વિપુલ ચૌધરીની ધરપકડ: વિધાનસભા ચૂંટણીમાં આંજણા ચૌધરી સમાજ કોની પડખે રહેશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 12:08:51

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની એસીબીએ  દૂધસાગર ડેરીમાં 800 કરોડના કૌભાંડના આરોપ હેઠળ ધરપકડ કરતા ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં મહેસાણાના બાસણામાં આંજણા ચૌધરી સમાજનું મહાસંમેલનમાં યોજાયું હતું તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અર્બુદા સેના દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ચૌધરી સમાજે એકસુરમાં વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કર્યો હતો. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડથી ભાજપને કેટલો ફટકો પડી શકે છે તે અંગે રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. જો કે એ વાત તો નક્કી છે કે ચૌધરી સમાજમાં જે પ્રકારનો આક્રોષ છે તે જોતા ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન તો ચોક્કસ થશે. 


ઉત્તર ગુજરાતની 32 સીટો પર ચૌધરી સમાજનો મત મહત્વનો 


ઉત્તર ગુજરાતના રાજકારણથી સારી રીતે વાકેફ રાજકીય નિષ્ણાતો અને પત્રકારોના મતે વિપુલ ચૌધરીની ધરપકડથી પેદા થયેલા રોષને જો ચૂંટણી પહેલા ઠારવામાં નહીં આવે તો કોંગ્રેસનો ચોક્કસપણે ફાયદો થઈ શકે છે. ઉત્તર ગુજરાતની 32માંથી 25 બેઠકો પર ભાજપને ફટકો પડી શકે છે. ચૌધરી સમાજ મોટાભાગે સામાજીક આગેવાનોને અનુસરતો હોય છે. અને તેમની એક હાંકલથી સમાજના લોકો જે તે પક્ષને મતદાન કરતા હોય છે. આ વખતે આંજણા ચૌધરી સમાજના આગેવાનો ભાજપની વિરૂધ્ધ જોવા મળી રહ્યા છે. યુવાનોમાં પણ ભાજપ પ્રત્યે અસંતોષ જોવા મળે છે. ઉત્તર ગુજરાતની માણસા, ખેરાલુ, વિસનગર, થરાદ, વાવ, ધાનેરા, દિયોદર, રાધનપુર, વડગામ, બહુચરાજી, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ચાણસ્મા, ડીસા, વિજાપુર, ઉંઝા, પાલનપુર, કાંકરેજ, પાટણ, સિધ્ધપુર, ઈડર, ગાંધીનગર નોર્થ, ગાંધીનગર સાઉથ,  મોડાસા, દહેગામ, પ્રાંતિજ સહિતની વિધાનસભા સીટ પર ચૌધરી સમાજ વર્ચસ્વ ધરાવે છે. 


32 બેઠકો પર અર્બુદા સેના લડી લેવાના મૂડમાં


વિપુલ ચૌધરીની ધરપકડનો સૌથી વધુ વિરોધ અર્બુદા સેના કરી રહી છે. અર્બુદા સેના દ્વારા ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર રેલીઓ યોજવામાં આવી રહી છે અને ચૌધરી સમાજને એકઠો કરવામાં આવી રહ્યો છે. અર્બુદા સેના દ્વારા 32 બેઠકોના પરિણામ બદલી નાખવાનો પડકાર આપવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી 2022માં ચૌધરી સમાજ અનેક બેઠકો પર અસર પહોંચાડી શકે છે અને વિરોધીના વોટ શેરિંગ ઘટાડી શકે છે. જેમાં માણસા, ખેરાલુ, વિસનગર, થરાદ, વાવ, ધાનેરા, દિયોદર, રાધનપુર અને વડગામમાં 5 ટકાથી વધુ ચૌધરી મતદારો છે. આ ઉપરાંત અન્ય 16 બેઠકો પર પણ ક્યાંકને ક્યાંક ચૌધરી સમાજ પક્ષનું ગણિત બગાડી શકે છે.


ઉત્તર ગુજરાતમાં ભાજપનો વોટ શેર સતત ઘટી રહ્યો છે


ઉત્તર ગુજરાતના મતદારોનું વલણ જાણવું હોય તો પાછલી ચૂંટણીઓમાં ભાજપને મળેલા મતો પર એક નજર કરવા જેવી છે. આ વોટ શેરિંગ જોઈ તો સ્પષ્ટપણે જણાય છે ઉત્તર ગુજરાતના મતદારો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી ભાજપને 14 બેઠકો મળી હતી એટલે કે 2012ની સરખામણીએ ભાજપને એક બેઠકનું નુક્સાન થયું હતું. જ્યારે કોંગ્રેસને 17 બેઠકો મળી હતી અને વડગામમાં જીજ્ઞેશ મેવાણી અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વોટ શેરિંગ જોઈએ તો થરાદમાં 2012માં ભાજપને 42.35 ટકા મત મળ્યા હતા જે 2017માં ઘટીને 38.75 ટકા થયા હતા એટલે કે આ બેઠક પર ભાજપનું વોટ શેરિંગ 3.6 ટકા ઘટ્યું હતું. તે જ રીતે ચાણસ્મામાં 10.57 ટકા, ખેરાલુમાં 12.36 ટકા, વિસનગરમાં 5 ટકા અને મહેસાણામાં 6.11 ટકા વોટ શેરિંગનો ઘટાડો જોવા મળ્યો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.