વિરાટ કોહલી-અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બન્યા, અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો


  • Published By :
  • Published Date : 2024-02-20 21:51:15

ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ ફેન્સને જબરદસ્ત ખુશખબર આપી છે. આ કપલ તેમના બીજા બાળકના માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો છે. બંનેએ એક નિવેદન જારી કરીને આ ખુશખબરની જાહેરાત કરી હતી. આ સમાચાર મળ્યા બાદ બંનેને સેલેબ્સ અને ફેન્સ તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે.


વિરાટ-અનુષ્કા બીજી વખત પેરેન્ટ્સ બન્યા


વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અભિનેત્રી તેના બીજા બાળક સાથે ગર્ભવતી છે. જોકે બંનેએ આ વાતની પુષ્ટિ કરી નથી. થોડા સમય પહેલા સાઉથ આફ્રિકાના ક્રિકેટર એબી ડી વિલિયર્સે એક ઈન્ટરવ્યુ દરમિયાન બંનેના આ રહસ્યનો ખુલાસો કર્યો હતો. ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગર્ભાવસ્થાની અફવાઓમાં ખરેખર સત્ય છે.


બીજા બાળકના આગમનની જાહેરાત કરી

આજે બંનેએ પોતે જ તેમના બીજા બાળકના આગમનની જાહેરાત કરી છે. દંપતીએ તેમનું જોઈન્ટ નિવેદનમાં લખ્યું, 'અત્યંત આનંદ અને પ્રેમ સાથે, અમે તમને ખુશખબર આપી રહ્યા છીએ કે 15 ફેબ્રુઆરીના રોજ અમારા ઘરે એક દીકરા અને પુત્રી વામિકાના નાના ભાઈ અકાયનો જન્મ થયો છે. અમે આ સમયે તમારા આશીર્વાદ અને શુભકામનાઓ ઈચ્છીએ છીએ. અમે તમને અમને પ્રાયવસી આપવા માટે પણ વિનંતી કરીએ છીએ. પ્રેમ, વિરાટ અને અનુષ્કા.'



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?