મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકા વિકાસ અધિકારી મહિલા કર્મચારી પર વિફર્યા, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-11-03 18:14:13

રાજ્યના સરકારી અમલદારોની તોછડાઈથી સો કોઈ વાકેફ છે. રાજ્ય સરકારના ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા અમલદારો તેમના હાથ નીચેના કર્મચારીઓ પર સતત રોફ ઝાડતા રહે છે. મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના TDO અશ્વિન પંડ્યાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે હંગામી મહિલા કર્મચારી સાથે બીભત્સ વર્તન કરતા જોવા મળી રહ્યા છે. આ મહિલા કર્મચારીએ રજા માટે વિનંતી કરી તો તેમની રજા અરજી ફગાવી દઈને તાલુકા વિકાસ અધિકારીએ તેમની સાથે ગાળાગાળી કરી હતી. ઉલ્લેખનિય છે કે હાલ આ TDOની બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી થઈ ગઈ છે અને આ વીડિયો પણ 20 દિવસ જુનો હોવાનું કહેવાય છે.


મહિલા કર્મચારીએ રજા માગતા TDO વિફર્યા


મનરેગામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી માંદગીની રજા બાદ હાજર થયા ત્યારે TDO અશ્વિન પંડ્યાએ તેમનો ઉધડો લીધો હતો. તેમણે મહિલા કર્મચારીનો રજા રિપોર્ટ ફગાવી દઈને બેફામ ગાળાગાળી કરી હતી. ઉચ્ચ અધિકારીએ એક મહિલા સાથે ગલીના મવાલીને પણ શરમાવે તેવી ભાષા વાપરી હતી. આ મહિલા લાચાર બનને તેમની ગાળો સાંભળતા જોવા મળે છે, હાલ તો આ TDO અશ્વિન પંડ્યા સાહેબની બદલી થઈ ગઈ છે, પણ તેમનો આ ગાળાગાળીનો વીડિયો મહીસાગર જિલ્લામાં ખૂબ વાયરલ થયો છે. લોકો તે સાંભળીને TDO સાહેબ પર ફિટકાર વરસાવી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર મહિલાઓના માન સન્માન માટે અનેક કાર્યક્રમો કરી રહી છે ત્યારે આવા અધિકારીઓ મહીલાઓ સાથે અસભ્ય વર્તન કરી રહ્યા છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.