વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ, લડી શકે છે વિસનગરથી ચૂંટણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-11 11:54:35

ભાજપમાંથી અલવિદા કહી અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપના નેતા રહી ચૂકેલા વિપુલ ચૌધરી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અને તેઓ આમ આદમી પાર્ટીથી દાવેદારી નોંધાવશે  તેવી જાહેરાત મહેસાણા જિલ્લાના અર્બુદા સેનાના મહામંત્રી રાજુ ચૌધરી દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી વિસનગર અનુસાર તેઓ વિસનગરથી ઉમેદવારી નોંધાવી શકે છે. 

વિપુલ ચૌધરી સામેની ફરિયાદમાં માત્ર 4 કંપનીનો જ ઉલ્લેખ, 31નો કેમ નહીં? |  નવગુજરાત સમય

વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે - રાજુ ચૌધરી 

આમ આદમી પાર્ટી પોતાા પ્રચારમાં વ્યસ્ત થઈ છે. પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અનેક નેતાઓ ભાજપ અને કોંગ્રેસને અલવિદા કહી આપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે વિપુલ ચૌધરી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. અને વિસનગરથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે તેવી માહિતી મળી રહી છે. મહેસાણા જિલ્લા અર્બુદા સેનાના મહામંત્રીએ જાહેરાત કરતા તેમણે કહ્યું કે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે અને 15 તારીખે તેઓ ચૂંટણી લડવાની જાહેરાત કરવાના છે.

Nikhil Patel on Twitter:

વિસનગરમાં થશે વિપુલ અને ઋષિકેશ વચ્ચે ટક્કર

મહત્વનું છે અર્બુદા સેનાએ પહેલા જ વિપુલ ચૌધરીનું સમર્થન કરી દીધું છે. પરંતુ તે સાચે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે કે નહીં તેની સત્તાવાર જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી નથી. ગોપાલ ઈટાલિયાએ માત્ર એટલું કહ્યું હતું કે તે આપમાં જોડાઈ શકે છે. જો વિપુલ ચૌધરી વિસનગરથી ઉમેદવારી નોંધાવશે તો તેમની સીધી ટક્કર વિસનગરના ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સાથે થશે. ત્યારે સાચે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે કે કેમ અને મહેસાણાથી ચૂંટણી લડશે કે કેમ તે સમય બતાવશે.            




સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'