Chhattisgarh અને Mizoramમાં શરૂ થયું મતદાન, જાણો કેટલા ટકા નોંધાયું મતદાન, મતદારોમાં ઉત્સાહ!


  • Published By :
  • Published Date : 2023-11-07 10:48:36

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તેની પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 7 નવેમ્બરમાં પ્રથમ ચરણનું મતદાન શરૂ થઈ ગયું છે. છત્તીસગઢમાં તેમજ મિઝોરમમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મિઝોરમમાં 40 સીટો માટે મતદાન થઈ રહ્યું છે અને 90 વિધાનસભા સીટો વાળા છત્તીસગઢમાં 20 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે મતદાન કરવા મથક પર પહોંચ્યા ત્યારે મશીન ખરાબ થઈ ગયું હતું જેને કારણે તેઓ વોટ કરી શક્યા ન હતા. 9 વાગ્યા સુધીમાં છત્તીસગઢમાં 9.93 ટકા મતદાન થયું હતું જ્યારે મિઝોરમમાં 12.80 ટકા મતદાન થયું છે.  

20 બેઠકો માટે છત્તીસગઢમાં થઈ રહ્યું છે મતદાન 

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ તેમજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિઝોરમમાં એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે જ્યારે છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. 90 વિધાનસભા બેઠકોમાંથી 20 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકોમાં બસ્તરના માઓવાદથી પ્રભાવિત ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે. અનેક સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મિઝોરમમાં પણ સુરક્ષાબળને ગોઠવી દેવામાં આવ્યો છે.  

મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે વોટ કરવા ગયા ત્યારે...

છત્તીસગઢમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા નક્સલી હુમલો થયો હતો જેમાં એક જવાન ઘાયલ થયા છે. સુકમા જિલ્લામાં ટોંડામરકા વિસ્તારમાં નક્સલિએ આઈડી ધમાકો કર્યો છે. મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે મશીન ખરાબ હોવાને કારણે તેઓ મતદાન ન કરી શક્યા. મિઝોરમના સીએમ જોરામથાંગા પોતાનો મત આપી શક્યા નથી. તેઓ વોટિંગ રૂમની અંદર ગયા પરંતુ વોટ આપી શક્યા નહીં. તેણે બહાર આવીને કહ્યું કે મશીન કામ કરતું નથી. હવે તેઓ પાછા આવશે અને પછીથી પોતાનો મત આપશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.