Telangana Assembly Elections માટે ચાલી રહ્યું છે મતદાન, આટલા ઉમેદવારોના ભાવિ EVMમાં થશે કેદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-30 12:33:32

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલા આ વર્ષે પાંચ રાજ્યો માટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ચાર રાજ્યો માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે જ્યારે આજે તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. તેલંગાણાની 199 વિધાનસભા બેઠકો માટે આજે વહેલી સવારથી મતદાતાઓ મતદાન કરી રહ્યા છે. 2300 જેટલા ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાનું છે. સવારે સાત વાગ્યાથી આ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જ્યારે સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો માટે મતદાન ચાલું રહેશે. 35 હજાર જેટલા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેલંગાણામાં 9 વાગ્યા સુધીમાં 8.52 ટકા મતદાન થયું છે.

મતદાન કરવા પીએમ મોદીએ કરી અપીલ 

2023માં પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ મિઝોરમ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આજે તેલંગાણા માટે મતદાન હાથ ધરવામાં આવી રહ્યું છે. મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમાંથી આજે છેલ્લા રાજ્ય એવા તેલંગાણાની 119 બેઠકો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. પાંચેય રાજ્યોનું પરિણામ 3જી ડિસેમ્બરે આવવાનું છે. તેલંગાણાના લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પીએમ મોદીએ અપીલ કરી છે. મતદાન માટે અપીલ કરતી ટ્વિટ પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. મતદાતાઓને રીઝવવા માટે રાજકીય પાર્ટીઓએ અનેક ચૂંટણી પ્રચાર કર્યા છે અને વાયદા કરવામાં આવ્યા છે ત્યારે કઈ પાર્ટી સત્તા પર આવશે તે 3જી ડિસેમ્બરે ખબર પડશે. 


 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.