દિલ્હી એરપોર્ટ પર વિસ્તારા ફ્લાઇટના 2 પાઇલોટની સુઝબુઝથી મોટી દુર્ઘટના ટળી, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-23 18:00:09

દિલ્હી એરપોર્ટ પર બુધવારે સવારે બે વિસ્તારા ફ્લાઇટના પાઇલોટ્સ દ્વારા સમયસર પગલાં લેવામાં આવેલા પગલાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. એક ફ્લાઈટ બાગડોગરા માટે અને બીજી અમદાવાદથી આવેલી ફ્લાઈટ લેન્ડિગ કરવાની હતી જો કે આ સંભવિત ટક્કરને બે પાઈલોટની સુઝબુઝે અટકાવી હતી. બંને પાઈલોટ વિમાનમાં મુસાફરી કરી રહેલા સેંકડો લોકોના જીવ બચાવ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર વિસ્તારા એરલાઇન્સના એક એરક્રાફ્ટને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી જ્યારે અન્ય એરક્રાફ્ટ લેન્ડિંગની પ્રક્રિયામાં હતું. ATC(એર ટ્રાફિક કંટ્રોલ)ની સૂચના બાદ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. 


કઈ રીતે મોટો અકસ્માત ટળ્યો

 

દિલ્હીથી બાગડોગરા જતી ફ્લાઈટ UK725 તાજેતરમાં જ ઉદ્ઘાટન કરાયેલા નવા રનવે પરથી ઉડાન ભરી રહી હતી. તે જ સમયે અમદાવાદથી દિલ્હીની વિસ્તારા ફ્લાઈટ બાજુના રનવે પર ઉતર્યા બાદ તે જ રનવેના છેડા તરફ આગળ વધી રહી હતી. "બંને ફ્લાઈટ્સ એક જ સમયે ક્લિયર થઈ ગઈ હતી પરંતુ ATCએ તરત જ નિયંત્રણ મેળવી લીધું હતું. ફરજ પરના ATC અધિકારીએ વિસ્તારાને ફ્લાઈટ રદ કરવા કહ્યું," એક જાણકાર અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે  ફ્લાઇટ કેન્સલ થયા બાદ દિલ્હી-બાગડોગરા ફ્લાઇટ તરત જ પાર્કિંગ એરિયામાં પાછી ફરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટમાં ફરીથી ઇંધણ ભરવામાં આવ્યું હતું, જેથી પાયલટને બાગડોગરા ખાતે ખરાબ હવામાનનો સામનો કરવો પડે તો એરક્રાફ્ટમાં દિલ્હી પરત ફરવા માટે પૂરતું ઇંધણ રહે. તેમજ બ્રેકીંગ સિસ્ટમ પણ ચેક કરવામાં આવી હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .