વિપુલ ચૌધરી પર કાયદાનો ગાળિયો કસાયો, કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 18:24:56

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી વિરૂધ્ધ કાયદાનો ગાળિયો કસાયો છે. હજુ એક દિવસ પહેલા જ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી અડધી રાત્રે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. આજે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. જોકે પોલીસે તો 10 દિવસના રિમાંડની માંગણી કરી હતી. હવે વિપુલ ચૌધરી 23 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી પોલીસના રિમાન્ડમાં રહેશે. રિમાન્ડ દરમિયાન પોલીસ વિપુલ ચૌધરીને 800 કરોડના કૌભાંડ અંગે સઘન પૂછપરછ કરશે



કોર્ટની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા


વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરાયા તે સમયે અર્બુદા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટની બહાર એકઠા થયા હતા, જેને ધ્યાનમાં રાખીને પોલીસ વિપુલ ચૌધરીને કોર્ટના પાછળના દરવાજેથી લઈ ગઈ હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. અર્બુદા સેનાના કાર્યકરોનો જમાવડો થયો હોવાથી કોર્ટ પરિસરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિપુલ ચૌધરીને 7 દિવસના રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યા બાદ મહેસાણા, ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણમાં રાજકારણ ગરમાયું.


રિમાન્ડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા


વિપુલ ચૌધરીની ધરપકડથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં રોષની લાગણી ફરી વળી છે. ચૌધરી સમાજના અગ્રણી નેતા વિપુલ ચૌધરી સાથે કાજકીય રીતે દ્રેષભાવ રખાતા હોવાના આરોપ થઈ રહ્યા છે. મહેસાણા, હિંમતનગર વિસનગર,વડગામ,દિયોદર,દાતા,વડગામ,ધાનેરા,વાવ અને ડીસા સહિતના શહેરોમાં અર્બુદા સેનાના નેજા હેઠળ રેલી યોજાઈ હતી જેમાં ચૌધરી આંજણા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ચૌધરી સમાજના આગેવાનોએ વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.