Vadodara: વીટોજના ગ્રામજનોએ પ્રાથમિક શાળાની કરી તાળાબંધી, કારણ જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-08-25 21:05:27

રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તેનું એક કારણ શાળાઓમાં શિક્ષકોની ઘટ પણ છે. આ જ કારણે શિક્ષણ વ્યવસ્થાને લઈ જનાક્રોશ વધી રહ્યો છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વીટોજના ગ્રામજનો દ્વારા ગામની પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી હતી. સાવલી તાલુકાના વીટોજ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 170 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આજ રોજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા શાળાના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે પ્રાથમિક શાળાના આચાર્યને બદલવાની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો. શાળાને તાળાબંધી કરવામાં  આવતા જિલ્લાના પ્રાથમિક સંઘ પ્રમુખ રણજીત સિંહ પરમાર સહિત તાલુકા શિક્ષણ અધિકારી હેમંત માછી દોડતા થઈ ગયા છે.  


શાળામાં અપુરતી સુવિધાના કારણે આક્રોશ


સાવલી તાલુકાના વીટોજના ગ્રામજનોએ આ મામલે જણાવ્યું હતું કે, તેમના ગામની શાળામા સારું શિક્ષણ મળતું નથી. 8 ક્લાસ માટે માત્ર 4 જ શિક્ષકો છે. શાળામાં બાળકોને પીવાનું શુદ્ધ પાણી, ખોરાક અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા મળતી નથી. આ સાથે શાળામાં સ્વચ્છતાનો અભાવ છે.આ બાબતે અમે વારંવાર રજૂઆત કરી હતી. આમ છતાં અમારી રજૂઆત ધ્યાને ના લેવામાં આવતા આજે અમે શાળાને તાળાબંધી કરી છે. જ્યાં સુધી સારું શિક્ષણ તેમજ સારા શિક્ષકો નહી મળે ત્યાં સુધી શાળાને તાળાબંધી જ રહેશે. ગ્રામજનોએ આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજુઆત કરી હતી જો કે કોઈ પરિણામ ન આવતા અંતે તેમણે તાળાબંધીનું હથિયાર ઉગામ્યું હતું.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી