Gujaratની આ બેઠકોના મતદાતાઓએ રહેવું પડશે પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે તૈયાર! Loksabhaની સાથે સાથે થઈ શકે છે પેટાચૂંટણીનું આયોજન..


  • Published By :
  • Published Date : 2024-03-05 16:04:32

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તો બીજી 11 બેઠકોના મતદાતાઓ પોતાના ઉમેદવારોની રાહ જોઈ રહ્યા છે. તેમના ત્યાંથી કોણ ઉમેદવાર હશે તે અંગે મતદાતાઓ વિચારી રહ્યા છે પરંતુ ગુજરાતમાં અનેક બેઠકો એવી છે જ્યાં વિધાનસભા માટે પેટાચૂંટણી યોજાવાની છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. હજી સુધી પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણી માટે પણ તૈયાર રહેવું પડશે. 

Arjun Modhwadia Resignation: કોંગ્રેસ તૂટવાનો સિલસિલો યથાવત, અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

Image

આટલા ધારાસભ્યો આપી ચૂક્યા છે રાજીનામું 

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઓપરેશન લોટસ એક્ટિવ થઈ રહ્યું છે. અનેક પાર્ટીઓના નેતાઓ, કાર્યકર્તાઓ પોતાની પાર્ટી છોડી ભાજપમાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના તેમજ અપક્ષના ધારાસભ્યો એ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. જો વાત કરીએ ધારાસભ્યોની તો ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું હતું, તો વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. 

Image

Image

ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી પૂર્વ ધારાસભ્યો કરી રહ્યા છે કેસરિયો

તે સિવાય વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે તો પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. સી.આર.પાટીલ તમામ પૂર્વ ધારાસભ્યોનું સ્વાગત કરી રહ્યા છે. ભાજપમાં ના માત્ર પૂર્વ ધારાસભ્યો જોડાઈ રહ્યા છે પરંતુ હજારો કાર્યકર્તાઓ પણ જોડાઈ રહ્યા છે. આ મતવિસ્તારોમાં આવતા મતદાતાઓએ વિધાનસભાની પેટા ચૂંટણી માટે તેમજ લોકસભાની ચૂંટણીના મતદાન માટે તૈયાર રહેવું પડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમને પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર બનાવી શકે છે.     


જે કારણો આપવામાં આવે છે તે અનેક વખત ગળે નથી ઉતરતું!

પાર્ટી છોડવા પાછળનું જ્યારે નેતાઓ, ધારાસભ્યો કાર્યકર્તાઓ કારણ બતાવે છે ત્યારે અનેક વખત એવું થાય છે કે તેમના દ્વારા આપવામાં આવેલું કારણ ગળે નથી ઉતરતું. અનેક વખત કારણો આપવામાં આવે છે કે વિકાસના કાર્યો અટકી જતા હતા તે માટે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. મહત્વનું છે કે જો નેતાની કામ કરવાની નિયત હોય તો પક્ષ કેમ ના હોય તે સારૂં કામ કરી શકે છે! વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં આ સંખ્યાબળ હજી પણ ઘટી શકે છે તેવી સંભાવનાઓ રહેલી છે.        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.