ખરાબ રોડ રસ્તાને લઈ મતદાતાઓને કરાયો કટાક્ષ! વીડિયો વાયરલ થયો જેમાં કહેવામાં આવી રહ્યું છે કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-27 14:13:51

વરસાદ બાદ શહેર હોય કે ગામડું હોય બંનેની પરિસ્થિતિ સરખી થઈ જાય છે, રસ્તા મામલે... કરોડોના ખર્ચે બનાવવામાં આવતા રસ્તાઓ પર પહેલા વરસાદ બાદ જ ખાડા પડવા લાગે છે..  આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

મતદારોને કર્યો જોરદાર કટાક્ષ!

શહેરોના રસ્તાઓ પર જાણે ખાડારાજ હોય તેવું ફીલ પણ થાય ઘણી વખત.. ખાડા જોઈને અનેક લોકો કહેતા હોય છે આ તો દર વખતનું રહ્યું.. જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ત્યારે રસ્તા પર રસ્તા કરતા ખાડા વધારે દેખાય છે... જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ગીત ગાઈને મતદારોને કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. ચવાણા, દારૂ તેમજ થોડા રુપિયામાં મતદાર પોતાના મતને વેચી નાખે છે તેની વાત જાણે કરતા હોય તેવું લાગે છે. જે વીડિયો વાયરલ થઈ હ્યો છે તે છત્તીસગઢના કોરબા જિલ્લાનો છે. તેમાં જે પરિસ્થિતિની વાત કરી છે તે આજે પણ લાગું થાય છે..



સમસ્યાને હસી કાઢવાની આદત આગળ જતા ભારે પડી શકે છે..!

નાગરિકોને, મતદારોને પણ સવાલ કરવો જોઈએ કે શું કામ જ્યારે  મતદાન કરવાનો મોકો મળે છે ત્યારે ગંભીર મુદ્દાઓ પર ધ્યાન નથી આપતા? દર ચોમાસામાં ખાડા જોવા માટે આપણે ટેવાઈ ગયા છે, ખાડા જોવાની જાણે આપણને આદત થઈ છે તેવું લાગે.. વર્ષોથી આપણને બધાને આ સમસ્યાઓને હસી કાઢવાની આદત પડી છે . અને એ હદ સુધી આપણે આપણું જે નાગરિકત્વ છે તેને મારીને , નીચોવીને મૂકી દીધું છે , કે આપણે ભૂલી ગયા છીએ કે આ સ્થિતિ માટે ઘણાખરા અંશે આપણે પોતે જવાબદાર છીએ. ત્યારે વીડિયો વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.