Gujaratની આ બેઠકોના મતદાતાઓએ રહેવું પડશે પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે તૈયાર! Loksabhaની સાથે સાથે થઈ શકે છે પેટાચૂંટણીનું આયોજન..


  • Published By :
  • Published Date : 2024-03-05 16:04:32

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તો બીજી 11 બેઠકોના મતદાતાઓ પોતાના ઉમેદવારોની રાહ જોઈ રહ્યા છે. તેમના ત્યાંથી કોણ ઉમેદવાર હશે તે અંગે મતદાતાઓ વિચારી રહ્યા છે પરંતુ ગુજરાતમાં અનેક બેઠકો એવી છે જ્યાં વિધાનસભા માટે પેટાચૂંટણી યોજાવાની છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. હજી સુધી પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણી માટે પણ તૈયાર રહેવું પડશે. 

Arjun Modhwadia Resignation: કોંગ્રેસ તૂટવાનો સિલસિલો યથાવત, અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

Image

આટલા ધારાસભ્યો આપી ચૂક્યા છે રાજીનામું 

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઓપરેશન લોટસ એક્ટિવ થઈ રહ્યું છે. અનેક પાર્ટીઓના નેતાઓ, કાર્યકર્તાઓ પોતાની પાર્ટી છોડી ભાજપમાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના તેમજ અપક્ષના ધારાસભ્યો એ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. જો વાત કરીએ ધારાસભ્યોની તો ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું હતું, તો વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. 

Image

Image

ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી પૂર્વ ધારાસભ્યો કરી રહ્યા છે કેસરિયો

તે સિવાય વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે તો પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. સી.આર.પાટીલ તમામ પૂર્વ ધારાસભ્યોનું સ્વાગત કરી રહ્યા છે. ભાજપમાં ના માત્ર પૂર્વ ધારાસભ્યો જોડાઈ રહ્યા છે પરંતુ હજારો કાર્યકર્તાઓ પણ જોડાઈ રહ્યા છે. આ મતવિસ્તારોમાં આવતા મતદાતાઓએ વિધાનસભાની પેટા ચૂંટણી માટે તેમજ લોકસભાની ચૂંટણીના મતદાન માટે તૈયાર રહેવું પડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમને પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર બનાવી શકે છે.     


જે કારણો આપવામાં આવે છે તે અનેક વખત ગળે નથી ઉતરતું!

પાર્ટી છોડવા પાછળનું જ્યારે નેતાઓ, ધારાસભ્યો કાર્યકર્તાઓ કારણ બતાવે છે ત્યારે અનેક વખત એવું થાય છે કે તેમના દ્વારા આપવામાં આવેલું કારણ ગળે નથી ઉતરતું. અનેક વખત કારણો આપવામાં આવે છે કે વિકાસના કાર્યો અટકી જતા હતા તે માટે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. મહત્વનું છે કે જો નેતાની કામ કરવાની નિયત હોય તો પક્ષ કેમ ના હોય તે સારૂં કામ કરી શકે છે! વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં આ સંખ્યાબળ હજી પણ ઘટી શકે છે તેવી સંભાવનાઓ રહેલી છે.        




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે