Telangana Assembly Elections માટે ચાલી રહ્યું છે મતદાન, આટલા ઉમેદવારોના ભાવિ EVMમાં થશે કેદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-30 12:33:32

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલા આ વર્ષે પાંચ રાજ્યો માટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ચાર રાજ્યો માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે જ્યારે આજે તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. તેલંગાણાની 199 વિધાનસભા બેઠકો માટે આજે વહેલી સવારથી મતદાતાઓ મતદાન કરી રહ્યા છે. 2300 જેટલા ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાનું છે. સવારે સાત વાગ્યાથી આ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જ્યારે સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો માટે મતદાન ચાલું રહેશે. 35 હજાર જેટલા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેલંગાણામાં 9 વાગ્યા સુધીમાં 8.52 ટકા મતદાન થયું છે.

મતદાન કરવા પીએમ મોદીએ કરી અપીલ 

2023માં પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ મિઝોરમ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આજે તેલંગાણા માટે મતદાન હાથ ધરવામાં આવી રહ્યું છે. મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમાંથી આજે છેલ્લા રાજ્ય એવા તેલંગાણાની 119 બેઠકો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. પાંચેય રાજ્યોનું પરિણામ 3જી ડિસેમ્બરે આવવાનું છે. તેલંગાણાના લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પીએમ મોદીએ અપીલ કરી છે. મતદાન માટે અપીલ કરતી ટ્વિટ પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. મતદાતાઓને રીઝવવા માટે રાજકીય પાર્ટીઓએ અનેક ચૂંટણી પ્રચાર કર્યા છે અને વાયદા કરવામાં આવ્યા છે ત્યારે કઈ પાર્ટી સત્તા પર આવશે તે 3જી ડિસેમ્બરે ખબર પડશે. 


 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.