Vadodara: વીટોજના ગ્રામજનોએ પ્રાથમિક શાળાની કરી તાળાબંધી, કારણ જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-08-25 21:05:27

રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તેનું એક કારણ શાળાઓમાં શિક્ષકોની ઘટ પણ છે. આ જ કારણે શિક્ષણ વ્યવસ્થાને લઈ જનાક્રોશ વધી રહ્યો છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વીટોજના ગ્રામજનો દ્વારા ગામની પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી હતી. સાવલી તાલુકાના વીટોજ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 170 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આજ રોજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા શાળાના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે પ્રાથમિક શાળાના આચાર્યને બદલવાની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો. શાળાને તાળાબંધી કરવામાં  આવતા જિલ્લાના પ્રાથમિક સંઘ પ્રમુખ રણજીત સિંહ પરમાર સહિત તાલુકા શિક્ષણ અધિકારી હેમંત માછી દોડતા થઈ ગયા છે.  


શાળામાં અપુરતી સુવિધાના કારણે આક્રોશ


સાવલી તાલુકાના વીટોજના ગ્રામજનોએ આ મામલે જણાવ્યું હતું કે, તેમના ગામની શાળામા સારું શિક્ષણ મળતું નથી. 8 ક્લાસ માટે માત્ર 4 જ શિક્ષકો છે. શાળામાં બાળકોને પીવાનું શુદ્ધ પાણી, ખોરાક અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા મળતી નથી. આ સાથે શાળામાં સ્વચ્છતાનો અભાવ છે.આ બાબતે અમે વારંવાર રજૂઆત કરી હતી. આમ છતાં અમારી રજૂઆત ધ્યાને ના લેવામાં આવતા આજે અમે શાળાને તાળાબંધી કરી છે. જ્યાં સુધી સારું શિક્ષણ તેમજ સારા શિક્ષકો નહી મળે ત્યાં સુધી શાળાને તાળાબંધી જ રહેશે. ગ્રામજનોએ આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજુઆત કરી હતી જો કે કોઈ પરિણામ ન આવતા અંતે તેમણે તાળાબંધીનું હથિયાર ઉગામ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.