Vadodara: વીટોજના ગ્રામજનોએ પ્રાથમિક શાળાની કરી તાળાબંધી, કારણ જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-08-25 21:05:27

રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તેનું એક કારણ શાળાઓમાં શિક્ષકોની ઘટ પણ છે. આ જ કારણે શિક્ષણ વ્યવસ્થાને લઈ જનાક્રોશ વધી રહ્યો છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વીટોજના ગ્રામજનો દ્વારા ગામની પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી હતી. સાવલી તાલુકાના વીટોજ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 170 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આજ રોજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા શાળાના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે પ્રાથમિક શાળાના આચાર્યને બદલવાની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો. શાળાને તાળાબંધી કરવામાં  આવતા જિલ્લાના પ્રાથમિક સંઘ પ્રમુખ રણજીત સિંહ પરમાર સહિત તાલુકા શિક્ષણ અધિકારી હેમંત માછી દોડતા થઈ ગયા છે.  


શાળામાં અપુરતી સુવિધાના કારણે આક્રોશ


સાવલી તાલુકાના વીટોજના ગ્રામજનોએ આ મામલે જણાવ્યું હતું કે, તેમના ગામની શાળામા સારું શિક્ષણ મળતું નથી. 8 ક્લાસ માટે માત્ર 4 જ શિક્ષકો છે. શાળામાં બાળકોને પીવાનું શુદ્ધ પાણી, ખોરાક અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા મળતી નથી. આ સાથે શાળામાં સ્વચ્છતાનો અભાવ છે.આ બાબતે અમે વારંવાર રજૂઆત કરી હતી. આમ છતાં અમારી રજૂઆત ધ્યાને ના લેવામાં આવતા આજે અમે શાળાને તાળાબંધી કરી છે. જ્યાં સુધી સારું શિક્ષણ તેમજ સારા શિક્ષકો નહી મળે ત્યાં સુધી શાળાને તાળાબંધી જ રહેશે. ગ્રામજનોએ આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજુઆત કરી હતી જો કે કોઈ પરિણામ ન આવતા અંતે તેમણે તાળાબંધીનું હથિયાર ઉગામ્યું હતું.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે