વડોદરામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, પોલીસ પર પેટ્રોલ બોમ્બથી હુમલો, પથ્થરમારો થયો


  • Published By :
  • Published Date : 2022-10-25 11:29:21

વડોદરાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ યશપાલ જગાનિયાએ જણાવ્યું હતું કે હિંસાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

Gujarat: Petrol bombs hurled, shops set on fire as communal clashes erupt  in Vadodara on Diwali night

દિવાળીની મોડી રાત્રે ગુજરાતના વડોદરામાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો અને આગચંપી થઈ હતી. એટલું જ નહીં બદમાશોએ પોલીસની સામે પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા. આ ઘટના પાણીગેટના મુસ્લિમ મેડિકલ સેન્ટર પાસેની જણાવવામાં આવી રહી છે. બદમાશોનું જોર એટલુ વધી ગયું હતું કે બધાએ સ્ટ્રીટ લાઇટ પર પથ્થરમારો કર્યો અને હંગામો મચાવ્યો. ઘટના અંગે માહિતી આપતા ડીસીપી યશપાલ જગાનિયાએ જણાવ્યું કે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. ડીસીપીએ કહ્યું કે સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.


પેટ્રોલ બોમ્બ હુમલામાં એક અધિકારીનો જીવ બચી ગયો હતો

વડોદરાના ડીસીપીએ કહ્યું કે દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવશે. શહેરમાં હંગામો મચાવવાની કોઈને મંજૂરી આપી શકાય નહીં. તે જ સમયે, પેટ્રોલ બોમ્બ હુમલામાં એક અધિકારી ભાગી છૂટ્યો હતો. આ ઘટનાની ઘણી તસવીરો પણ સામે આવી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પોલીસ ઓફિસરની સામે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા છે.


વિધાનસભા ચૂંટણી પહેલા પોલીસ માટે મોટો પડકાર

વડોદરા જેવા શહેરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ આ પ્રકારની હિંસા પોલીસ માટે પડકાર માનવામાં આવી રહી છે. જોકે ડીસીપીએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. બદમાશોને પકડવા માટે ઘણી જગ્યાએ દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.