Telangana Assembly Elections માટે ચાલી રહ્યું છે મતદાન, આટલા ઉમેદવારોના ભાવિ EVMમાં થશે કેદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-30 12:33:32

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલા આ વર્ષે પાંચ રાજ્યો માટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ચાર રાજ્યો માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે જ્યારે આજે તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. તેલંગાણાની 199 વિધાનસભા બેઠકો માટે આજે વહેલી સવારથી મતદાતાઓ મતદાન કરી રહ્યા છે. 2300 જેટલા ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાનું છે. સવારે સાત વાગ્યાથી આ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જ્યારે સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો માટે મતદાન ચાલું રહેશે. 35 હજાર જેટલા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેલંગાણામાં 9 વાગ્યા સુધીમાં 8.52 ટકા મતદાન થયું છે.

મતદાન કરવા પીએમ મોદીએ કરી અપીલ 

2023માં પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ મિઝોરમ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આજે તેલંગાણા માટે મતદાન હાથ ધરવામાં આવી રહ્યું છે. મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમાંથી આજે છેલ્લા રાજ્ય એવા તેલંગાણાની 119 બેઠકો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. પાંચેય રાજ્યોનું પરિણામ 3જી ડિસેમ્બરે આવવાનું છે. તેલંગાણાના લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પીએમ મોદીએ અપીલ કરી છે. મતદાન માટે અપીલ કરતી ટ્વિટ પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. મતદાતાઓને રીઝવવા માટે રાજકીય પાર્ટીઓએ અનેક ચૂંટણી પ્રચાર કર્યા છે અને વાયદા કરવામાં આવ્યા છે ત્યારે કઈ પાર્ટી સત્તા પર આવશે તે 3જી ડિસેમ્બરે ખબર પડશે. 


 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.