Telangana Assembly Elections માટે ચાલી રહ્યું છે મતદાન, આટલા ઉમેદવારોના ભાવિ EVMમાં થશે કેદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-30 12:33:32

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલા આ વર્ષે પાંચ રાજ્યો માટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ચાર રાજ્યો માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે જ્યારે આજે તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. તેલંગાણાની 199 વિધાનસભા બેઠકો માટે આજે વહેલી સવારથી મતદાતાઓ મતદાન કરી રહ્યા છે. 2300 જેટલા ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાનું છે. સવારે સાત વાગ્યાથી આ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જ્યારે સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો માટે મતદાન ચાલું રહેશે. 35 હજાર જેટલા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેલંગાણામાં 9 વાગ્યા સુધીમાં 8.52 ટકા મતદાન થયું છે.

મતદાન કરવા પીએમ મોદીએ કરી અપીલ 

2023માં પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ મિઝોરમ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આજે તેલંગાણા માટે મતદાન હાથ ધરવામાં આવી રહ્યું છે. મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમાંથી આજે છેલ્લા રાજ્ય એવા તેલંગાણાની 119 બેઠકો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. પાંચેય રાજ્યોનું પરિણામ 3જી ડિસેમ્બરે આવવાનું છે. તેલંગાણાના લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પીએમ મોદીએ અપીલ કરી છે. મતદાન માટે અપીલ કરતી ટ્વિટ પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. મતદાતાઓને રીઝવવા માટે રાજકીય પાર્ટીઓએ અનેક ચૂંટણી પ્રચાર કર્યા છે અને વાયદા કરવામાં આવ્યા છે ત્યારે કઈ પાર્ટી સત્તા પર આવશે તે 3જી ડિસેમ્બરે ખબર પડશે. 


 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.