વિપુલ ચૌધરીની ધરપકડ: વિધાનસભા ચૂંટણીમાં આંજણા ચૌધરી સમાજ કોની પડખે રહેશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 12:08:51

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની એસીબીએ  દૂધસાગર ડેરીમાં 800 કરોડના કૌભાંડના આરોપ હેઠળ ધરપકડ કરતા ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં મહેસાણાના બાસણામાં આંજણા ચૌધરી સમાજનું મહાસંમેલનમાં યોજાયું હતું તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અર્બુદા સેના દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ચૌધરી સમાજે એકસુરમાં વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કર્યો હતો. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડથી ભાજપને કેટલો ફટકો પડી શકે છે તે અંગે રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. જો કે એ વાત તો નક્કી છે કે ચૌધરી સમાજમાં જે પ્રકારનો આક્રોષ છે તે જોતા ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન તો ચોક્કસ થશે. 


ઉત્તર ગુજરાતની 32 સીટો પર ચૌધરી સમાજનો મત મહત્વનો 


ઉત્તર ગુજરાતના રાજકારણથી સારી રીતે વાકેફ રાજકીય નિષ્ણાતો અને પત્રકારોના મતે વિપુલ ચૌધરીની ધરપકડથી પેદા થયેલા રોષને જો ચૂંટણી પહેલા ઠારવામાં નહીં આવે તો કોંગ્રેસનો ચોક્કસપણે ફાયદો થઈ શકે છે. ઉત્તર ગુજરાતની 32માંથી 25 બેઠકો પર ભાજપને ફટકો પડી શકે છે. ચૌધરી સમાજ મોટાભાગે સામાજીક આગેવાનોને અનુસરતો હોય છે. અને તેમની એક હાંકલથી સમાજના લોકો જે તે પક્ષને મતદાન કરતા હોય છે. આ વખતે આંજણા ચૌધરી સમાજના આગેવાનો ભાજપની વિરૂધ્ધ જોવા મળી રહ્યા છે. યુવાનોમાં પણ ભાજપ પ્રત્યે અસંતોષ જોવા મળે છે. ઉત્તર ગુજરાતની માણસા, ખેરાલુ, વિસનગર, થરાદ, વાવ, ધાનેરા, દિયોદર, રાધનપુર, વડગામ, બહુચરાજી, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ચાણસ્મા, ડીસા, વિજાપુર, ઉંઝા, પાલનપુર, કાંકરેજ, પાટણ, સિધ્ધપુર, ઈડર, ગાંધીનગર નોર્થ, ગાંધીનગર સાઉથ,  મોડાસા, દહેગામ, પ્રાંતિજ સહિતની વિધાનસભા સીટ પર ચૌધરી સમાજ વર્ચસ્વ ધરાવે છે. 


32 બેઠકો પર અર્બુદા સેના લડી લેવાના મૂડમાં


વિપુલ ચૌધરીની ધરપકડનો સૌથી વધુ વિરોધ અર્બુદા સેના કરી રહી છે. અર્બુદા સેના દ્વારા ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર રેલીઓ યોજવામાં આવી રહી છે અને ચૌધરી સમાજને એકઠો કરવામાં આવી રહ્યો છે. અર્બુદા સેના દ્વારા 32 બેઠકોના પરિણામ બદલી નાખવાનો પડકાર આપવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી 2022માં ચૌધરી સમાજ અનેક બેઠકો પર અસર પહોંચાડી શકે છે અને વિરોધીના વોટ શેરિંગ ઘટાડી શકે છે. જેમાં માણસા, ખેરાલુ, વિસનગર, થરાદ, વાવ, ધાનેરા, દિયોદર, રાધનપુર અને વડગામમાં 5 ટકાથી વધુ ચૌધરી મતદારો છે. આ ઉપરાંત અન્ય 16 બેઠકો પર પણ ક્યાંકને ક્યાંક ચૌધરી સમાજ પક્ષનું ગણિત બગાડી શકે છે.


ઉત્તર ગુજરાતમાં ભાજપનો વોટ શેર સતત ઘટી રહ્યો છે


ઉત્તર ગુજરાતના મતદારોનું વલણ જાણવું હોય તો પાછલી ચૂંટણીઓમાં ભાજપને મળેલા મતો પર એક નજર કરવા જેવી છે. આ વોટ શેરિંગ જોઈ તો સ્પષ્ટપણે જણાય છે ઉત્તર ગુજરાતના મતદારો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી ભાજપને 14 બેઠકો મળી હતી એટલે કે 2012ની સરખામણીએ ભાજપને એક બેઠકનું નુક્સાન થયું હતું. જ્યારે કોંગ્રેસને 17 બેઠકો મળી હતી અને વડગામમાં જીજ્ઞેશ મેવાણી અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વોટ શેરિંગ જોઈએ તો થરાદમાં 2012માં ભાજપને 42.35 ટકા મત મળ્યા હતા જે 2017માં ઘટીને 38.75 ટકા થયા હતા એટલે કે આ બેઠક પર ભાજપનું વોટ શેરિંગ 3.6 ટકા ઘટ્યું હતું. તે જ રીતે ચાણસ્મામાં 10.57 ટકા, ખેરાલુમાં 12.36 ટકા, વિસનગરમાં 5 ટકા અને મહેસાણામાં 6.11 ટકા વોટ શેરિંગનો ઘટાડો જોવા મળ્યો હતો.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.