વિપુલ ચૌધરીની ધરપકડ: વિધાનસભા ચૂંટણીમાં આંજણા ચૌધરી સમાજ કોની પડખે રહેશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 12:08:51

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની એસીબીએ  દૂધસાગર ડેરીમાં 800 કરોડના કૌભાંડના આરોપ હેઠળ ધરપકડ કરતા ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં મહેસાણાના બાસણામાં આંજણા ચૌધરી સમાજનું મહાસંમેલનમાં યોજાયું હતું તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અર્બુદા સેના દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ચૌધરી સમાજે એકસુરમાં વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કર્યો હતો. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડથી ભાજપને કેટલો ફટકો પડી શકે છે તે અંગે રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. જો કે એ વાત તો નક્કી છે કે ચૌધરી સમાજમાં જે પ્રકારનો આક્રોષ છે તે જોતા ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન તો ચોક્કસ થશે. 


ઉત્તર ગુજરાતની 32 સીટો પર ચૌધરી સમાજનો મત મહત્વનો 


ઉત્તર ગુજરાતના રાજકારણથી સારી રીતે વાકેફ રાજકીય નિષ્ણાતો અને પત્રકારોના મતે વિપુલ ચૌધરીની ધરપકડથી પેદા થયેલા રોષને જો ચૂંટણી પહેલા ઠારવામાં નહીં આવે તો કોંગ્રેસનો ચોક્કસપણે ફાયદો થઈ શકે છે. ઉત્તર ગુજરાતની 32માંથી 25 બેઠકો પર ભાજપને ફટકો પડી શકે છે. ચૌધરી સમાજ મોટાભાગે સામાજીક આગેવાનોને અનુસરતો હોય છે. અને તેમની એક હાંકલથી સમાજના લોકો જે તે પક્ષને મતદાન કરતા હોય છે. આ વખતે આંજણા ચૌધરી સમાજના આગેવાનો ભાજપની વિરૂધ્ધ જોવા મળી રહ્યા છે. યુવાનોમાં પણ ભાજપ પ્રત્યે અસંતોષ જોવા મળે છે. ઉત્તર ગુજરાતની માણસા, ખેરાલુ, વિસનગર, થરાદ, વાવ, ધાનેરા, દિયોદર, રાધનપુર, વડગામ, બહુચરાજી, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ચાણસ્મા, ડીસા, વિજાપુર, ઉંઝા, પાલનપુર, કાંકરેજ, પાટણ, સિધ્ધપુર, ઈડર, ગાંધીનગર નોર્થ, ગાંધીનગર સાઉથ,  મોડાસા, દહેગામ, પ્રાંતિજ સહિતની વિધાનસભા સીટ પર ચૌધરી સમાજ વર્ચસ્વ ધરાવે છે. 


32 બેઠકો પર અર્બુદા સેના લડી લેવાના મૂડમાં


વિપુલ ચૌધરીની ધરપકડનો સૌથી વધુ વિરોધ અર્બુદા સેના કરી રહી છે. અર્બુદા સેના દ્વારા ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર રેલીઓ યોજવામાં આવી રહી છે અને ચૌધરી સમાજને એકઠો કરવામાં આવી રહ્યો છે. અર્બુદા સેના દ્વારા 32 બેઠકોના પરિણામ બદલી નાખવાનો પડકાર આપવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી 2022માં ચૌધરી સમાજ અનેક બેઠકો પર અસર પહોંચાડી શકે છે અને વિરોધીના વોટ શેરિંગ ઘટાડી શકે છે. જેમાં માણસા, ખેરાલુ, વિસનગર, થરાદ, વાવ, ધાનેરા, દિયોદર, રાધનપુર અને વડગામમાં 5 ટકાથી વધુ ચૌધરી મતદારો છે. આ ઉપરાંત અન્ય 16 બેઠકો પર પણ ક્યાંકને ક્યાંક ચૌધરી સમાજ પક્ષનું ગણિત બગાડી શકે છે.


ઉત્તર ગુજરાતમાં ભાજપનો વોટ શેર સતત ઘટી રહ્યો છે


ઉત્તર ગુજરાતના મતદારોનું વલણ જાણવું હોય તો પાછલી ચૂંટણીઓમાં ભાજપને મળેલા મતો પર એક નજર કરવા જેવી છે. આ વોટ શેરિંગ જોઈ તો સ્પષ્ટપણે જણાય છે ઉત્તર ગુજરાતના મતદારો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી ભાજપને 14 બેઠકો મળી હતી એટલે કે 2012ની સરખામણીએ ભાજપને એક બેઠકનું નુક્સાન થયું હતું. જ્યારે કોંગ્રેસને 17 બેઠકો મળી હતી અને વડગામમાં જીજ્ઞેશ મેવાણી અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વોટ શેરિંગ જોઈએ તો થરાદમાં 2012માં ભાજપને 42.35 ટકા મત મળ્યા હતા જે 2017માં ઘટીને 38.75 ટકા થયા હતા એટલે કે આ બેઠક પર ભાજપનું વોટ શેરિંગ 3.6 ટકા ઘટ્યું હતું. તે જ રીતે ચાણસ્મામાં 10.57 ટકા, ખેરાલુમાં 12.36 ટકા, વિસનગરમાં 5 ટકા અને મહેસાણામાં 6.11 ટકા વોટ શેરિંગનો ઘટાડો જોવા મળ્યો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .