દેશની પ્રથમ લોકસભાની ચૂંટણીથી અત્યાર સુધીમાં મતદારો 6 ગણા વધ્યા, જો કે મતદાન ઘટ્યું


  • Published By :
  • Published Date : 2023-02-06 18:22:11

આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ તૈયારીમાં લાગ્યું છે. જો કે આ દરમિયાન સૌથી રસપ્રદ બાબત ચૂંટણી પંચનો રિપોર્ટ છે. જેમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતમાં 1951થી અત્યાર સુધીમાં કુલ મતદારોમાં 6 ગણો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે તે સંખ્યા 94.50 કરોડના આંકને વટાવી ગઈ છે.


વર્ષ 1951માં કેટલા મતદારો હતા?


વર્ષ 1951માં જ્યારે પ્રથમ સામાન્ય ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી, ત્યારે ભારતમાં 17.32 મિલિયન મતદારોની નોંધણી હતી, અને ત્યારે 45.67% મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પાછલા અમુક વર્ષોથી નોંધાયેલા મતદારોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થતો જોવા મળ્યો છે. આ પછી ચૂંટણીઓમાં તેમની ભાગીદારી પણ વધી છે. વર્ષ 1957ની સામાન્ય ચૂંટણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 19.37 કરોડ હતી, જ્યારે 47.74 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.


વર્ષ 2014-2019ની ચૂંટણીમાં શું સ્થિતી હતી 


વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 83.40 કરોડ હતી અને મતદાનની ટકાવારી વધીને 66.44 થઈ હતી. વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં 91.20 કરોડ નોંધાયેલા મતદારો હતા અને 67.40 ટકા મતદારો મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચ્યા હતા. આ વર્ષે 1 જાન્યુઆરીએ કુલ મતદારોની સંખ્યા 94,50,25,694 હતી.


મતદાનને લઈ લોકોમાં નિરાશા


દેશમાં મતદાનને વઈ લોકોમાં નિરાશા વધી રહી છે. ચૂંટણી પંચે તેના રિપોર્ટમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શહેરી મતદારોની ઉદાસીનતા તરફ ધ્યાન દોર્યું છે. આ વર્ષે ઘણા રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે સૂચિત લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચનો હેતુ મતદાનની ટકાવારી વધારવાનો છે. તેને લઈ આગામી લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. મતદાનની ટકાવારી 75 ટકા સુધી લઈ જવાની ચર્ચા વચ્ચે ચૂંટણી પંચે 30 કરોડ મતદારોનો મુદ્દો ઉઠાવ્યો જેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા આવ્યા ન હતા. આ 30 કરોડ મતદારોની શ્રેણીમાં શહેરી વિસ્તારના લોકો, યુવાનો અને સ્થળાંતર કરનારાઓનો સમાવેશ થાય છે.


શહેરી, યુવાનો અને સ્થળાંતર કરનારાઓએ મતદાન ન કર્યું 


મતદાનની ટકાવારી 75 ટકા સુધી લઈ જવા માટે, ચૂંટણી પંચે તે 30 કરોડ મતદારોનો મુદ્દો ઉઠાવ્યો, કારણ કે 2019ની લોકસભા ચૂંટણીમાં એક તૃતીયાંશ મતદારો આવ્યા ન હતા. આ 30 કરોડ ગુમ થયેલા મતદારોની શ્રેણીમાં શહેરી વિસ્તારના લોકો, યુવાનો અને સ્થળાંતર કરનારાઓનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શહેરી ઉદાસીનતા તરફ ધ્યાન દોર્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.