ગયા પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર....

દેશના અનેક રાજ્યો છે હિંસાની આગમાં બળી રહ્યા છે. પહેલા મણિપુરની ચર્ચાઓ થતી હતી, તે બાદ હરિયાણામાં ફાટી નીકળેલી હિંસાની ચર્ચાઓ થવા લાગી. આપણે ત્યાં ચર્ચા ભલે ઓછી થઈ ગઈ પરંતુ મણિપુરમાં સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી. મણિપુરમાં હિંસા ફરી ફાટી નીકળી છે. 3 ઓગસ્ટના રોજ મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને 3 મહિના પૂર્ણ થઈ ગયા છે. ત્રણ મહિના પૂર્ણ થઈ ગયા છે પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. હિંસાની સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. 



સુરક્ષાબળ અને ભીડ વચ્ચે થઈ અથડામણ

છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત વાતાવરણ તંગ થઈ ગયું છે. પોલીસ સ્ટેશનમાં રાખેલા હથિયાર, બારૂદને લેવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે ફરી એક વખત આવી ઘટના બની છે. બિષ્ણુપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો અને મૈતેઈ સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સુરક્ષાબળો અને ભીડ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા છે. ભીડ પર કાબુ મેળવવા માટે સુરક્ષાબળો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું ઉપરાંત ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર સુરક્ષાબળો અને ભીડ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 17 જેટલા લોકો ઘાયલ થયા છે. 


સંસદમાં નથી થતી મણિપુરને લઈ ચર્ચા 

મહત્વનું છે કે મણિપુરનો મુદ્દો જ્યારે જ્યારે સંસદમાં ઉઠે છે ત્યારે ત્યારે હોબાળો થાય છે. પીએમ મોદી દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અથવા તો કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જેને લઈ એવું લાગે કે તે મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ ગંભીર નથી. પીએમ મોદી મણિપુર મામલે કોઈ કાર્યવાહી કરે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. સંસદમાં મણિપુર મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. વિપક્ષ પણ કહે છે કે તે ચર્ચા માટે તૈયાર છે, સરકાર પણ કહે છે કે તે ચર્ચા માટે તૈયાર છે. બધા તૈયાર છે તેમ છતાંય સંસદમાં આટલા દિવસો વિત્યા છતાંય હિંસા શાંત નથી થઈ. મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થશે તેનો જવાબ મળે તે માટે સૌ કોઈ તત્પર છે. એવું ન થાય કે ઈગોમાંને ઈગોમાં મણિપુર બળીને ખાખ થઈ જાય....   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.