વિવેક રામાસ્વામી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીની રેસમાંથી બહાર, આયોવા કોકસમાં ટ્રમ્પે હરાવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-18 17:27:43

અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. રિપબ્લિકન પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ પોતાની ઉમેદવારી છોડી દીધી છે. 38 વર્ષીય ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીએ આ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ સામે આયોવા કોકસ હાર્યા બાદ લીધો છે. બાયોટેક ઉદ્યોગસાહસિકે જણાવ્યું હતું કે તેઓ આયોવા લીડઓફ કોકસમાં નિરાશાજનક હાર બાદ રિપબ્લિકન નોમિનેશન માટેના તેમના અભિયાનને સમાપ્ત કરી રહ્યા છે. રામાસ્વામીએ કહ્યું, "હું આજે રાત્રે સત્યને વળગી રહીશ. સત્ય મારા માટે ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ મારે સ્વીકારવું પડશે.  મે તેના વિશે દરેક રીતે વિચાર્યું અને મને લાગે છે કે સત્ય એ છે કે અમે તે આશ્ચર્યજનક કામ કરી શક્યા નથી, જે અમે આજે રાત્રે આપવા માગતા હતા."


બની શકે છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ


આયોવા કોકસમાં વિવેક રામાસ્વામીનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક હતું, જે પછી તેમણે ઉમેદવારી પાછી ખેંચી લેવાનું શ્રેષ્ઠ માન્યું. જો કે, લોકોએ તેમના માટે VP-VP ના નારા લગાવ્યા. આનો અર્થ એ થયો કે ભીડ ઇચ્છતી હતી કે રામાસ્વામીને ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવવામાં આવે. ન્યૂ હેમ્પશાયરમાં રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સ્ટેજ શેર કર્યું, જ્યારે ભીડે તેમના માટે VP-VP ના નારા લગાવવાનું શરૂ કર્યું. રામસ્વામીએ ટ્રમ્પના સમર્થનમાં ભાષણ પણ આપ્યું હતું. રામાસ્વામીનું ભાષણ પૂરું કર્યા બાદ ટ્રમ્પે તેમના વખાણ કર્યા અને કહ્યું કે તેઓ લાંબા સમય સુધી અમારી સાથે કામ કરશે. એટકિન્સન, ન્યૂ હેમ્પશાયરમાં ચૂંટણી ભાષણ આપતાં રામાસ્વામીએ કહ્યું, 'આ વ્યક્તિ (ટ્રમ્પ) આગામી રાષ્ટ્રપતિ બનશે.'



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.