ચૂંટણી પંચે આધાર અને ચુંટણીકાર્ડને લિંક કરવાની મંજૂરી આપી !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 16:12:21

દેશમાં વધુ પારદર્શક રીતે ચુંટણી યોજાય તે માટે ઇલેક્શન કમિશને આધાર અને વોટર આઈ ડી કાર્ડને લિન્ક કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. દરેક ભારતીય નાગરિક પોતાના મતનો ઊપયોગ કરી શકે તે માટે ચુંટણી પંચે દરેક ભારતીય નાગરિકના આધાર કાર્ડ અને ચુંટણીકાર્ડ (EPIC) ને લિંક કરવાની મંજૂરી આપી છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, એટલે કે મતદારો પોતાની મરજીથી તેમના ચુંટણીકાર્ડને આધાર સાથે લિંક કરી શકે છે. મતદારોને પોતાના બંને IDને લિન્ક કરે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારી શકાય.ચૂંટણીમાં થતી ધાંધલીને અટકાવવા મદદરૂપ થશે. 

આધાર કાર્ડ સાથે મતદાર આઇ.ડી લિંક કરવાથી ડુપ્લિકેટ મતદાણ અટકાવી શકાશે. ઇલેક્શન વખતે એક જ વ્યક્તિના નામે અલગ અલગ જગ્યાએ અનેક મતદાર ઓળખ કાર્ડ જારી કરવામાં આવે છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં મૂંઝવણ ઊભી થાય છે. હવે, જ્યારે મતદાર ઓળખપત્રને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, ત્યારે ચૂંટણી પંચ સરળતાથી ડુપ્લિકેટ મતદારો શોધી શકશે અને સાચી યાદી તૈયાર કરી શકશે.



  ચૂંટણી પંચે ખાતરી આપી છે કે આધાર અને મતદાર આઇડીને લિંક કરતી વખતે ડેટા સુરક્ષા સંપૂર્ણપણે સુનિશ્ચિત કરવામાં આવશે. આધાર ડેટાનો ઉપયોગ ફક્ત મતદાર ઓળખ માટે જ કરવામાં આવશે અને અન્ય કોઈ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. મતદારોના ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કમિશને ઉચ્ચતમ સુરક્ષા ધોરણો અપનાવ્યા છે.

ઓનલાઈન લિંકિંગ કરવા માટે હાલ સુવિધા ઉપલબદ્ધ છે.તમે તમારા મતદાર આઇડીને આધાર સાથે લિંક કરવા માંગતા હોવ તો  ભારતના ચૂંટણી પંચની વેબસાઇટની  https://voters.eci.gov.in છે. અહીં તમારે તમારા મતદાર આઇ. ડીની વિગતો અને આધાર કાર્ડ નંબર ભરવો પડશે. આ પછી તમારું આધાર કાર્ડ તમારા મતદાર આઇ.ડી સાથે લિંક થઈ જશે. આ પ્રક્રિયા સરળ, ઝડપી છે અને ઘરેથી કરી શકાય છે.જો તમારી પાસે ઇન્ટરનેટની સુવિધા નથી અથવા ઓનલાઈન પ્રક્રિયામાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે આધાર અને મતદાર ID ને ઓફલાઈન પણ લિંક કરી શકો છો. આ માટે તમારે તમારા નજીકના ચૂંટણી કાર્યાલય અથવા બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરવો પડશે. અહીં તમારે ફોર્મ 6 ભરવાનું રહેશે, જેમાં તમારે તમારા મતદાર ID અને આધાર કાર્ડની નકલો સબમિટ કરવાની રહેશે. આ પછી તમારું આધાર કાર્ડ મતદાર ID સાથે લિંક થઈ જશે. 






પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.