વિરાટ કોહલી-અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બન્યા, અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો


  • Published By :
  • Published Date : 2024-02-20 21:51:15

ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ ફેન્સને જબરદસ્ત ખુશખબર આપી છે. આ કપલ તેમના બીજા બાળકના માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો છે. બંનેએ એક નિવેદન જારી કરીને આ ખુશખબરની જાહેરાત કરી હતી. આ સમાચાર મળ્યા બાદ બંનેને સેલેબ્સ અને ફેન્સ તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે.


વિરાટ-અનુષ્કા બીજી વખત પેરેન્ટ્સ બન્યા


વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અભિનેત્રી તેના બીજા બાળક સાથે ગર્ભવતી છે. જોકે બંનેએ આ વાતની પુષ્ટિ કરી નથી. થોડા સમય પહેલા સાઉથ આફ્રિકાના ક્રિકેટર એબી ડી વિલિયર્સે એક ઈન્ટરવ્યુ દરમિયાન બંનેના આ રહસ્યનો ખુલાસો કર્યો હતો. ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગર્ભાવસ્થાની અફવાઓમાં ખરેખર સત્ય છે.


બીજા બાળકના આગમનની જાહેરાત કરી

આજે બંનેએ પોતે જ તેમના બીજા બાળકના આગમનની જાહેરાત કરી છે. દંપતીએ તેમનું જોઈન્ટ નિવેદનમાં લખ્યું, 'અત્યંત આનંદ અને પ્રેમ સાથે, અમે તમને ખુશખબર આપી રહ્યા છીએ કે 15 ફેબ્રુઆરીના રોજ અમારા ઘરે એક દીકરા અને પુત્રી વામિકાના નાના ભાઈ અકાયનો જન્મ થયો છે. અમે આ સમયે તમારા આશીર્વાદ અને શુભકામનાઓ ઈચ્છીએ છીએ. અમે તમને અમને પ્રાયવસી આપવા માટે પણ વિનંતી કરીએ છીએ. પ્રેમ, વિરાટ અને અનુષ્કા.'



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.