સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને રાહત મોટી રાહત, મહેસાણા સેસન્સ કોર્ટે 7 વર્ષની સજા પર આપ્યો સ્ટે


  • Published By :
  • Published Date : 2023-07-21 17:40:45

દુઘ સાગર ડેરીના સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને મહેસાણા સેસન્સ કોર્ટે મોટી રાહત આપી છે. રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને 7 વર્ષની સજા પર સેસન્સ કોર્ટે સ્ટે આપ્યો છે. વિપુલ ચૌધરી ઉપરાંત 15 આરોપીની સજા પર પણ સ્ટે આપ્યો છે. મહેસાણા સેસન્સ કોર્ટે 50 હજારના બોન્ડ પર જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે. સાગરદાણ કૌભાંડમાં કુલ 22 આરોપીઓ છે જે પૈકી 3ના મૃત્યુ થયા છે. 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું. 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કેસના 19 આરોપી દોષિત સાબિત થયા હતા અને વિપુલ ચૌધરીને કોર્ટે 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.


સાગર દાણ કૌંભાડ શું છે?


દૂધસાગર ડેરીમાંથી મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. આ સાગરદાણ અંગે કોઈ પણ જાતની મંજૂરી લીધા વીના જ મહારાષ્ટ્રની વર્ષ 2013માં મહાનંદા ડેરીને મોકલવામાં આવ્યું હતું. જેના કારણે દૂધસાગર ડેરીને રૂપિયા 22 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. વિપલ ચૌધરી પર આરોપ છે કે, તેમને NDDBના ચેરમેન બનવાની ઈચ્છા હતી. જેથી તત્કાલિન કૃષિમંત્રીને સારુ લગાડવા માટે સાગરદાણ મોકલ્યા હતા. તે સમયે તત્કાલિન કૃષિમંત્રી પદે શરદ પવાર હતા. સાગરદાણ GMMFCની મંજુરી વિના જ મહારાષ્ટ્ર મોકવામાં આવ્યું હતું અને સાગરદાણ મોકલવાનું કારણ મહારાષ્ટ્રમાં દુકાળ હોવનું આગળ ધર્યું હતું.


વિપુલ ચૌધરી આ કલમો હેઠળ ગુનો


વિપુલ ચૌધરીને ઈન્ડિયન પીનલ કોડની કલમ 406 (ગુનાહિત વિશ્વાસઘાત), 420 (ઠગાઈ), 465 (ખોટો દસ્તાવેજ બનાવવા), 468 (ઠગાઈ કરવાના હેતુથી ખોટો દસ્તાવેજ બનાવવા), 471 (બનાવટી દસ્તાવેજ હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરવો), 120B (કાવતરું) અને 114 (મદદગારી) અંતર્ગત આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.