PM Modiને જોવા ઉમટ્યા મતદાતા! જ્યારે Ranip મતદાન કરવા પહોંચ્યા પીએમ ત્યારે ત્યાં હાજર લોકોએ કહ્યું કે... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-07 12:15:10

લોકશાહીના પર્વની આપણે આજે ઉજવણી કરી રહ્યા છીએ.. મતાધિકારનો ઉપયોગ કરી આપણે આપણા ગમતા ઉમેદવારને સંસદ સભ્ય બનાવી સંસદ મોકલીશું. ત્યારે ગુજરાતના રાણીપમાં પીએમ મોદી મતદાન કરવા માટે આવ્યા હતા. સામાન્ય રીતે લોકોને તેમને જોવાનો ઉત્સાહ હોય છે ત્યારે તે ઉત્સાહ આજે પણ લોકોમાં જોવા મળ્યો હતો.. પીએમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતા જ્યાં પીએમ મોદીએ મતદાન કર્યું તે સ્થળ પર... રાણીપની નિશાન શાળામાં તેમણે મતદાન કર્યું છે. ત્યાં હાજર લોકોમાં એટલો ઉત્સાહ હતો માત્ર પીએમ મોદીને જોવાનો.. 

ત્યાં આવેલા લોકોએ કહ્યું કે... 

પીએમ મોદીને જોવા આવેલા લોકો સાથે જ્યારે જમાવટની ટીમે સવાલ કર્યા ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદી તેમને બહુ ગમે છે. તે તેમના પાડોશી છે તેવી વાત તેમણે કહી હતી.. વડનગરના પડોશી છે તે... જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કયા કામ તેમને ગમ્યા ત્યારે તેમણે કહ્યું કે બધા કામ તેમને ગમ્યા છે..  પીએમ મોદીને જોવા માટે આવેલા બીજા વ્યક્તિને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને ખૂબ આનંદ થયો છે.. મુદ્દાઓને લઈ પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ 400 પાર ચોક્કસ કરશે..  



પીએમ મોદી માટે લોકોએ કહી આ વાત

જ્યારે એક કાકાને પૂછવામાં આવ્યું પીએમ મોદી વિશે ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદી જે શાળામાં ભણ્યા છે તે શાળામાં તે ભણ્યા છે.. તેમણે કહ્યું કે પીએમ મોદી એક એવું વ્યક્તિત્વ છે જેમને જોવા માટે લોકો ખેંચાઈ જાય છે. જ્યારે અન્ય વ્યક્તિને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મેઈન છે મોદી ભાઈ... કોઈએ ભગવાનના રૂપ તરીકે પીએમ મોદીને ગણાવ્યા. જ્યારે એક કાકીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જ્યારે પીએમ મોદી નાના હતા ત્યારે તેમણે તેમને ચા પીવડાવી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદી આજે આટલા ઉંચા પદ પર બેઠા છે તે જોઈને તેમને આનંદ થાય છે.. મહત્વનું છે કે આજે ત્રીજા તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે..



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.