ચૂંટણી પંચે આધાર અને ચુંટણીકાર્ડને લિંક કરવાની મંજૂરી આપી !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 16:12:21

દેશમાં વધુ પારદર્શક રીતે ચુંટણી યોજાય તે માટે ઇલેક્શન કમિશને આધાર અને વોટર આઈ ડી કાર્ડને લિન્ક કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. દરેક ભારતીય નાગરિક પોતાના મતનો ઊપયોગ કરી શકે તે માટે ચુંટણી પંચે દરેક ભારતીય નાગરિકના આધાર કાર્ડ અને ચુંટણીકાર્ડ (EPIC) ને લિંક કરવાની મંજૂરી આપી છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, એટલે કે મતદારો પોતાની મરજીથી તેમના ચુંટણીકાર્ડને આધાર સાથે લિંક કરી શકે છે. મતદારોને પોતાના બંને IDને લિન્ક કરે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારી શકાય.ચૂંટણીમાં થતી ધાંધલીને અટકાવવા મદદરૂપ થશે. 

આધાર કાર્ડ સાથે મતદાર આઇ.ડી લિંક કરવાથી ડુપ્લિકેટ મતદાણ અટકાવી શકાશે. ઇલેક્શન વખતે એક જ વ્યક્તિના નામે અલગ અલગ જગ્યાએ અનેક મતદાર ઓળખ કાર્ડ જારી કરવામાં આવે છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં મૂંઝવણ ઊભી થાય છે. હવે, જ્યારે મતદાર ઓળખપત્રને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, ત્યારે ચૂંટણી પંચ સરળતાથી ડુપ્લિકેટ મતદારો શોધી શકશે અને સાચી યાદી તૈયાર કરી શકશે.



  ચૂંટણી પંચે ખાતરી આપી છે કે આધાર અને મતદાર આઇડીને લિંક કરતી વખતે ડેટા સુરક્ષા સંપૂર્ણપણે સુનિશ્ચિત કરવામાં આવશે. આધાર ડેટાનો ઉપયોગ ફક્ત મતદાર ઓળખ માટે જ કરવામાં આવશે અને અન્ય કોઈ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. મતદારોના ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કમિશને ઉચ્ચતમ સુરક્ષા ધોરણો અપનાવ્યા છે.

ઓનલાઈન લિંકિંગ કરવા માટે હાલ સુવિધા ઉપલબદ્ધ છે.તમે તમારા મતદાર આઇડીને આધાર સાથે લિંક કરવા માંગતા હોવ તો  ભારતના ચૂંટણી પંચની વેબસાઇટની  https://voters.eci.gov.in છે. અહીં તમારે તમારા મતદાર આઇ. ડીની વિગતો અને આધાર કાર્ડ નંબર ભરવો પડશે. આ પછી તમારું આધાર કાર્ડ તમારા મતદાર આઇ.ડી સાથે લિંક થઈ જશે. આ પ્રક્રિયા સરળ, ઝડપી છે અને ઘરેથી કરી શકાય છે.જો તમારી પાસે ઇન્ટરનેટની સુવિધા નથી અથવા ઓનલાઈન પ્રક્રિયામાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે આધાર અને મતદાર ID ને ઓફલાઈન પણ લિંક કરી શકો છો. આ માટે તમારે તમારા નજીકના ચૂંટણી કાર્યાલય અથવા બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરવો પડશે. અહીં તમારે ફોર્મ 6 ભરવાનું રહેશે, જેમાં તમારે તમારા મતદાર ID અને આધાર કાર્ડની નકલો સબમિટ કરવાની રહેશે. આ પછી તમારું આધાર કાર્ડ મતદાર ID સાથે લિંક થઈ જશે. 






ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી