દેશની પ્રથમ લોકસભાની ચૂંટણીથી અત્યાર સુધીમાં મતદારો 6 ગણા વધ્યા, જો કે મતદાન ઘટ્યું


  • Published By :
  • Published Date : 2023-02-06 18:22:11

આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ તૈયારીમાં લાગ્યું છે. જો કે આ દરમિયાન સૌથી રસપ્રદ બાબત ચૂંટણી પંચનો રિપોર્ટ છે. જેમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતમાં 1951થી અત્યાર સુધીમાં કુલ મતદારોમાં 6 ગણો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે તે સંખ્યા 94.50 કરોડના આંકને વટાવી ગઈ છે.


વર્ષ 1951માં કેટલા મતદારો હતા?


વર્ષ 1951માં જ્યારે પ્રથમ સામાન્ય ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી, ત્યારે ભારતમાં 17.32 મિલિયન મતદારોની નોંધણી હતી, અને ત્યારે 45.67% મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પાછલા અમુક વર્ષોથી નોંધાયેલા મતદારોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થતો જોવા મળ્યો છે. આ પછી ચૂંટણીઓમાં તેમની ભાગીદારી પણ વધી છે. વર્ષ 1957ની સામાન્ય ચૂંટણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 19.37 કરોડ હતી, જ્યારે 47.74 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.


વર્ષ 2014-2019ની ચૂંટણીમાં શું સ્થિતી હતી 


વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 83.40 કરોડ હતી અને મતદાનની ટકાવારી વધીને 66.44 થઈ હતી. વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં 91.20 કરોડ નોંધાયેલા મતદારો હતા અને 67.40 ટકા મતદારો મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચ્યા હતા. આ વર્ષે 1 જાન્યુઆરીએ કુલ મતદારોની સંખ્યા 94,50,25,694 હતી.


મતદાનને લઈ લોકોમાં નિરાશા


દેશમાં મતદાનને વઈ લોકોમાં નિરાશા વધી રહી છે. ચૂંટણી પંચે તેના રિપોર્ટમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શહેરી મતદારોની ઉદાસીનતા તરફ ધ્યાન દોર્યું છે. આ વર્ષે ઘણા રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે સૂચિત લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચનો હેતુ મતદાનની ટકાવારી વધારવાનો છે. તેને લઈ આગામી લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. મતદાનની ટકાવારી 75 ટકા સુધી લઈ જવાની ચર્ચા વચ્ચે ચૂંટણી પંચે 30 કરોડ મતદારોનો મુદ્દો ઉઠાવ્યો જેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા આવ્યા ન હતા. આ 30 કરોડ મતદારોની શ્રેણીમાં શહેરી વિસ્તારના લોકો, યુવાનો અને સ્થળાંતર કરનારાઓનો સમાવેશ થાય છે.


શહેરી, યુવાનો અને સ્થળાંતર કરનારાઓએ મતદાન ન કર્યું 


મતદાનની ટકાવારી 75 ટકા સુધી લઈ જવા માટે, ચૂંટણી પંચે તે 30 કરોડ મતદારોનો મુદ્દો ઉઠાવ્યો, કારણ કે 2019ની લોકસભા ચૂંટણીમાં એક તૃતીયાંશ મતદારો આવ્યા ન હતા. આ 30 કરોડ ગુમ થયેલા મતદારોની શ્રેણીમાં શહેરી વિસ્તારના લોકો, યુવાનો અને સ્થળાંતર કરનારાઓનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શહેરી ઉદાસીનતા તરફ ધ્યાન દોર્યું છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.