PM Modiને જોવા ઉમટ્યા મતદાતા! જ્યારે Ranip મતદાન કરવા પહોંચ્યા પીએમ ત્યારે ત્યાં હાજર લોકોએ કહ્યું કે... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-07 12:15:10

લોકશાહીના પર્વની આપણે આજે ઉજવણી કરી રહ્યા છીએ.. મતાધિકારનો ઉપયોગ કરી આપણે આપણા ગમતા ઉમેદવારને સંસદ સભ્ય બનાવી સંસદ મોકલીશું. ત્યારે ગુજરાતના રાણીપમાં પીએમ મોદી મતદાન કરવા માટે આવ્યા હતા. સામાન્ય રીતે લોકોને તેમને જોવાનો ઉત્સાહ હોય છે ત્યારે તે ઉત્સાહ આજે પણ લોકોમાં જોવા મળ્યો હતો.. પીએમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતા જ્યાં પીએમ મોદીએ મતદાન કર્યું તે સ્થળ પર... રાણીપની નિશાન શાળામાં તેમણે મતદાન કર્યું છે. ત્યાં હાજર લોકોમાં એટલો ઉત્સાહ હતો માત્ર પીએમ મોદીને જોવાનો.. 

ત્યાં આવેલા લોકોએ કહ્યું કે... 

પીએમ મોદીને જોવા આવેલા લોકો સાથે જ્યારે જમાવટની ટીમે સવાલ કર્યા ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદી તેમને બહુ ગમે છે. તે તેમના પાડોશી છે તેવી વાત તેમણે કહી હતી.. વડનગરના પડોશી છે તે... જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કયા કામ તેમને ગમ્યા ત્યારે તેમણે કહ્યું કે બધા કામ તેમને ગમ્યા છે..  પીએમ મોદીને જોવા માટે આવેલા બીજા વ્યક્તિને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને ખૂબ આનંદ થયો છે.. મુદ્દાઓને લઈ પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ 400 પાર ચોક્કસ કરશે..  



પીએમ મોદી માટે લોકોએ કહી આ વાત

જ્યારે એક કાકાને પૂછવામાં આવ્યું પીએમ મોદી વિશે ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદી જે શાળામાં ભણ્યા છે તે શાળામાં તે ભણ્યા છે.. તેમણે કહ્યું કે પીએમ મોદી એક એવું વ્યક્તિત્વ છે જેમને જોવા માટે લોકો ખેંચાઈ જાય છે. જ્યારે અન્ય વ્યક્તિને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મેઈન છે મોદી ભાઈ... કોઈએ ભગવાનના રૂપ તરીકે પીએમ મોદીને ગણાવ્યા. જ્યારે એક કાકીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જ્યારે પીએમ મોદી નાના હતા ત્યારે તેમણે તેમને ચા પીવડાવી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદી આજે આટલા ઉંચા પદ પર બેઠા છે તે જોઈને તેમને આનંદ થાય છે.. મહત્વનું છે કે આજે ત્રીજા તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે..



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે