વિપુલ ચૌધરી માટે અર્બુદા સેના લડી લેવાના મૂડમાં, ચૌધરી સમાજે શરૂ કર્યું જેલભરો આંદોલન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 13:08:42

દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની અટકાયતને લઈ ચૌધરી સમાજમાં ભારે રોષ છે. ચૌધરી સમાજ હવે એક થઈને વિપુલ ચૌધરીના સમર્થનમાં આવ્યો છે અને સરકાર સામે રીતસર લડી લેવાના મૂડમાં છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ આજથી જેલભરો આંદોલન શરૂ કર્યું છે. પાટણ અને બનાસકાંઠાના વિવિધ ભાગોમાં અર્બુદા સેનાના કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.


અર્બુદા સેનાના કાર્યકરોની પોલીસે કરી અટકાયત


પોલીસે વડગામ અને પાલનપુરમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં આવેલા 25 આગેવાનોની અટકાયત કરી છે. અર્બુદા સેનાના ધરણાં અને વિરોધને લઈને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અલર્ટ મોડ પર છે. પાટણના સૂજનીપુર જેલમાં અત્યારસુધી 100 લોકોની અટકાયત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અર્બુદા સેના દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઉપરાંત ધરણા, સામુહિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. 



ચૌધરી સમાજના આંદોલનથી ભાજપને ચૂંટણીમાં નુકસાન થઈ શકે


વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના દ્વારા એક પત્ર વાઈરલ થયો હતો. જેમાં સમાજના લોકોને વિપુલ ચૌધરીને આગામી દિવસોમાં જેલમાંથી મુક્ત કરાવવા માટે અર્બુદા સેના દ્વારા આંદોલન વિશે માહિતી આપી હતી. ચૌધરી સમાજના વિરોધ પ્રદર્શનને જોતા સરકાર સામે પણ મોટો પડકાર ઉભો થયો છે. ર્બુદા સેનાના પ્રદેશ પ્રવક્તા હરજીત ચૌધરીએ કહ્યું હતું કે સરકાર જો આ તમામ વિરોધ પછી પણ અમારી વાત નહીં માને તો ચૂંટણીમાં ચૌધરી સમાજની તાકાત અમે બતાવીશું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે