ચૂંટણી પંચે આધાર અને ચુંટણીકાર્ડને લિંક કરવાની મંજૂરી આપી !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 16:12:21

દેશમાં વધુ પારદર્શક રીતે ચુંટણી યોજાય તે માટે ઇલેક્શન કમિશને આધાર અને વોટર આઈ ડી કાર્ડને લિન્ક કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. દરેક ભારતીય નાગરિક પોતાના મતનો ઊપયોગ કરી શકે તે માટે ચુંટણી પંચે દરેક ભારતીય નાગરિકના આધાર કાર્ડ અને ચુંટણીકાર્ડ (EPIC) ને લિંક કરવાની મંજૂરી આપી છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, એટલે કે મતદારો પોતાની મરજીથી તેમના ચુંટણીકાર્ડને આધાર સાથે લિંક કરી શકે છે. મતદારોને પોતાના બંને IDને લિન્ક કરે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારી શકાય.ચૂંટણીમાં થતી ધાંધલીને અટકાવવા મદદરૂપ થશે. 

આધાર કાર્ડ સાથે મતદાર આઇ.ડી લિંક કરવાથી ડુપ્લિકેટ મતદાણ અટકાવી શકાશે. ઇલેક્શન વખતે એક જ વ્યક્તિના નામે અલગ અલગ જગ્યાએ અનેક મતદાર ઓળખ કાર્ડ જારી કરવામાં આવે છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં મૂંઝવણ ઊભી થાય છે. હવે, જ્યારે મતદાર ઓળખપત્રને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, ત્યારે ચૂંટણી પંચ સરળતાથી ડુપ્લિકેટ મતદારો શોધી શકશે અને સાચી યાદી તૈયાર કરી શકશે.



  ચૂંટણી પંચે ખાતરી આપી છે કે આધાર અને મતદાર આઇડીને લિંક કરતી વખતે ડેટા સુરક્ષા સંપૂર્ણપણે સુનિશ્ચિત કરવામાં આવશે. આધાર ડેટાનો ઉપયોગ ફક્ત મતદાર ઓળખ માટે જ કરવામાં આવશે અને અન્ય કોઈ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. મતદારોના ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કમિશને ઉચ્ચતમ સુરક્ષા ધોરણો અપનાવ્યા છે.

ઓનલાઈન લિંકિંગ કરવા માટે હાલ સુવિધા ઉપલબદ્ધ છે.તમે તમારા મતદાર આઇડીને આધાર સાથે લિંક કરવા માંગતા હોવ તો  ભારતના ચૂંટણી પંચની વેબસાઇટની  https://voters.eci.gov.in છે. અહીં તમારે તમારા મતદાર આઇ. ડીની વિગતો અને આધાર કાર્ડ નંબર ભરવો પડશે. આ પછી તમારું આધાર કાર્ડ તમારા મતદાર આઇ.ડી સાથે લિંક થઈ જશે. આ પ્રક્રિયા સરળ, ઝડપી છે અને ઘરેથી કરી શકાય છે.જો તમારી પાસે ઇન્ટરનેટની સુવિધા નથી અથવા ઓનલાઈન પ્રક્રિયામાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે આધાર અને મતદાર ID ને ઓફલાઈન પણ લિંક કરી શકો છો. આ માટે તમારે તમારા નજીકના ચૂંટણી કાર્યાલય અથવા બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરવો પડશે. અહીં તમારે ફોર્મ 6 ભરવાનું રહેશે, જેમાં તમારે તમારા મતદાર ID અને આધાર કાર્ડની નકલો સબમિટ કરવાની રહેશે. આ પછી તમારું આધાર કાર્ડ મતદાર ID સાથે લિંક થઈ જશે. 






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.