વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ, લડી શકે છે વિસનગરથી ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-11 11:54:35

ભાજપમાંથી અલવિદા કહી અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપના નેતા રહી ચૂકેલા વિપુલ ચૌધરી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અને તેઓ આમ આદમી પાર્ટીથી દાવેદારી નોંધાવશે  તેવી જાહેરાત મહેસાણા જિલ્લાના અર્બુદા સેનાના મહામંત્રી રાજુ ચૌધરી દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી વિસનગર અનુસાર તેઓ વિસનગરથી ઉમેદવારી નોંધાવી શકે છે. 

વિપુલ ચૌધરી સામેની ફરિયાદમાં માત્ર 4 કંપનીનો જ ઉલ્લેખ, 31નો કેમ નહીં? |  નવગુજરાત સમય

વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે - રાજુ ચૌધરી 

આમ આદમી પાર્ટી પોતાા પ્રચારમાં વ્યસ્ત થઈ છે. પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અનેક નેતાઓ ભાજપ અને કોંગ્રેસને અલવિદા કહી આપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે વિપુલ ચૌધરી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. અને વિસનગરથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે તેવી માહિતી મળી રહી છે. મહેસાણા જિલ્લા અર્બુદા સેનાના મહામંત્રીએ જાહેરાત કરતા તેમણે કહ્યું કે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે અને 15 તારીખે તેઓ ચૂંટણી લડવાની જાહેરાત કરવાના છે.

Nikhil Patel on Twitter:

વિસનગરમાં થશે વિપુલ અને ઋષિકેશ વચ્ચે ટક્કર

મહત્વનું છે અર્બુદા સેનાએ પહેલા જ વિપુલ ચૌધરીનું સમર્થન કરી દીધું છે. પરંતુ તે સાચે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે કે નહીં તેની સત્તાવાર જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી નથી. ગોપાલ ઈટાલિયાએ માત્ર એટલું કહ્યું હતું કે તે આપમાં જોડાઈ શકે છે. જો વિપુલ ચૌધરી વિસનગરથી ઉમેદવારી નોંધાવશે તો તેમની સીધી ટક્કર વિસનગરના ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સાથે થશે. ત્યારે સાચે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે કે કેમ અને મહેસાણાથી ચૂંટણી લડશે કે કેમ તે સમય બતાવશે.            




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.