Gujaratની આ બેઠકોના મતદાતાઓએ રહેવું પડશે પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે તૈયાર! Loksabhaની સાથે સાથે થઈ શકે છે પેટાચૂંટણીનું આયોજન..


  • Published By :
  • Published Date : 2024-03-05 16:04:32

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તો બીજી 11 બેઠકોના મતદાતાઓ પોતાના ઉમેદવારોની રાહ જોઈ રહ્યા છે. તેમના ત્યાંથી કોણ ઉમેદવાર હશે તે અંગે મતદાતાઓ વિચારી રહ્યા છે પરંતુ ગુજરાતમાં અનેક બેઠકો એવી છે જ્યાં વિધાનસભા માટે પેટાચૂંટણી યોજાવાની છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. હજી સુધી પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણી માટે પણ તૈયાર રહેવું પડશે. 

Arjun Modhwadia Resignation: કોંગ્રેસ તૂટવાનો સિલસિલો યથાવત, અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

Image

આટલા ધારાસભ્યો આપી ચૂક્યા છે રાજીનામું 

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઓપરેશન લોટસ એક્ટિવ થઈ રહ્યું છે. અનેક પાર્ટીઓના નેતાઓ, કાર્યકર્તાઓ પોતાની પાર્ટી છોડી ભાજપમાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના તેમજ અપક્ષના ધારાસભ્યો એ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. જો વાત કરીએ ધારાસભ્યોની તો ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું હતું, તો વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. 

Image

Image

ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી પૂર્વ ધારાસભ્યો કરી રહ્યા છે કેસરિયો

તે સિવાય વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે તો પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. સી.આર.પાટીલ તમામ પૂર્વ ધારાસભ્યોનું સ્વાગત કરી રહ્યા છે. ભાજપમાં ના માત્ર પૂર્વ ધારાસભ્યો જોડાઈ રહ્યા છે પરંતુ હજારો કાર્યકર્તાઓ પણ જોડાઈ રહ્યા છે. આ મતવિસ્તારોમાં આવતા મતદાતાઓએ વિધાનસભાની પેટા ચૂંટણી માટે તેમજ લોકસભાની ચૂંટણીના મતદાન માટે તૈયાર રહેવું પડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમને પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર બનાવી શકે છે.     


જે કારણો આપવામાં આવે છે તે અનેક વખત ગળે નથી ઉતરતું!

પાર્ટી છોડવા પાછળનું જ્યારે નેતાઓ, ધારાસભ્યો કાર્યકર્તાઓ કારણ બતાવે છે ત્યારે અનેક વખત એવું થાય છે કે તેમના દ્વારા આપવામાં આવેલું કારણ ગળે નથી ઉતરતું. અનેક વખત કારણો આપવામાં આવે છે કે વિકાસના કાર્યો અટકી જતા હતા તે માટે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. મહત્વનું છે કે જો નેતાની કામ કરવાની નિયત હોય તો પક્ષ કેમ ના હોય તે સારૂં કામ કરી શકે છે! વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં આ સંખ્યાબળ હજી પણ ઘટી શકે છે તેવી સંભાવનાઓ રહેલી છે.        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે