Chhattisgarh અને Mizoramમાં શરૂ થયું મતદાન, જાણો કેટલા ટકા નોંધાયું મતદાન, મતદારોમાં ઉત્સાહ!


  • Published By :
  • Published Date : 2023-11-07 10:48:36

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તેની પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 7 નવેમ્બરમાં પ્રથમ ચરણનું મતદાન શરૂ થઈ ગયું છે. છત્તીસગઢમાં તેમજ મિઝોરમમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મિઝોરમમાં 40 સીટો માટે મતદાન થઈ રહ્યું છે અને 90 વિધાનસભા સીટો વાળા છત્તીસગઢમાં 20 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે મતદાન કરવા મથક પર પહોંચ્યા ત્યારે મશીન ખરાબ થઈ ગયું હતું જેને કારણે તેઓ વોટ કરી શક્યા ન હતા. 9 વાગ્યા સુધીમાં છત્તીસગઢમાં 9.93 ટકા મતદાન થયું હતું જ્યારે મિઝોરમમાં 12.80 ટકા મતદાન થયું છે.  

20 બેઠકો માટે છત્તીસગઢમાં થઈ રહ્યું છે મતદાન 

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ તેમજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિઝોરમમાં એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે જ્યારે છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. 90 વિધાનસભા બેઠકોમાંથી 20 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકોમાં બસ્તરના માઓવાદથી પ્રભાવિત ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે. અનેક સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મિઝોરમમાં પણ સુરક્ષાબળને ગોઠવી દેવામાં આવ્યો છે.  

મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે વોટ કરવા ગયા ત્યારે...

છત્તીસગઢમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા નક્સલી હુમલો થયો હતો જેમાં એક જવાન ઘાયલ થયા છે. સુકમા જિલ્લામાં ટોંડામરકા વિસ્તારમાં નક્સલિએ આઈડી ધમાકો કર્યો છે. મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે મશીન ખરાબ હોવાને કારણે તેઓ મતદાન ન કરી શક્યા. મિઝોરમના સીએમ જોરામથાંગા પોતાનો મત આપી શક્યા નથી. તેઓ વોટિંગ રૂમની અંદર ગયા પરંતુ વોટ આપી શક્યા નહીં. તેણે બહાર આવીને કહ્યું કે મશીન કામ કરતું નથી. હવે તેઓ પાછા આવશે અને પછીથી પોતાનો મત આપશે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.