ચોથા તબક્કા માટેનું મતદાન પૂર્ણ, સાંજે પાંચ વાગ્યા સુધી નોંધાયું આટલા ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે નોંધાયું મતદાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-13 18:57:50

દેશમાં લોકસભા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાની પસંદગીના ઉમેદવારને વોટ આપે છે.. ત્રણ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે. હજી ત્રણ તબક્કા માટે મતદાન બાકી છે. આજે ચોથા તબક્કા અંતર્ગત મતદાન થયું હતું. 96 બેઠકો માટે મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. પાંચ વાગ્યા સુધી સામે આવેલા આંકડાની વાત કરીએ તો 62.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

ચોથા તબક્કા માટે 96 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન 

સાત તબક્કામાં દેશમાં લોકસભા ચૂંટણી થઈ રહી છે.. પ્રથમ ત્રણ તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું અને આજે ચોથા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે.. 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ચોથા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25 બેઠકો માટે જ્યારે ઉત્તર પ્રદેશની 13 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. તેલંગાણાની 17, મહારાષ્ટ્રની 11 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. એમપીની 8, પશ્ચિમ બંગાળની 8, બિહારની પાંચ, ઝારખંડ તેમજ ઓડિશાની 4-4 બેઠકો માટે જ્યારે જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થઈ રહ્યું છે...


ક્યાં કેટલું નોંધાયું મતદાન?

સાંજે પાંય વાગ્યા સુધી સરેરાશ 62.31 ટકા મતદાન થયું છે. ક્યાં કેટલું મતદાન થયું તેની વાત કરીએ તો પાંચ વાગ્યા સુધી આંધ્ર પ્રદેશમાં 68.04 ટકા, બિહારમાં 54.14, જમ્મુ કાશ્મીરમાં 35.75 ટકા મતદાન થયું છે જ્યારે ઝારખંડમાં 63.14 ટકા મતદાન થયું છે. મધ્યપ્રદેશમાં 68.01 ટકા, મહારાષ્ટ્રમાં 52.49, ઓડિશામાં 62.96 ટકા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી થયું છે. તેલંગાણામાં 61.16 ટકા મતદાન થયું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 56.35 ટકા મતદાન જ્યારે પશ્ચિમ બંગાળમાં 75.66 ટકા મતદાન થયું છે.. મહત્વનું છે પશ્ચિમ બંગાળમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે. આ મતદાન કોને ફાયદો કરાવશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. લોકસભા ઈલેક્શનનું પરિણામ ચોથી જૂનના રોજ આવવાનું છે..  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.