દિલ્હી એરપોર્ટ પર વિસ્તારા ફ્લાઇટના 2 પાઇલોટની સુઝબુઝથી મોટી દુર્ઘટના ટળી, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-23 18:00:09

દિલ્હી એરપોર્ટ પર બુધવારે સવારે બે વિસ્તારા ફ્લાઇટના પાઇલોટ્સ દ્વારા સમયસર પગલાં લેવામાં આવેલા પગલાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. એક ફ્લાઈટ બાગડોગરા માટે અને બીજી અમદાવાદથી આવેલી ફ્લાઈટ લેન્ડિગ કરવાની હતી જો કે આ સંભવિત ટક્કરને બે પાઈલોટની સુઝબુઝે અટકાવી હતી. બંને પાઈલોટ વિમાનમાં મુસાફરી કરી રહેલા સેંકડો લોકોના જીવ બચાવ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર વિસ્તારા એરલાઇન્સના એક એરક્રાફ્ટને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી જ્યારે અન્ય એરક્રાફ્ટ લેન્ડિંગની પ્રક્રિયામાં હતું. ATC(એર ટ્રાફિક કંટ્રોલ)ની સૂચના બાદ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. 


કઈ રીતે મોટો અકસ્માત ટળ્યો

 

દિલ્હીથી બાગડોગરા જતી ફ્લાઈટ UK725 તાજેતરમાં જ ઉદ્ઘાટન કરાયેલા નવા રનવે પરથી ઉડાન ભરી રહી હતી. તે જ સમયે અમદાવાદથી દિલ્હીની વિસ્તારા ફ્લાઈટ બાજુના રનવે પર ઉતર્યા બાદ તે જ રનવેના છેડા તરફ આગળ વધી રહી હતી. "બંને ફ્લાઈટ્સ એક જ સમયે ક્લિયર થઈ ગઈ હતી પરંતુ ATCએ તરત જ નિયંત્રણ મેળવી લીધું હતું. ફરજ પરના ATC અધિકારીએ વિસ્તારાને ફ્લાઈટ રદ કરવા કહ્યું," એક જાણકાર અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે  ફ્લાઇટ કેન્સલ થયા બાદ દિલ્હી-બાગડોગરા ફ્લાઇટ તરત જ પાર્કિંગ એરિયામાં પાછી ફરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટમાં ફરીથી ઇંધણ ભરવામાં આવ્યું હતું, જેથી પાયલટને બાગડોગરા ખાતે ખરાબ હવામાનનો સામનો કરવો પડે તો એરક્રાફ્ટમાં દિલ્હી પરત ફરવા માટે પૂરતું ઇંધણ રહે. તેમજ બ્રેકીંગ સિસ્ટમ પણ ચેક કરવામાં આવી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.