Chhattisgarh અને Mizoramમાં શરૂ થયું મતદાન, જાણો કેટલા ટકા નોંધાયું મતદાન, મતદારોમાં ઉત્સાહ!


  • Published By :
  • Published Date : 2023-11-07 10:48:36

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તેની પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 7 નવેમ્બરમાં પ્રથમ ચરણનું મતદાન શરૂ થઈ ગયું છે. છત્તીસગઢમાં તેમજ મિઝોરમમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મિઝોરમમાં 40 સીટો માટે મતદાન થઈ રહ્યું છે અને 90 વિધાનસભા સીટો વાળા છત્તીસગઢમાં 20 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે મતદાન કરવા મથક પર પહોંચ્યા ત્યારે મશીન ખરાબ થઈ ગયું હતું જેને કારણે તેઓ વોટ કરી શક્યા ન હતા. 9 વાગ્યા સુધીમાં છત્તીસગઢમાં 9.93 ટકા મતદાન થયું હતું જ્યારે મિઝોરમમાં 12.80 ટકા મતદાન થયું છે.  

20 બેઠકો માટે છત્તીસગઢમાં થઈ રહ્યું છે મતદાન 

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ તેમજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિઝોરમમાં એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે જ્યારે છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. 90 વિધાનસભા બેઠકોમાંથી 20 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકોમાં બસ્તરના માઓવાદથી પ્રભાવિત ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે. અનેક સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મિઝોરમમાં પણ સુરક્ષાબળને ગોઠવી દેવામાં આવ્યો છે.  

મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે વોટ કરવા ગયા ત્યારે...

છત્તીસગઢમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા નક્સલી હુમલો થયો હતો જેમાં એક જવાન ઘાયલ થયા છે. સુકમા જિલ્લામાં ટોંડામરકા વિસ્તારમાં નક્સલિએ આઈડી ધમાકો કર્યો છે. મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે મશીન ખરાબ હોવાને કારણે તેઓ મતદાન ન કરી શક્યા. મિઝોરમના સીએમ જોરામથાંગા પોતાનો મત આપી શક્યા નથી. તેઓ વોટિંગ રૂમની અંદર ગયા પરંતુ વોટ આપી શક્યા નહીં. તેણે બહાર આવીને કહ્યું કે મશીન કામ કરતું નથી. હવે તેઓ પાછા આવશે અને પછીથી પોતાનો મત આપશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે