ચોથા તબક્કા માટેનું મતદાન પૂર્ણ, સાંજે પાંચ વાગ્યા સુધી નોંધાયું આટલા ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે નોંધાયું મતદાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-13 18:57:50

દેશમાં લોકસભા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાની પસંદગીના ઉમેદવારને વોટ આપે છે.. ત્રણ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે. હજી ત્રણ તબક્કા માટે મતદાન બાકી છે. આજે ચોથા તબક્કા અંતર્ગત મતદાન થયું હતું. 96 બેઠકો માટે મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. પાંચ વાગ્યા સુધી સામે આવેલા આંકડાની વાત કરીએ તો 62.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

ચોથા તબક્કા માટે 96 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન 

સાત તબક્કામાં દેશમાં લોકસભા ચૂંટણી થઈ રહી છે.. પ્રથમ ત્રણ તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું અને આજે ચોથા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે.. 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ચોથા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25 બેઠકો માટે જ્યારે ઉત્તર પ્રદેશની 13 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. તેલંગાણાની 17, મહારાષ્ટ્રની 11 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. એમપીની 8, પશ્ચિમ બંગાળની 8, બિહારની પાંચ, ઝારખંડ તેમજ ઓડિશાની 4-4 બેઠકો માટે જ્યારે જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થઈ રહ્યું છે...


ક્યાં કેટલું નોંધાયું મતદાન?

સાંજે પાંય વાગ્યા સુધી સરેરાશ 62.31 ટકા મતદાન થયું છે. ક્યાં કેટલું મતદાન થયું તેની વાત કરીએ તો પાંચ વાગ્યા સુધી આંધ્ર પ્રદેશમાં 68.04 ટકા, બિહારમાં 54.14, જમ્મુ કાશ્મીરમાં 35.75 ટકા મતદાન થયું છે જ્યારે ઝારખંડમાં 63.14 ટકા મતદાન થયું છે. મધ્યપ્રદેશમાં 68.01 ટકા, મહારાષ્ટ્રમાં 52.49, ઓડિશામાં 62.96 ટકા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી થયું છે. તેલંગાણામાં 61.16 ટકા મતદાન થયું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 56.35 ટકા મતદાન જ્યારે પશ્ચિમ બંગાળમાં 75.66 ટકા મતદાન થયું છે.. મહત્વનું છે પશ્ચિમ બંગાળમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે. આ મતદાન કોને ફાયદો કરાવશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. લોકસભા ઈલેક્શનનું પરિણામ ચોથી જૂનના રોજ આવવાનું છે..  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.