Gujaratની આ બેઠકોના મતદાતાઓએ રહેવું પડશે પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે તૈયાર! Loksabhaની સાથે સાથે થઈ શકે છે પેટાચૂંટણીનું આયોજન..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-05 16:04:32

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તો બીજી 11 બેઠકોના મતદાતાઓ પોતાના ઉમેદવારોની રાહ જોઈ રહ્યા છે. તેમના ત્યાંથી કોણ ઉમેદવાર હશે તે અંગે મતદાતાઓ વિચારી રહ્યા છે પરંતુ ગુજરાતમાં અનેક બેઠકો એવી છે જ્યાં વિધાનસભા માટે પેટાચૂંટણી યોજાવાની છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. હજી સુધી પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણી માટે પણ તૈયાર રહેવું પડશે. 

Arjun Modhwadia Resignation: કોંગ્રેસ તૂટવાનો સિલસિલો યથાવત, અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

Image

આટલા ધારાસભ્યો આપી ચૂક્યા છે રાજીનામું 

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઓપરેશન લોટસ એક્ટિવ થઈ રહ્યું છે. અનેક પાર્ટીઓના નેતાઓ, કાર્યકર્તાઓ પોતાની પાર્ટી છોડી ભાજપમાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના તેમજ અપક્ષના ધારાસભ્યો એ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. જો વાત કરીએ ધારાસભ્યોની તો ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું હતું, તો વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. 

Image

Image

ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી પૂર્વ ધારાસભ્યો કરી રહ્યા છે કેસરિયો

તે સિવાય વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે તો પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. સી.આર.પાટીલ તમામ પૂર્વ ધારાસભ્યોનું સ્વાગત કરી રહ્યા છે. ભાજપમાં ના માત્ર પૂર્વ ધારાસભ્યો જોડાઈ રહ્યા છે પરંતુ હજારો કાર્યકર્તાઓ પણ જોડાઈ રહ્યા છે. આ મતવિસ્તારોમાં આવતા મતદાતાઓએ વિધાનસભાની પેટા ચૂંટણી માટે તેમજ લોકસભાની ચૂંટણીના મતદાન માટે તૈયાર રહેવું પડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમને પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર બનાવી શકે છે.     


જે કારણો આપવામાં આવે છે તે અનેક વખત ગળે નથી ઉતરતું!

પાર્ટી છોડવા પાછળનું જ્યારે નેતાઓ, ધારાસભ્યો કાર્યકર્તાઓ કારણ બતાવે છે ત્યારે અનેક વખત એવું થાય છે કે તેમના દ્વારા આપવામાં આવેલું કારણ ગળે નથી ઉતરતું. અનેક વખત કારણો આપવામાં આવે છે કે વિકાસના કાર્યો અટકી જતા હતા તે માટે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. મહત્વનું છે કે જો નેતાની કામ કરવાની નિયત હોય તો પક્ષ કેમ ના હોય તે સારૂં કામ કરી શકે છે! વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં આ સંખ્યાબળ હજી પણ ઘટી શકે છે તેવી સંભાવનાઓ રહેલી છે.        




ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..

ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..