મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકા વિકાસ અધિકારી મહિલા કર્મચારી પર વિફર્યા, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-11-03 18:14:13

રાજ્યના સરકારી અમલદારોની તોછડાઈથી સો કોઈ વાકેફ છે. રાજ્ય સરકારના ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા અમલદારો તેમના હાથ નીચેના કર્મચારીઓ પર સતત રોફ ઝાડતા રહે છે. મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના TDO અશ્વિન પંડ્યાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે હંગામી મહિલા કર્મચારી સાથે બીભત્સ વર્તન કરતા જોવા મળી રહ્યા છે. આ મહિલા કર્મચારીએ રજા માટે વિનંતી કરી તો તેમની રજા અરજી ફગાવી દઈને તાલુકા વિકાસ અધિકારીએ તેમની સાથે ગાળાગાળી કરી હતી. ઉલ્લેખનિય છે કે હાલ આ TDOની બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી થઈ ગઈ છે અને આ વીડિયો પણ 20 દિવસ જુનો હોવાનું કહેવાય છે.


મહિલા કર્મચારીએ રજા માગતા TDO વિફર્યા


મનરેગામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી માંદગીની રજા બાદ હાજર થયા ત્યારે TDO અશ્વિન પંડ્યાએ તેમનો ઉધડો લીધો હતો. તેમણે મહિલા કર્મચારીનો રજા રિપોર્ટ ફગાવી દઈને બેફામ ગાળાગાળી કરી હતી. ઉચ્ચ અધિકારીએ એક મહિલા સાથે ગલીના મવાલીને પણ શરમાવે તેવી ભાષા વાપરી હતી. આ મહિલા લાચાર બનને તેમની ગાળો સાંભળતા જોવા મળે છે, હાલ તો આ TDO અશ્વિન પંડ્યા સાહેબની બદલી થઈ ગઈ છે, પણ તેમનો આ ગાળાગાળીનો વીડિયો મહીસાગર જિલ્લામાં ખૂબ વાયરલ થયો છે. લોકો તે સાંભળીને TDO સાહેબ પર ફિટકાર વરસાવી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર મહિલાઓના માન સન્માન માટે અનેક કાર્યક્રમો કરી રહી છે ત્યારે આવા અધિકારીઓ મહીલાઓ સાથે અસભ્ય વર્તન કરી રહ્યા છે. 




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.