મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકા વિકાસ અધિકારી મહિલા કર્મચારી પર વિફર્યા, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-11-03 18:14:13

રાજ્યના સરકારી અમલદારોની તોછડાઈથી સો કોઈ વાકેફ છે. રાજ્ય સરકારના ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા અમલદારો તેમના હાથ નીચેના કર્મચારીઓ પર સતત રોફ ઝાડતા રહે છે. મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના TDO અશ્વિન પંડ્યાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે હંગામી મહિલા કર્મચારી સાથે બીભત્સ વર્તન કરતા જોવા મળી રહ્યા છે. આ મહિલા કર્મચારીએ રજા માટે વિનંતી કરી તો તેમની રજા અરજી ફગાવી દઈને તાલુકા વિકાસ અધિકારીએ તેમની સાથે ગાળાગાળી કરી હતી. ઉલ્લેખનિય છે કે હાલ આ TDOની બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી થઈ ગઈ છે અને આ વીડિયો પણ 20 દિવસ જુનો હોવાનું કહેવાય છે.


મહિલા કર્મચારીએ રજા માગતા TDO વિફર્યા


મનરેગામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી માંદગીની રજા બાદ હાજર થયા ત્યારે TDO અશ્વિન પંડ્યાએ તેમનો ઉધડો લીધો હતો. તેમણે મહિલા કર્મચારીનો રજા રિપોર્ટ ફગાવી દઈને બેફામ ગાળાગાળી કરી હતી. ઉચ્ચ અધિકારીએ એક મહિલા સાથે ગલીના મવાલીને પણ શરમાવે તેવી ભાષા વાપરી હતી. આ મહિલા લાચાર બનને તેમની ગાળો સાંભળતા જોવા મળે છે, હાલ તો આ TDO અશ્વિન પંડ્યા સાહેબની બદલી થઈ ગઈ છે, પણ તેમનો આ ગાળાગાળીનો વીડિયો મહીસાગર જિલ્લામાં ખૂબ વાયરલ થયો છે. લોકો તે સાંભળીને TDO સાહેબ પર ફિટકાર વરસાવી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર મહિલાઓના માન સન્માન માટે અનેક કાર્યક્રમો કરી રહી છે ત્યારે આવા અધિકારીઓ મહીલાઓ સાથે અસભ્ય વર્તન કરી રહ્યા છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી