વિપુલ ચૌધરી પર કાયદાનો ગાળિયો કસાયો, કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 18:24:56

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી વિરૂધ્ધ કાયદાનો ગાળિયો કસાયો છે. હજુ એક દિવસ પહેલા જ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી અડધી રાત્રે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. આજે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. જોકે પોલીસે તો 10 દિવસના રિમાંડની માંગણી કરી હતી. હવે વિપુલ ચૌધરી 23 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી પોલીસના રિમાન્ડમાં રહેશે. રિમાન્ડ દરમિયાન પોલીસ વિપુલ ચૌધરીને 800 કરોડના કૌભાંડ અંગે સઘન પૂછપરછ કરશે



કોર્ટની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા


વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરાયા તે સમયે અર્બુદા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટની બહાર એકઠા થયા હતા, જેને ધ્યાનમાં રાખીને પોલીસ વિપુલ ચૌધરીને કોર્ટના પાછળના દરવાજેથી લઈ ગઈ હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. અર્બુદા સેનાના કાર્યકરોનો જમાવડો થયો હોવાથી કોર્ટ પરિસરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિપુલ ચૌધરીને 7 દિવસના રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યા બાદ મહેસાણા, ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણમાં રાજકારણ ગરમાયું.


રિમાન્ડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા


વિપુલ ચૌધરીની ધરપકડથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં રોષની લાગણી ફરી વળી છે. ચૌધરી સમાજના અગ્રણી નેતા વિપુલ ચૌધરી સાથે કાજકીય રીતે દ્રેષભાવ રખાતા હોવાના આરોપ થઈ રહ્યા છે. મહેસાણા, હિંમતનગર વિસનગર,વડગામ,દિયોદર,દાતા,વડગામ,ધાનેરા,વાવ અને ડીસા સહિતના શહેરોમાં અર્બુદા સેનાના નેજા હેઠળ રેલી યોજાઈ હતી જેમાં ચૌધરી આંજણા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ચૌધરી સમાજના આગેવાનોએ વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .