ખરાબ રોડ રસ્તાને લઈ મતદાતાઓને કરાયો કટાક્ષ! વીડિયો વાયરલ થયો જેમાં કહેવામાં આવી રહ્યું છે કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-27 14:13:51

વરસાદ બાદ શહેર હોય કે ગામડું હોય બંનેની પરિસ્થિતિ સરખી થઈ જાય છે, રસ્તા મામલે... કરોડોના ખર્ચે બનાવવામાં આવતા રસ્તાઓ પર પહેલા વરસાદ બાદ જ ખાડા પડવા લાગે છે..  આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

મતદારોને કર્યો જોરદાર કટાક્ષ!

શહેરોના રસ્તાઓ પર જાણે ખાડારાજ હોય તેવું ફીલ પણ થાય ઘણી વખત.. ખાડા જોઈને અનેક લોકો કહેતા હોય છે આ તો દર વખતનું રહ્યું.. જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ત્યારે રસ્તા પર રસ્તા કરતા ખાડા વધારે દેખાય છે... જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ગીત ગાઈને મતદારોને કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. ચવાણા, દારૂ તેમજ થોડા રુપિયામાં મતદાર પોતાના મતને વેચી નાખે છે તેની વાત જાણે કરતા હોય તેવું લાગે છે. જે વીડિયો વાયરલ થઈ હ્યો છે તે છત્તીસગઢના કોરબા જિલ્લાનો છે. તેમાં જે પરિસ્થિતિની વાત કરી છે તે આજે પણ લાગું થાય છે..



સમસ્યાને હસી કાઢવાની આદત આગળ જતા ભારે પડી શકે છે..!

નાગરિકોને, મતદારોને પણ સવાલ કરવો જોઈએ કે શું કામ જ્યારે  મતદાન કરવાનો મોકો મળે છે ત્યારે ગંભીર મુદ્દાઓ પર ધ્યાન નથી આપતા? દર ચોમાસામાં ખાડા જોવા માટે આપણે ટેવાઈ ગયા છે, ખાડા જોવાની જાણે આપણને આદત થઈ છે તેવું લાગે.. વર્ષોથી આપણને બધાને આ સમસ્યાઓને હસી કાઢવાની આદત પડી છે . અને એ હદ સુધી આપણે આપણું જે નાગરિકત્વ છે તેને મારીને , નીચોવીને મૂકી દીધું છે , કે આપણે ભૂલી ગયા છીએ કે આ સ્થિતિ માટે ઘણાખરા અંશે આપણે પોતે જવાબદાર છીએ. ત્યારે વીડિયો વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો.. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.