ખરાબ રોડ રસ્તાને લઈ મતદાતાઓને કરાયો કટાક્ષ! વીડિયો વાયરલ થયો જેમાં કહેવામાં આવી રહ્યું છે કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-27 14:13:51

વરસાદ બાદ શહેર હોય કે ગામડું હોય બંનેની પરિસ્થિતિ સરખી થઈ જાય છે, રસ્તા મામલે... કરોડોના ખર્ચે બનાવવામાં આવતા રસ્તાઓ પર પહેલા વરસાદ બાદ જ ખાડા પડવા લાગે છે..  આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

મતદારોને કર્યો જોરદાર કટાક્ષ!

શહેરોના રસ્તાઓ પર જાણે ખાડારાજ હોય તેવું ફીલ પણ થાય ઘણી વખત.. ખાડા જોઈને અનેક લોકો કહેતા હોય છે આ તો દર વખતનું રહ્યું.. જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ત્યારે રસ્તા પર રસ્તા કરતા ખાડા વધારે દેખાય છે... જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ગીત ગાઈને મતદારોને કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. ચવાણા, દારૂ તેમજ થોડા રુપિયામાં મતદાર પોતાના મતને વેચી નાખે છે તેની વાત જાણે કરતા હોય તેવું લાગે છે. જે વીડિયો વાયરલ થઈ હ્યો છે તે છત્તીસગઢના કોરબા જિલ્લાનો છે. તેમાં જે પરિસ્થિતિની વાત કરી છે તે આજે પણ લાગું થાય છે..



સમસ્યાને હસી કાઢવાની આદત આગળ જતા ભારે પડી શકે છે..!

નાગરિકોને, મતદારોને પણ સવાલ કરવો જોઈએ કે શું કામ જ્યારે  મતદાન કરવાનો મોકો મળે છે ત્યારે ગંભીર મુદ્દાઓ પર ધ્યાન નથી આપતા? દર ચોમાસામાં ખાડા જોવા માટે આપણે ટેવાઈ ગયા છે, ખાડા જોવાની જાણે આપણને આદત થઈ છે તેવું લાગે.. વર્ષોથી આપણને બધાને આ સમસ્યાઓને હસી કાઢવાની આદત પડી છે . અને એ હદ સુધી આપણે આપણું જે નાગરિકત્વ છે તેને મારીને , નીચોવીને મૂકી દીધું છે , કે આપણે ભૂલી ગયા છીએ કે આ સ્થિતિ માટે ઘણાખરા અંશે આપણે પોતે જવાબદાર છીએ. ત્યારે વીડિયો વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો.. 



વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.