ખરાબ રોડ રસ્તાને લઈ મતદાતાઓને કરાયો કટાક્ષ! વીડિયો વાયરલ થયો જેમાં કહેવામાં આવી રહ્યું છે કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-27 14:13:51

વરસાદ બાદ શહેર હોય કે ગામડું હોય બંનેની પરિસ્થિતિ સરખી થઈ જાય છે, રસ્તા મામલે... કરોડોના ખર્ચે બનાવવામાં આવતા રસ્તાઓ પર પહેલા વરસાદ બાદ જ ખાડા પડવા લાગે છે..  આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

મતદારોને કર્યો જોરદાર કટાક્ષ!

શહેરોના રસ્તાઓ પર જાણે ખાડારાજ હોય તેવું ફીલ પણ થાય ઘણી વખત.. ખાડા જોઈને અનેક લોકો કહેતા હોય છે આ તો દર વખતનું રહ્યું.. જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ત્યારે રસ્તા પર રસ્તા કરતા ખાડા વધારે દેખાય છે... જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ગીત ગાઈને મતદારોને કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. ચવાણા, દારૂ તેમજ થોડા રુપિયામાં મતદાર પોતાના મતને વેચી નાખે છે તેની વાત જાણે કરતા હોય તેવું લાગે છે. જે વીડિયો વાયરલ થઈ હ્યો છે તે છત્તીસગઢના કોરબા જિલ્લાનો છે. તેમાં જે પરિસ્થિતિની વાત કરી છે તે આજે પણ લાગું થાય છે..



સમસ્યાને હસી કાઢવાની આદત આગળ જતા ભારે પડી શકે છે..!

નાગરિકોને, મતદારોને પણ સવાલ કરવો જોઈએ કે શું કામ જ્યારે  મતદાન કરવાનો મોકો મળે છે ત્યારે ગંભીર મુદ્દાઓ પર ધ્યાન નથી આપતા? દર ચોમાસામાં ખાડા જોવા માટે આપણે ટેવાઈ ગયા છે, ખાડા જોવાની જાણે આપણને આદત થઈ છે તેવું લાગે.. વર્ષોથી આપણને બધાને આ સમસ્યાઓને હસી કાઢવાની આદત પડી છે . અને એ હદ સુધી આપણે આપણું જે નાગરિકત્વ છે તેને મારીને , નીચોવીને મૂકી દીધું છે , કે આપણે ભૂલી ગયા છીએ કે આ સ્થિતિ માટે ઘણાખરા અંશે આપણે પોતે જવાબદાર છીએ. ત્યારે વીડિયો વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો.. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.