વિપુલ ચૌધરી પર કાયદાનો ગાળિયો કસાયો, કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 18:24:56

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી વિરૂધ્ધ કાયદાનો ગાળિયો કસાયો છે. હજુ એક દિવસ પહેલા જ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી અડધી રાત્રે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. આજે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. જોકે પોલીસે તો 10 દિવસના રિમાંડની માંગણી કરી હતી. હવે વિપુલ ચૌધરી 23 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી પોલીસના રિમાન્ડમાં રહેશે. રિમાન્ડ દરમિયાન પોલીસ વિપુલ ચૌધરીને 800 કરોડના કૌભાંડ અંગે સઘન પૂછપરછ કરશે



કોર્ટની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા


વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરાયા તે સમયે અર્બુદા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટની બહાર એકઠા થયા હતા, જેને ધ્યાનમાં રાખીને પોલીસ વિપુલ ચૌધરીને કોર્ટના પાછળના દરવાજેથી લઈ ગઈ હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. અર્બુદા સેનાના કાર્યકરોનો જમાવડો થયો હોવાથી કોર્ટ પરિસરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિપુલ ચૌધરીને 7 દિવસના રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યા બાદ મહેસાણા, ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણમાં રાજકારણ ગરમાયું.


રિમાન્ડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા


વિપુલ ચૌધરીની ધરપકડથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં રોષની લાગણી ફરી વળી છે. ચૌધરી સમાજના અગ્રણી નેતા વિપુલ ચૌધરી સાથે કાજકીય રીતે દ્રેષભાવ રખાતા હોવાના આરોપ થઈ રહ્યા છે. મહેસાણા, હિંમતનગર વિસનગર,વડગામ,દિયોદર,દાતા,વડગામ,ધાનેરા,વાવ અને ડીસા સહિતના શહેરોમાં અર્બુદા સેનાના નેજા હેઠળ રેલી યોજાઈ હતી જેમાં ચૌધરી આંજણા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ચૌધરી સમાજના આગેવાનોએ વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.