વિશ્વનાથસિંહ વાઘેલાના 'કેસરિયા' થશે, વિશ્વનાથસિંહનો 'રાષ્ટ્ર પ્રેમ' જાગ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 12:17:38

ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ ગાંધીનગરના પ્રદેશ ભાજપના કમલમ ખાતે સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે. વિશ્વનાથસિંહ વાઘેલા સહિત તેમના અનેક વિશ્વાસુ કોંગ્રેસના કાર્યકરો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. કોંગ્રેસના નેતા વિનયસિંહ તોમરે પણ વિશ્વનાથસિંહ બાદ રાજીનામું ધરી દીધું હતું. આજે વિનયસિંહ તોમર પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. 


ભાજપમાં આવવાનું પહેલેથી જ હતું નક્કી  

ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ 4 સપ્ટેમ્બરના રાહુલ ગાંધીને પત્ર લખી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. પત્રકાર પરિષદ યોજી વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પ્રત્યેનો રોષ વ્યક્ત કર્યો હતો. 4 સપ્ટેમ્બરે સાંજે વિશ્વનાથસિંહ વાઘેલાની સીઆર પાટીલ, હર્ષ સંઘવી અને પ્રદીપસિંહ વાઘેલા સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ ગુજરાત પ્રવાસે હોવાના કારણે વિશ્વનાથસિંહે તેમની સાથે પણ મુલાકાત કરી હતી. 



કોણ છે વિશ્વનાથસિંહ વાઘેલા? 

વિશ્વનાથસિંહ વાઘેલા 2004થી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં જોડાયા હતા. વર્ષ 2010માં NSUI અમદાવાદ પ્રમુખ પદની ચૂંટણીમાં જીત મેળવી હતી અને ત્યારથી તેમણે કોંગ્રેસમાં યોગદાનને કારણે નેશનલ ડેલિગેટની ચૂંટણી, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી અને કોંગ્રેસ યુવક પ્રદેશ પ્રમુખની ચૂંટણી જીતી હતી. 2016 અને 2021ની યુવક કોંગ્રેસની બંને ચૂંટણીમાં મિત્રો સાથે મળીને 1 કરોડ 70 લાખ રૂપિયા કોંગ્રેસને આપ્યા હતા તેવો તેમણે પત્રમાં દાવો કર્યો છે. 


કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના કારણો

વિશ્વનાથસિંહ વાઘેલાએ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, કોંગ્રેસની ઓફિસમાં હવે સ્વતંત્રતા સેનાનીની જગ્યાએ ચોક્કસ નેતાઓના જ ફોટા લગાવાય છે અને ગુણગાન ગવાઈ રહ્યા છે. કોંગ્રેસ એક પરિવારની ભક્તિ માટે જ કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ કહ્યું હતું કે તેની પાસેથી પૈસા લઈને વેચાતા પદો અપાયા છે. કોંગ્રેસ પક્ષમાં સિનિયર નેતાઓના આંતરિક જૂથવાદના કારણે કાર્યકર અને પક્ષને નુકસાન થયાની સ્પષ્ટતા કરી હતી. કોંગ્રેસના જ સિનિયર નેતાઓ વિશ્વનાથસિંહને ઉતારી પાડવાની કસમ ખાધી હોય તેવી રીતે તેની પાછળ પડી ગયા હોય તેવો આક્ષેપ કર્યો હતો.  


કોંગ્રેસના નેતાના 'કેસરિયા', હવે ઉંહ પણ નહીં કરી શકે વિશ્વનાથસિંહ વાઘેલા 

ચૂંટણી પહેલા ઘણા બદલાવો થવા જઈ રહ્યા છે ત્યારે વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ નેતાઓ પર દબાણ વઘી જતું હોય છે. એવું કહેવાતું હોય છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જાય પછી અચાનક તે શિસ્ત શીખી જતા હોય છે. કોંગ્રેસના કેટલાય નેતા ભાજપમાં જોડાયા બાદ ભાજપના કેટલાય નેતા જે કોંગ્રેસના નેતાઓને ગાળો ભાંડતા હતા તે હવે વિશ્વનાથસિંહ જેવા નેતાનું ભાજપમાં સ્વાગત કરશે.    




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.